Home Blog Page 1577

રીલ્સના ચક્કરમાં જીવ જોખમમાં નાખતા નબીરાઓનો વીડિયો વાયરલ

વડોદરા: આજ કાલના નબિરાઓ રિલ્સ બનાવવાના ચક્કરમાં અવનાવા પેતરા અપનાવતા હોય છે. ત્યારે વડોદરા ત્રણ નબીરાઓ વીડિયો ફરી એક વખત વાયરલ થયો છે. રીલ્સ બનાવવા માટે ઓવર બ્રિજ પર ટ્રીપલ સવારી બાઇક પર જતો યુવક પોતાનું તથા અન્યોનું જીવન જોખમમાં મુકી રહ્યો હોવાનું વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે લોકો કોઇ પણ પ્રકારનું જોખમ ઉઠાવતા પહેલા સહેજ પણ ખચકાતા નથી. આવા કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા રહે છે. ત્યાર બાદ પોલીસ કાર્યવાહી પણ કરે છે છતાં લોકો અટકવાનું નામ નથી લેતા.

તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળોમાં એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં યુવકો ત્રણ સવારી બાઇક લઇને જઇ રહ્યા છે. દરમિયાન ચાલક પોતાના એક હાથમાં બાઇકનું સ્ટિયરિંગ અને અન્ય હાથમાં મોબાઇલ લઇને ચાલુ બાઇકે ઉભો થઇ જાય છે અને કંઇક રેકોર્ડ કરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.

 

પ્રાથમિક અંદાજ પ્રમાણે આ વિડીયો વડોદરાના અટલ બ્રિજ હોય શકે છે. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર વીડિયો વાયર થયાની જાણ વડોદરા પોલીસને થતાની સાથે જ પોલીસ હરકતમાં આવી છે. વીડિયોમાં દેખાતા યુવકોની શોધખોળ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવકે ત્રણ સવારી બાઇક પર જઇને રીલ્સ બનાવવા કરેલા સીનસપાટામાં અનેકના જીવને જોખમ ઉભું થઇ શકે તેવી સ્થિતિ સર્જાઇ હતી.

અંધેરી નગરી…: NRIને રાજ્યની સરકારી શાળામાં પગાર ચાલુ…

બનાસકાંઠાઃ અંધેરી નગરી ને ગંડુ રાજા ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા… રાજ્યના બનાસકાંઠામાં એક સરકારી પ્રાથમિક સ્કૂલમાં એક હેડ ટીચર છેલ્લાં આઠ વર્ષોથી શિકાગોમાં રહી રહ્યાં છે અને તેઓ સરકારી સ્કૂલમાંથી પણ પગાર લઈ રહ્યાં છે, એમ અધિકારીઓએ અને પેરેન્ટ્સે ફરિયાદ કરતાં આરોપ લગાવ્યો છે.

અંબાજીમાં પંચા પ્રાઇમરી સ્કૂલના વડા શિક્ષક ભાવનાબહેન પટેલ US ગ્રીન કાર્ડ ધરાવે છે અને તેઓ 2013થી અમેરિકાના  કાયમી રહેવાસી છે.  સ્કૂલના અધિકારીઓના જણાવ્યાનુસાર તેમની સ્કૂલમાં ગેરહાજરી છતાં તેમનું નામ સ્કૂલના રજિસ્ટરમાં કર્મચારી તરીકે નોંધાયેલું છે

બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક આવેલા પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ ઉપર તેનું નામ બોલાઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. વિદેશમાં ગ્રીન કાર્ડ ધરાવતા શિક્ષિકા વર્ષમાં એક વાર શાળામાં હાજર થઈ લાખોનો પગાર લેવા હોવાની ફરિયાદો ઊઠી છે.

ભાવનાબહેન અમેરિકાથી ગુજરાતમાં વર્ષમાં એક વાર દિવાળીમાં આવે છે, જ્યારે સ્કૂલમાં વેકેશન હોય છે. ત્યારે તેઓ સ્કૂલમાં જતાં પણ નથી કે નથી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં. અનેક માતાપિતા અને સ્કૂલના કર્મચારીઓએ એ વિશે શિક્ષણ અધિકારીઓને ફરિયાદ કરી તેમ છતાં તેમની સામે નામપૂરતી કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રાઇમરી શિક્ષણાધિકારીએ પણ કહ્યું હતું કે પટેલ છેલ્લે સ્કૂલમાં જાન્યુઆરી, 2023માં આવ્યાં હતાં અને તેઓ આ વર્ષથી પગાર વગર રજા પર છે. અધિકારીએ તેમને શો-કોઝ નોટિસ આપી હોવાનું અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.

 

SG હાઈવે પર બનશે પાંચ ફૂટ ઓવર બ્રિજ..

અમદાવાદ: ગુજરાતના મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અમદાવાદના સુપ્રસિધ્ધ માર્ગો માંથી એક એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યાને લઈ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાતા અવાર નવાર નજરે પડતા હોય છે. ઉલ્લેખનીય છે કે એસજી હાઈ વે પર રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડતી હોય છે. ત્યારે રાહદારીઓને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)અને નેશનલ હાઈવે ઓથોરિટીએ એસ.જી. હાઈવે પર 20 કરોડ રૂપિયાના ખર્ચે 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે.

SG હાઈવે પર બનશે ફૂટ ઓવર બ્રિજ બનશે

અમદાવાદમાં વઘતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોને ટાળવા માટે AMC અને નેશનલ હાઈવે ઓથોરિટીએ SG હાઈ વે પર 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં એક એસ.જી.હાઇવે પર પકવાન ફલાય ઓવર બ્રિજ અને ઈસ્કોન ફલાય ઓવર બ્રિજની વચ્ચે, જ્યારે બીજો થલતેજ અન્ડરપાસ અને પકવાન ફલાય ઓવર બ્રિજની વચ્ચે, એલીવેટેડ કોરીડોર અને થલતેજ અન્ડરપાસ વચ્ચે, ગોતા ફ્લાય ઓવર બ્રિજ અને એલિવેટ કોરીડોરની વચ્ચે અને નિરમા યુનિવર્સિટી નજીક 20 કરોડ રૂપિયાના ફૂટ ખર્ચે ઓવર બ્રિજ બનાવશે. જેનું કામ 2024માં જ શરૂ કરી દેવામાં આવશે. બીજી તરફ એસ.પી. રીંગ રોડ પર 108ના અંદાજે 80થી 100 વાહનો માટે પાર્કિંગની સુવિધા ઊભી કરાશે.

‘હર ઘર તિરંગા’ 3.0 અભિયાન હેઠળ રાષ્ટ્રધ્વજ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ

દરેક નાગરિકના મનમાં રાષ્ટ્રીય પ્રેમની લાગણી જાગૃત કરવાના ઉદ્દેશથી હર ઘર તિરંગા અભિયાન તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ મુખ્યાલય પરિક્ષેત્ર ના પોસ્ટમાસ્ટર જનરલ,  કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ‘હર ઘર તિરંગા’ ૩.0 અભિયાનમાં પોસ્ટ વિભાગ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. આ અભિયાન હેઠળ, તમામ પોસ્ટ ઓફિસોમાં તિરંગા ધ્વજ વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ ધ્વજ ૨૦ x ૩૦ ઇંચ છે જે જાહેર જનતા રૂ.૨૫/-માં ખરીદી શકે છે અને પોતાના ઘરો પર  લગાવી શકે છે. વધુમાં, 13 ઓગસ્ટ સુધી ઇ-પોસ્ટ ઓફિસ પોર્ટલ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ઘરે પણ મંગાવી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે, પોસ્ટ વિભાગ વિવિધ સ્કૂલો/કોલેજો, હોસ્પિટલ, પોલીસ લાઇન, પીએસી, સૈન્ય દફતર, કોર્ટ, તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રના કાર્યાલય અને વાણિજ્યિક સંસ્થાઓ સાથે સંપર્ક કરી ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જનસહભાગિતાની ખાતરી કરશે. પોસ્ટલ કર્મચારીઓ તેમના પરિવારજનો અને આસપાસના લોકોને પણ આ અભિયાનમાં જોડાવવા અને તિરંગા ફરકાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે.

પંજાબમાં સ્થિતિ નહીં સુધરે તો હાઇવે પ્રોજેક્ટસ રદ કરાશેઃ ગડકરી

નવી દિલ્હીઃ પંજાબમાં થઈ રહેલી હિંસક ઘટનાઓની અસર હાઇવે પ્રોજેક્ટ્સ પર પડી રહી છે. જેથી કેન્દ્રીય હાઇવે અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ પંજાબના CM ભગવંત માનને ચેતવણી આપી હતી. ગડકરીએ માનને પત્ર લખતાં કહ્યું છે કે રાજ્યમાં કાનૂન-વ્યવસ્થાની સ્થિતિ ઠીક નથી. જો એમાં સુધારો  નહીં થાય તો NHAI આઠ હાઇવે પ્રોજેક્ટ્સ રદ કરી દેવામાં આવશે.

રાજ્યમાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેના નિર્માણ દરમિયાન કામ રોકવા માટે ઘણી જગ્યાએ હિંસક ઘટનાઓ જોવા મળી હતી. આ આઠ પ્રોજેક્ટની કુલ કિંમત 14288 કરોડ રૂપિયા છે. રાજધાની દિલ્હીથી માતા વૈષ્ણોદેવી કટરા સુધી આ એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે. તેનો એક ભાગ અમૃતસર સાથે પણ જોડવાનો છે. નીતિન ગડકરીએ એન્જિનિયરો અને કોન્ટ્રેક્ટરો પર થયેલા હુમલા અંગે નારાજગી વ્યક્ત કરી છે. લુધિયાણામાં પણ NHAI અધિકારીઓને આ પ્રોજેક્ટમાં રોકાયેલા સ્ટાફને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે.

નીતિન ગડકરીએ તેમના પત્રમાં જમીન અધિગ્રહણનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. આ સિવાય તેમણે પુરાવા તરીકે આ પત્રની સાથે હુમલાની તસવીરો પણ મોકલી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે CMએ સીધો હસ્તક્ષેપ કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાને સુધારવા માટે કડક પગલાં ભરવામાં આવે અને FIR નોંધીને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તેવી વિનંતી છે.

ગડકરીએ એક મહિના પહેલા હાઇવે પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજી હતી અને ખાતરી આપી હતી કે કાયદો અને વ્યવસ્થા અને જમીન સંપાદન મુદ્દાઓને ઉકેલવામાં આવશે. ગડકરીએ કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી, બલકે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.  ગડકરીએ કહ્યું કે જમીન સંપાદનના બાકી મુદ્દાઓને કારણે પણ અનેક જગ્યાએ કોન્ટ્રેક્ટરોને નિશાન બનાવવામાં આવે છે. જો આમ જ ચાલુ રહેશે તો હાઈવેના આઠ પ્રોજેક્ટ રદ કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. NHAIએ જમીનની ઉપલબ્ધતા ન હોવાને કારણે ત્રણ હાઇવે પ્રોજેક્ટ્સ પહેલેથી જ રદ કરી દીધા છે.

 

ગાઝામાં સ્કૂલ પર એરસ્ટ્રાઈક, 100ના મોત

છેલ્લા 10 મહિનાથી ગાઝામાં ઈઝરાયેલનો ચાલી રહેલો વિનાશ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. તાજેતરના હુમલામાં, ઇઝરાયેલી સેનાએ ગાઝા શહેરની એક શાળા પર જોરદાર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં લગભગ 100 લોકો માર્યા ગયા છે, જ્યારે કેટલાક ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આ હુમલો અલ-તાબીન સ્કૂલ પર કરવામાં આવ્યો હતો. આ પછી ઈરાને તેની આકરી પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે ઈઝરાયેલ ગાઝામાં સતત નરસંહાર કરી રહ્યું છે.


ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસેર કાનનીએ એક નિવેદનમાં આ હુમલાને નરસંહાર અને માનવતા વિરુદ્ધ ગુનો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ઈઝરાયેલે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે કોઈપણ આંતરરાષ્ટ્રીય કાયદા કે નૈતિક સિદ્ધાંતો માટે પ્રતિબદ્ધ નથી. ઇઝરાયેલનો મુકાબલો કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે મુસ્લિમ દેશો એક સાથે આવે અને પેલેસ્ટિનિયન રાષ્ટ્રને સમર્થન આપે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

(140824) — GAZA, Aug. 24, 2014 (Xinhua) — Palestinians inspect the rubble of a destroyed shopping center after an Israeli airstrike overnight in the southern Gaza Strip city of Rafah, on Aug. 24, 2014. Hamas spokesman Sami Abu Zuhri described the targeting of large apartment buildings as a war crime and denied that the buildings were used by Hamas. Egypt called on both Israel and the Palestinians to accept an indefinite ceasefire proposal and resume truce talks over the conflict in the Gaza Strip. (Xinhua/Khaled Omar) (zjy)

આ હુમલા પછી IDFએ કહ્યું કે બાતમી મળી હતી કે હમાસ અને ઇસ્લામિક જેહાદના 20 ખતરનાક આતંકવાદીઓ અલ-તાબીન સ્કૂલ કેમ્પસની અંદર છુપાયેલા છે. આતંકીઓ હુમલા કરવા માટે શાળાનો ઉપયોગ કરી રહ્યા છે. આ પછી ઈઝરાયેલની સેનાએ સ્કૂલ પર હવાઈ હુમલો કર્યો. જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સાથે IDFએ લેબનોનમાં હમાસના વરિષ્ઠ કમાન્ડર સમીર મહમૂદ અલ-હજને પણ માર્યો છે.

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાયું, 11 ગામ એલર્ટ

એક બાજું રાજ્યમાં વરસાદ જોર ઘીમે ઘીમે ઘટી રહ્યું છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી 2.50 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે ડેમમાંથી પાણી છોડવાને લઈ નર્મદા નદી કાંઠાના 11 ગામને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાને લઈ શિનોર નર્મદા નદી કાંઠેના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.

સરદાર સરોવર ડેમમાં પાણી આવક થવાથી, ડેમમાં 2.50 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતુ. આપને જણાવી દઈએ કે શિનોર તાલુકાના નર્મદા નદી કાંઠે આવેલા અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ ગામને તંત્રએ એલર્ટ રહેવા માટે કહ્યું છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ 11 ગામના તલાટી અને સરપંચોને એલર્ટ રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે.

ડેમની કુલ સંગ્રહશક્તિ 9,460 મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના 70 ટકા એટલે કે, 6,622 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતાં ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH)ના તમામ ટર્બાઇનો ચાલુ કરી દેવામાં આવ્યા છે. જેના થકી 28,464 કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. 1200 મેગાવોટના રીવર બેડ પાવર હાઉસના ટર્બાઇન્સને રાત્રિ દરમિયાન ચલાવવામાં આવે છે. ત્યારે દિવસે 250 મેગાવોટના કેનાલ હેડ પાવર આસના ત્રણ યુનિટ ચલાવવામાં રહ્યા છે.

હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યમાં માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. હાલમાં જે વરસાદ વરસશે તેના કારણે ખેડૂતોના પાકને નવું જીવન મળશે સાથે નવો પાક રોપવો હશે તો પણ તે રોપી શકાશે, હાલ ગુજરાતમાં ખેડૂતો માટે છૂટો છવાયો વરસાદ મોટા આશીર્વાદ રૂપ બની રહેશે.

રીતિકા હુડાની ક્વાર્ટર ફાઈનલ મેચ 1-1થી ડ્રો, મેડલની હજુ તક

ભારતીય કુસ્તીબાજ રિતિકા હુડ્ડાને મહિલાઓની 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 10 જુલાઈના રોજ રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં રિતિકાને ટોચની ક્રમાંકિત અને બે વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા કિર્ગિસ્તાનની અપરી કાઈઝીએ હાર આપી હતી. મેચના અંતે સ્કોર 1-1થી બરાબર હતો. પરંતુ છેલ્લો પોઈન્ટ અપરી કાઈજીને આપવામાં આવ્યો, જેના કારણે તે વિજેતા બનવામાં સફળ રહી. રિતિકા પાસે હવે રિપેચેજ દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવાની તક હશે. જોકે, રિતિકાએ પ્રાર્થના કરવી પડશે કે અપરી કાઈજી આ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચે.


કુસ્તીમાં નિષ્ક્રિયતાનો નિયમ શું છે?

રિતિકાની ક્વાર્ટર ફાઈનલ મેચ ખૂબ જ અઘરી હતી અને બંને કુસ્તીબાજોએ નિષ્ક્રિયતા દ્વારા 1-1 પોઈન્ટ મેળવ્યા હતા. તમને જણાવી દઈએ કે ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં મેચને આક્રમક બનાવવા માટે પેસિવિટીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આવું ત્યારે થાય છે જ્યારે કોઈ કુસ્તીબાજ પહેલી બે મિનિટમાં એક પણ પોઈન્ટ ન મેળવે. આવા કિસ્સામાં, જે કુસ્તીબાજ ઓછા આક્રમક હોય છે તેણે 30 સેકન્ડની અંદર એક પોઈન્ટ મેળવવો પડે છે. જો તે કુસ્તીબાજ ત્રીસ સેકન્ડની અંદર પોઈન્ટ ન મેળવે તો વિરોધી ટીમને પોઈન્ટ મળે છે.

રિતિકા હુડ્ડાએ પહેલા હાફમાં પેસિવિટી દ્વારા 1 પોઈન્ટ મેળવ્યો હતો. ત્યારપછી બીજા હાફમાં કિર્ગિસ્તાનના રેસલરે પેસિવિટી દ્વારા 1 પોઈન્ટ લીધો હતો. કુસ્તીના નિયમો અનુસાર, જે કુસ્તીબાજ છેલ્લા ટેકનિકલ પોઈન્ટ મેળવે છે તે જીતે છે. છેલ્લો પોઇન્ટ કિર્ગિસ્તાનના કુસ્તીબાજ દ્વારા જીતવામાં આવ્યો હોવાથી, તેણી જીતી ગઈ.

ફ્રાંસ, UAE પછી હવે માલદીવમાં પણ ચાલશે UPI

નવી દિલ્હીઃ માલદીવમાં ટૂંક સમયમાં ભારતની UPI સિસ્ટમ શરૂ થશે. એનાથી માલદીવની કરન્સીને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત અને માલદીવે દેશમાં એકીકૃત ચુકવણી ઇન્ટરફેસ શરૂ કરવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે, જેની એના પર્યટન ક્ષેત્ર પર બહુ હકારાત્મક અસર પડશે.

માલદીવમાં જયશંકરની ત્રિદિવસીય સત્તાવાર યાત્રા દરમ્યાન શુક્રવારે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે માલદીવમાં ડિજિટલ ચુકવણી પદ્ધતિ શરૂ કરવા માટે નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને માલદીવના આર્થિક વિકાસ અને વેપાર મંત્રાલયની વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.NPCI દ્વારા વિકિસત UPI મોબાઇલ ફોનના માધ્યમથી આંતર બેન્ક લેવડદેવડનૂ સુવિધા માટે એક ત્વરિત વાસ્તવિક ચુકવણી પ્રણાલી છે. વિદેશપ્રધાને કહ્યું હતું કે ભારતે UPIના માધ્યમથી ડિજિટલ લેવડદેવડમાં ક્રાંતિ લાવી દીધી છે. એ વાત પર ભાર આપતાં તેમણે કહ્યું હતું કે એણે ભારતમાં નાણાકીય સમાવેશને નવા સ્તરોએ પહોંચાડી છે. આજે વિશ્વના 40 ટકા ડિજિટલ ચુકવણી અમારા દેશમાં થાય છે. મને એ જાણીને ખુશી થઈ રહી છે કે આજે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની સાથે અમે માલદીવમાં આ ડિજિટલ સંશોદન લાવવાની દિશામાં પહેલું કદમ ભર્યું છે. હું બંને પક્ષોના સ્ટેકહોલ્ડરોને શુભકામનાઓ આપું છું અને આશા કરું છે કે અમે ટૂંક સમયમાં UPI લેવડદેવડ જોઈ શકીશું. એનાથી પર્યટન ક્ષેત્રે બહુ સકારાત્મક અસર પડશે. પર્યટન માલદીવ માટે આર્થિક કામગીરીનો મુખ્ય સ્રોત છે.

 

વાયનાડ : PM મોદીએ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે કેરળ પહોંચ્યા હતા. વડાપ્રધાન વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. તે પીડિતોને પણ મળશે. પીડિતો જ્યાં રોકાયા છે તે રાહત કેમ્પની વડાપ્રધાન મોદી મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ પીએમ હોસ્પિટલની મુલાકાત પણ લેશે. કેરળ પહોંચ્યા બાદ પીએમ મોદીએ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. પીએમ મોદી સાથે સીએમ પિનરાઈ વિજયન પણ હાજર હતા. તેમણે પુંચીરીમટ્ટમ, મુંડક્કાઈ અને ચુરલમાલાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું.

પીએમ મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમને બચાવ કામગીરીની માહિતી આપવામાં આવી હતી. પીએમ મોદી સાથે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ હાજર હતા.

ભૂસ્ખલનમાં 400થી વધુ લોકોના મોત થયા

30 જુલાઈના રોજ, ભારે વરસાદને પગલે વાયનાડના ચુરામાલા અને મુંડક્કાઈમાં ભૂસ્ખલન થયું હતું. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકોના મોત થયા હતા.