મુંબઈ: ફિલ્મ નિર્દેશક એમ. મોહનના નિધન બાદ સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. પીઢ તમિલ ફિલ્મ નિર્માતા દિલ્લી બાબુનું સોમવારે 50 વર્ષની વયે અવસાન થયું છે. દિલ્લી બાબુનું 9 સપ્ટેમ્બરે સવારે ચેન્નઈમાં અવસાન થયું છે. અડધી રાત્રે તેમણે દેહ છોડી દીધો હતો. તેમના આકસ્મિક નિધનથી સમગ્ર તમિલ ફિલ્મ ઉદ્યોગમાં આઘાતનો માહોલ છે. તેમના પાર્થિવ દેહને ચેન્નાઈના પેરુંગાલથુર ખાતેના તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા છે. નિર્માતા દિલ્લી બાબુને તાજેતરમાં જ વય સંબંધિત બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ ઘણા મહિનાઓથી સારવાર હેઠળ હતા.

દિગ્ગજ ફિલ્મ નિર્માતાના નિધનના સમાચાર સાંભળીને મનોરંજન ઉદ્યોગ તેમના નિધન પર શોકમાં છે. દિલ્લી બાબુ છેલ્લા કેટલાક સમયથી ઉંમર સંબંધિત બિમારીથી પીડિત હતા. માત્ર 50 વર્ષની ઉંમરે તેમણે તમિલ સિનેમાને અલવિદા કહ્યું અને તેમના નિધનના સમાચારે તેમની સાથે નજીકથી કામ કરનારા લોકો સહિત દરેકને આઘાત પહોંચાડ્યો. સેલિબ્રિટી, નિર્દેશકો અને સહકર્મીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે. તેના ચાહકો અને મિત્રો સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
With a heavy heart, we announce the untimely passing of Mr. G.Dilli Babu sir, the esteemed producer and visionary founder of Axess Film Factory. pic.twitter.com/DBcStBbLZy
— Axess film factory (@AxessFilm) September 9, 2024
દિલ્લી બાબુએ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું
દિલ્લી બાબુનું 9 સપ્ટેમ્બર, 2024 ના રોજ સવારે ચેન્નાઈમાં અવસાન થયું. તેની પ્રોડક્શન કંપની, એક્સેસ ફિલ્મ ફેક્ટરીએ તેના સત્તાવાર હેન્ડલ દ્વારા સમાચારની પુષ્ટિ કરી દિલ્લી બાબુનું અવસાન થયું છે. પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘આ મુશ્કેલ સમયમાં, અમે દરેકને વિનંતી કરીએ છીએ કે તેઓ તેમની પ્રાર્થનામાં તેમને અને તેમના પરિવારને યાદ રાખે.’
દિલી બાબુની હિટ ફિલ્મો
તેણે 2015માં ફિલ્મ ‘ઉરુમીન’થી નિર્માતા તરીકે ડેબ્યૂ કર્યું હતું. દિલી બાબુ દ્વારા નિર્મિત કેટલીક પ્રખ્યાત ફિલ્મોમાં વિષ્ણુ વિશાલની ‘રત્સાસન’, આધી ની ‘મરાગાધ નાન્યામ’, અરુલ્નિથની ‘ઇરાવુક્કુ આયરમ કાંગલ’, અશોક સેલ્વનની કેટલીક ફિલ્મ સામેલ છે.





લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે, “ભારતના યુવાનો અપાર તકોના ચોક પર ઊભા છે અને રિલાયન્સ ફાઉન્ડેશન અને NSDC વચ્ચેનો સહયોગ તેમને ભવિષ્યની નોકરીઓને લઈને સશક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલું છે. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડેમીનો પ્રારંભ આ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. કૌશલ્યમાં રોકાણ કરીને આપણે માત્ર એક મજબૂત કાર્યબળનું નિર્માણ જ નથી કરી રહ્યા પરંતુ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે તૈયાર નવી પેઢીને પણ ઘડી રહ્યા છીએ.”
ઝડપથી વિકસતા રોજગાર જગતમાં કૌશલ્યના ભાવિ તરફ ધ્યાન દોરતા રિલાયન્સ ફાઉન્ડેશનના સી.ઈ.ઓ. જગન્નાથ કુમારે જણાવ્યું, “યુવાનોને તેમની આકાંક્ષાઓ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવવું એ રિલાયન્સ ફાઉન્ડેશનની મુખ્ય વિચારધારાનો એક ભાગ છે. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડમી તે આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા અને ભવિષ્યની નોકરીઓ માટે યુવાનોને તૈયાર કરવા માટેનું એક પગલું છે.”
રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડમી (
રિલાયન્સ ફાઉન્ડેશન અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) એ પ્લેટફોર્મ પર વિકસિત ભાવિ-લક્ષી કૌશલ્ય અભ્યાસક્રમોની પહોંચ અને અસરને વધારવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડેમીમાં સહયોગ કરવા સંમત થયા છે, જેનાથી સ્કિલ ઈન્ડિયા મિશનને સમર્થન મળશે. સાથે મળીને કામ કરીને બંને સંસ્થાઓ એ સુનિશ્ચિત કરશે કે આ અભ્યાસક્રમો દેશભરની AICTE સાથે સંલગ્ન ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે સુલભ બને અને તેમની રોજગાર ક્ષમતા અને ભાવિ કર્મચારીઓની તૈયારીમાં નોંધપાત્ર વધારો કરે.
સમગ્ર ગુજરાતમાં 11 લાખ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લેનાર રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જામનગર રોડ ઉપર રૂપિયા ૩૦૦ કરોડનાં માતબર ખર્ચે ૧૪૦૦ રૂમમાં, ૫૦૦૦ નીરાધાર-બીમાર-પથારીવશ વડીલો માટે એક નવા સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલ આ સંસ્થા 600 જેટલા વૃદ્ધોને આશરો આપી રહી છે. અહીં નિવાસ, ભોજન અને તબીબી સારવાર સહિતની વ્યવસ્થા આપવામાં આવે છે. ગુજરાતભરમાંથી વૃદ્ધો અહીં આશરો લેવા આવે છે. હવે આ સંસ્થા વધુ વૃદ્ધોને સમાવી શકાય તે માટે જામનગર રોડ ઉપર 30 વીઘા જમીનમાં નવા પરિસરનું નિર્માણ કરી રહી છે.
મોરારીબાપુની કથામાં દરરોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. સૌરાષ્ટ્રનાં વિવિધ ગામો અને શહેરોમાંથી વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી વધુ લોકો કથાનો લાભ લઇ શકે. વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. સંસ્થાના અગ્રણીઓ વિજયભાઈ ડોબરિયા અને મિલનભાઇ ખેતાણીએ જણાવ્યું હતું કે, “રાજકોટમાં યોજાનાર રામકથાની સૌથી મોટી ખાસિયત તો એ છે કે આ કથા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે. કથામાં વિદેશથી પણ દસ હજાર રામકથા પ્રેમીઓ આવશે.”
કથા દરમિયાન પર્યાવરણ જતન, જીવનમાં વૃક્ષોના મહત્ત્વ અંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કથામાં જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃદ્ધાશ્રમનાં વૃદ્ધોની સેવા-ચાકરી, નવા પરિસરના નિર્માણ અને વૃક્ષારોપણ પ્રવૃતિના વિકાસ માટે વાપરવામાં આવશે. જે કોઈ કથામાં આવશે તેને તુલસી સહિતના રોપા અને ચકલીના માળા, બર્ડ ફીડરનો પ્રસાદ પણ આપવામાં આવશે.
આરોગ્ય મંત્રાલયે રવિવારે દિલ્હીમાંથી શંકાસ્પદ કેસ મળ્યો હોવાની માહિતી આપી હતી. આ વ્યક્તિ વિદેશથી ભારત આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. હાલ તેની સ્થિતિ સ્થિર છે, તેમ સરકારે જણાવ્યું છે. આરોગ્ય મંત્રાલયની જાહેરાતમાં કહેવાયું છે કે, શંકાસ્પદ દર્દીને ખરેખર મંકીપોક્સનો ચેપ લાગ્યો છે કે નહીં, તે જાણવા સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ અગાઉ મંકીપોક્સ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. આ ગંભીર બિમારીના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થઈ ચુક્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલની હાલની વસ્તી, આજુબાજુના ગામો તથા તાલુકા જિલ્લાના બાયપાસ તેમજ શહેરના ટ્રાફિક સાથોસાથ આવનારા વર્ષોના વિકાસને ધ્યાનમાં લઈને આ બે નવા બ્રિજ ફોરલેન બનાવવાના દિશા નિર્દેશો પણ આપ્યા છે.