મુંબઈ: બોલિવૂડના ગીતકાર જાવેદ અખ્તર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે અને હવે ફરી એકવાર તેમણે કંઈક એવું કહ્યું છે, જેના કારણે ચર્ચા શરૂ થઈ ગઈ છે. પ્રખ્યાત પટકથા લેખકે 2023 માં રિલીઝ થનારી બ્લોકબસ્ટર ફિલ્મ વિશે તેમના વિચારો શેર કર્યા છે. જાવેદ અખ્તરે ભારતીય સિનેમામાં આજના ‘એન્ગ્રી યંગ મેન’ પાત્રો પર વિચાર કરતાં કહ્યું કે હવે ફિલ્મોનો હીરો કેરિકેચરમાં ફેરવાઈ રહ્યો છે. તે એવો પુરુષ બની ગયો છે જે ઈચ્છે છે કે કોઈ સ્ત્રી તેના જૂતા ચાટે. જાવેદ અખ્તરે આ બધું સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ પર કટાક્ષ કરતા કહ્યું, જેમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

એન્ગ્રી યંગ મેનના કોન્સેપ્ટ પર જાવેદ અખ્તરે શું કહ્યું?
જાવેદ અખ્તરે ‘વી આર યુવા’ સાથે વાત કરતા ફિલ્મોમાં ‘એન્ગ્રી યંગ મેન’ના કોન્સેપ્ટને સંબોધિત કરતા અને એનિમલને ટાંકતા કહ્યું – ‘અતાર્કિક ગુસ્સો જે પાયાવિહોણો છે, તે પાત્રને કેરીકેચરમાં ફેરવવાનું શરૂ કરે છે. ઉત્તર અને દક્ષિણમાં ‘એન્ગ્રી યંગ મેન’ના કોન્સેપ્ટ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે,’દક્ષિણમાં પણ ફિલ્મનો હીરો કેરીકેચરમાં ફેરવાઈ રહ્યો છે. તે એક એવો માણસ છે જે ઈચ્છે છે કે કોઈ સ્ત્રી તેના જૂતા ચાટે. તે પહેલાથી જ ક્રોધી માણસ અથવા મજબૂત માણસને કેરિકેચરમાં ફેરવવાનું શરૂ કરી દે છે, પરંતુ ખૂબ જ અલગ રીતે.’
જાવેદ અખ્તરે એનિમલ જોઈ નથી
જ્યારે જાવેદ અખ્તરને પૂછવામાં આવ્યું કે શું તેણે એનિમલ જોઈ છે? તો જવાબમાં તેણે કહ્યું- ‘મેં એનિમલ ફિલ્મ નથી જોઈ. લોકોએ મને તેના વિશે કહ્યું અને મેં સમાચારમાં પણ વાંચ્યું કે ફિલ્મનો હીરો સ્ત્રી પાત્રને તેના જૂતા ચાટવાનું કહે છે. તે નીચે ઝૂકે છે, પરંતુ ભગવાનનો આભાર કે દ્રશ્ય ત્યાં કાપવામાં આવ્યું હતું અને આગળ લઈ જવામાં આવ્યું નહીં. જ્યારે લોકો ગુસ્સાવાળા યુવકના આઈડિયાને કોપી કરી રહ્યા હતા ત્યારે તેઓ એ જોવાનું ભૂલી ગયા કે ‘જંજીર’માં અમિતાભ બચ્ચનનું પાત્ર માત્ર ગુસ્સાવાળું જ નહીં પરંતુ ખૂબ જ દુઃખી પણ છે.
સલીમ-જાવેદની જોડીએ જંજીર લખી હતી
તમને જણાવી દઈએ કે, 1973માં રિલીઝ થયેલી ‘જંજીર’ની સ્ટોરી સલીમ-જાવેદની જોડીએ સાથે લખી હતી, જે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ તે ફિલ્મ હતી જેણે અમિતાભ બચ્ચનની ડૂબતી કરિયરને બચાવી અને પુનર્જીવિત કરી. જોકે, આ પહેલીવાર નથી જ્યારે જાવેદ અખ્તરે ‘એનિમલ’ વિશે પોતાની નિરાશા વ્યક્ત કરી હોય, આ પહેલા પણ તેણે આ ફિલ્મને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ફિલ્મમાં રણબીર કપૂરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.









ડાંગ જિલ્લો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. ડાંગમાં ખાસ જોવાલાયક સ્થળોમાં ગીરા ધોધ, ડોન હિલ, સાપુતારા છે.
કુદરતી સૌંદર્યને શાંતિથી અને નજીકથી માણવા આ સ્થળની મુલાકાત તો ચોક્કસથી લેવી જોઈએ.
સાપુતારા ખાતે અગામી 29મી જુલાઈથી એક મહિના માટે મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે.
રાજ્યના આ હિલ સ્ટેશન પર લોકો દૂર દૂરથી કુદરતી દ્રશ્યનો નજારો જોવા પહોંચે છે. આહીં અનેક પિકનિક સ્પોટ છે. પ્રાકૃતિક સૌદર્ય ધરાવતી ટેકરીઓ ઉપરાંત તળાવ પણ આવેલું છે
સાપુતારાની વર્ષ 2022માં 8.16 લાખ તેમજ 2023માં 11.13 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ મોન્સૂન ફેસ્ટિવલ અંગે વધુ વિગતો આપતાં કહ્યું, દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટ હાઉસ ગ્રાઉન્ડ, સાપુતારા ખાતે ઉદ્ઘાટન સમારંભમાં કાર્યક્રમની શરૂઆત પ્રવાસન નિગમની તોરણ હોટેલ સામેથી રંગબેરંગી પરેડથી થશે. જેમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો, મનોરંજક પાત્રો, અલગ-અલગ વેશભૂષામાં પાત્રો, ડાંગી આદિવાસી નૃત્ય તેમજ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરાશે. રંગબેરંગી પરેડ બાદ સાપુતારા તળાવ પાસે તૈયાર કરવામાં આવેલ ડોમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અંતે સાપુતારા સર્કલ પાસે મુખ્યમંત્રી ‘રેઇન રન મેરેથોન’નું ફ્લેગ ઓફ કરાવશે.
પ્રવાસીઓને ડાંગની સંસ્કૃતિ અંગે પરિચય કેળવાય અને સ્થાનિક કલાકારોને રોજગારી મળી રહે તે હેતુથી કાર્યક્રમના મુખ્ય ડોમ ખાતે શુક્રવાર, શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસે સાપુતારા મેઇન સર્કલ અને ગવર્નર હિલ ખાતે સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ આગામી જન્માષ્ટમીના દિવસે ખાસ દહીં-હાંડી કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને ડાંગ આસપાસ આવેલા ૧૮ જેટલાં મુખ્ય જોવાલાયક સ્થળો માણવા મળશે. જેમાં, ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ – મહાલ, એક્વેરિયમ, ઇકો પોઇન્ટ, ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, ગીરા ધોધ, ગવર્નર હિલ, હાથગઢનો કિલ્લો, મધમાખી કેન્દ્ર, સંગ્રહાલયો, નાગેશ્વર મહાદેવ મંદિર, પૂર્ણા અભયારણ્ય, રોઝ ગાર્ડન,સાપુતારા તળાવ, સાપુતારા આદિજાતિ સંગ્રહાલય, સ્ટેપ ગાર્ડન, સનરાઇઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ અને પ્રસિદ્ધ વાંસદા નેશનલ પાર્કનો સમાવેશ થાય છે. આ સાથે પેપર ક્રાફ્ટ વર્કશોપ અને તીરંદાજી પ્રેક્ટિસ સેશન, વરલી આર્ટસ, હેન્ડિક્રાફ્ટ અને ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ પ્રવાસીઓને આકર્ષિત કરશે.
ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા દરિયાની સપાટીથી લગભગ ૩,૦૦૦ ફૂટની ઉંચાઈએ આવેલું છે. ગુજરાત ટુરિઝમ દ્વારા સાપુતારાને ગેસ્ટહાઉસ, બગીચા, સ્વિમિંગ પુલ, બોટ ક્લબ, ઓડિટોરિયમ, રોપ વે અને મ્યુઝિયમ જેવી સુવિધા આપતું આયોજિત હિલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે.




ભુલકાઓને મન મેઘરાજાની મોજ, જ્યારે ક્યાંક પલળાય નહીં એ માટે છત્રીની આડશ લેવાય છે..
સૌથી મહત્વનું બારેમાસ સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં એકદમ નવી પાણીની આવક થઈ રહી છે..
ચોમાસાની આ ઋતુમાં વગડે ચરતાં પશુઓને લીલીછમ હરિયાળી આરોગવાની મોજ પડી ગઈ છે.
શહેરોમાં પણ લોકો લાંબા સમયથી મેઘરાજાની રાહ જોતા હતા. આથી જ્યારે આવ્યા ત્યારે મન મૂકીને પલળ્યા.
રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ રહ્યો છે.
પશુઓને વન-વગડામાં ચરવામાં મોજ પડી જાય તેમ ચારે તરફ લીલો-લીલો ઘાસચારો જોવા મળ્યો
કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે, પશુ-પક્ષીઓ અને માણસોએ ગરમીથી છુટકારો મેળવીને હાશકારાનો અનુભવ કર્યો છે.