Home Blog Page 1443

કોણ છે સોનમ વાંગચુક, દિલ્હી પોલીસે કેમ 150 લોકોને કર્યા ડિટેન?

લદ્દાખને પૂર્ણ રાજ્ય માનવાની માગ સાથે સોનમ વાંગચુક સહિત લગભગ 150 લોરો મંગળવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. લદ્દાખથી લગભગ 700 કિલોમીટરનું કૂચ કરીને દિલ્હી પહોંચેલા ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક સહિત 150 લોકોની અટકાયત કરવામાં આવી હતી. અટકાય બાદ તેમણે દિલ્હીના વાંગચુક પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે અનિશ્ચિત સમય માટે અનસન શરૂ કર્યા. પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાંગચુક દિલ્હી બોર્ડર પર રાત વિતાવવા માંગતા હતા. જ્યારે કૂચ કરી રહેલા લોકોને પાછા જવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ આંદોલન કારીની અસહેમતી મળતા પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

શું છે મામલો ?

5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને પૂર્ણ રાજ્યનો દરજ્જો ખતમ કરી દીધો હતો. આ પછી જમ્મુ અને કાશ્મીર અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું. જ્યારે લેહ અને કારગીલને જોડીને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું. જે બાદ લેહ અને કારગીલના લોકો રાજકીય રીતે નિરાશા અનુભવવા લાગ્યા. તેમણે કેન્દ્ર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ છેલ્લા 4 વર્ષથી લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે. આ સંદર્ભે, એક મહિના પહેલા લગભગ 150 લોકો લેહથી દિલ્હીમાં બાપુની સમાધિ સ્થળ સુધી પદયાત્રા કરી રહ્યા હતા. મંગળવારે મોડી રાત્રે દિલ્હી પોલીસે તેમને રોક્યા હતા. પાછલા બે વર્ષમાં પૂર્ણ રાજ્યના દરજ્જા અને બંધારણીય સુરક્ષાની માગ સાથે અનેક વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. કેન્દ્રએ માંગણીઓ પર વિચાર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. જોકે, વિરોધીઓ સાથે વાતચીત સફળ થઈ ન હતી. 4 માર્ચના કેન્દ્રય ગૃહ મંત્રી અમિત શાહ સાથેની વાતચીતમાં જાણવા મળ્યુ કે સરકાર તેમની માગનો અસ્વીકાર કર્યો છે. જેના બે દિવસ પછી વાંગચુકે લેહમાં ઉપવાસ શરૂ કર્યા.

કોણ છે સોનમ વાંગચુક?

સોનમ વાંગચુક એક એજ્યુકેશનિસ્ટ અને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ છે. જેમનો જન્મ 1 સપ્ટેમ્બર 1966ના રોજ લદ્દાખના અલ્ચીમાં થયો હતો. તેઓ સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL)ના સ્થાપક-નિર્દેશક છે. 1993 થી 2005 સુધી વાંગચુકે લદ્દાખના એકમાત્ર મુદ્રિત મેગેઝિન લેન્ડેગ્સ મેલોગની સ્થાપના કરી અને તેના સંપાદક તરીકે સેવા આપી. સોનમ SECMOL કોમ્પ્લેક્સ ડિઝાઇન કરવા માટે પણ જાણીતી છે જે સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલે છે અને રસોઈ, લાઇટિંગ અથવા હીટિંગ માટે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ કરતી નથી. સરકારી શાળા પ્રણાલીમાં સુધારા માટે સરકાર, ગ્રામીણ સમુદાયો અને નાગરિક સમાજના સહયોગથી 1994માં “ઓપરેશન ન્યુ હોપ” શરૂ કરવાનો શ્રેય પણ સોનમ વાંગચુકને મળ્યો છે. સોનમ વાંગચુકને 2017માં ગ્લોબલ એવોર્ડ ફોર સસ્ટેનેબલ આર્કિટક્ચર પણ મળ્યો છે.

વાંગચુકે કરેલા આંદોલન

વાંગચુકે તેની અટકાયત પછી X પર એક પોસ્ટ શેર કરી. જેમાં તેણે કહ્યું- મને દિલ્હીની બોર્ડર પર અટકાયતમાં લેવામાં આવ્યો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે અહીં 1,000 પોલીસકર્મીઓ છે. અમારી સાથે ઘણા વડીલો છે. આપણા નસીબમાં શું લખ્યું છે તેની આપણને ખબર નથી. અમે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને લોકશાહીની માતામાં બાપુની સમાધિ સુધી શાંતિપૂર્ણ કૂચ પર હતા. હે રામ.

આ આગાઉ પણ માર્ચ 2024માં સોનમે 21 દિવસની ભૂખ હડતાલ કરી હતી. ભૂખ હડતાલ ખતમ કર્યા બાદ સોનમ વાંગચુકે કહ્યું હતું – આ આંદોલનનો અંત નથી, પરંતુ એક નવી શરૂઆત છે. જ્યાં સુધી અમારે અમારી માંગણીઓ માટે આંદોલન કરવું પડશે, અમે તેમ કરીશું.

વિપક્ષની પ્રતિક્રીયા

દિલ્હીના સીએમ આતિશીએ કહ્યું છે કે તે જલ્દી જ સોનમ વાંગચુકને મળવા જશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું- મોદીજી, કિસાન બિલની જેમ આ ચક્રવ્યુહ અને તમારો અહંકાર પણ તૂટી જશે. તમારે લદ્દાખનો અવાજ સાંભળવો પડશે.

સોમનાથ મંદિરની આસપાસ બુલડોઝર એક્શનનો મામલો SC પહોંચ્યો

નવી દિલ્હીઃ ગુજરાતના સોમનાથ મંદિરની આસપાસનો ગેરકાયદે બાંધકામ પર હાલમાં બુલડોઝર એક્શનનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. પટની મુસ્લિમ સમાજે કોર્ટમાં તિરસ્કાર અરજી દાખલ કરી છે. આ અરજીમાં સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓની વિરુદ્ધ અનાદરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ અરજીમાં દરગાહ મંગરોલી શાહ બાબા, ઇદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથમાં સ્થિતિ અનેક ગેરકાયદે બાંધકામોનો હવાલો આપવામાં આવ્યો હતો. આ તિરસ્કાર અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના બુલડોઝર એક્શન પર રોકના આદેશ પછી મોટા પાયે તોડફોડ કરવામાં આવી હતી.

કોર્ટમાં દાખલ અનાદર અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરતાં ગુજરાતના સોમનાથમાં સદીઓ જૂની મસ્જિદો, મકબરાઓ અને ટ્રસ્ટીઓનાં ઘરો ગેરકાયદે રીતે તોડી પાડવામાં આવ્યાં છે. જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની ખંડપીઠે બુલડોઝરથી વિધ્વંસની વિરુદ્ધ અરજીની સુનાવણી કરશે. કોર્ટે હજી થોડા દિવસ પહેલાં બુલડોઝર એક્શન પર સ્ટે ઓર્ડર આપ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર પાસે કથિત રીતે સરકારી જમીન પર દબાણ હટાવવા માટે 28 સપ્ટેમ્બરે ચલાવવામાં આવેલા અભિયાન દરમિયાન 135 લોકોની અટકાયતમાં લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લા તંત્રએ એક નિવેદનમાં કહ્યું હતું કે સોમનાથ મંદિર સ્થળ નજીક સરકારી જમીન પર ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે હજારો પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

મુંબઈ: ડોમ્બિવલીમાં પ્રેક્ષકોએ માણ્યો મરાઠી-ગુજરાતી નાટ્ય આદાન-પ્રદાન કાર્યક્રમ

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી છેવાડાના ગુજરાતી ભાવક સુધી પહોંચવા હંમેશાં પ્રયત્નશીલ રહે છે. ગત રવિવારે ડોમ્બિવલીના તિલકનગર સ્કૂલના હોલમાં છ ગુજરાતી તથા મરાઠી કલાકારોએ તેમના અભિનયથી પ્રેક્ષકોને નાટ્યઘેલા કર્યા હતાં.

ડોમ્બિવલી ખાતે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા “મરાઠી – ગુજરાતી, નાટ્ય આદાન – પ્રદાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રજવલનથી કાર્યક્રમની શરૂઆત બાદ મરાઠીમાં નટરાજ વંદન અને ગુજરાતીમાં ગણેશ પ્રાર્થના ભવાઈ સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી.

સુજાતા મહેતા

બન્ને ભાષાના નાટકોના આદાન – પ્રદાન બાબત ૐકાર કલા મંડળના દુર્ગારાજ જોશી અને નાટ્યકાર સતીશ વ્યાસે પ્રાસ્તાવીક રજૂ કર્યું હતું. ત્યાર બાદ બન્ને ભાષાનાં અનુવાદીત નાટકોનાં દ્રશ્યો પ્રેક્ષકો સમક્ષ રજૂ થયાં હતાં.’નટસમ્રાટ’નો અંશ પ્રવીણકુમાર વ્યાસે તથા ‘શાંતતા કોર્ટ ચાલુ આહે’નો નાટ્યઅંશ નિખિલા ઇનામદારે રજૂ કર્યો હતો. ‘અભિનય સમ્રાટ’ નો અંશ સતીશ વ્યાસે ‘રાયગડાલા જેવ્હા જાગ યેતે’નો અંશ રમેશ ભિડેએ તથા ‘ચિત્કાર’નો નાટ્યઅંશ સુજાતા મહેતાએ રજૂ કર્યો હતો.

પ્રવીણકુમાર વ્યાસ તથા નિખિલા ઇનામદાર

‘અધાંતર’ નો અંશ નિખિલા ઇનામદારે,’સંતુ રંગીલી’નો સુજાતા મહેતાએ સ્ટેજ પર રજૂ કર્યો હતો. જ્યારે ‘તી ફુલરાણી ‘નો અંશ ડૉ. મોનિકા ઠક્કરે રજૂ કર્યો હતો.કલ્યાણના નાટ્યકર્મી અશ્વિન દેરાસરી અને ડૉક્ટર સૂચકજી તથા મરાઠી નાટ્યકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની પરિકલ્પના અકાદમીના સદસ્ય નિરંજન પંડયાની હતી.આપણી ગૌરવશાળી ભૂતકાળ ધરાવતી રંગભૂમિના આદાન પ્રદાનને રજૂ કરતા આવા કાર્યક્રમ અવારનવાર થવા જોઈએ એવી લાગણી શ્રોતાઓએ વ્યક્ત કરી હતી.

ધાર્મિક ઇમારતો લોકોની જિંદગીમાં અડચણ ના બની શકેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલી બુલડોઝર એક્શનની વિરુદ્ધ દાખલ જમિયત ઉલેમા એ હિંદની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. પાછલી સુનાવણી દરમ્યાન કોર્ટે બુલડોઝર કાર્યવાહી કરવા પર સ્ટે મૂકતાં કહ્યું હતું કે માત્ર જાહેર સ્થળોએ અતિક્રમણને દૂર કરવાની છૂટ હશે.

જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે.  કોર્ટે રસ્તાઓ, ફૂટપાથ અને રેલવે લાઇનના ગેરકાયદેર અતિક્રમણ પર કાર્યવાહીને થવી જ જોઈએ.

આ. સુનાવણીમાં SG તુષાર મહેતાએ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. એમ પણ કહ્યું હતું કે એક ચોક્કસ સમુદાય પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થયા છે. જે ખોટા છે.

જસ્ટિસ ગવઈએ કહ્યું  હતું કે મંદિર હોય કે દરગાહ, તેને હટાવવાનું યોગ્ય રહેશે, કારણ કે જાહેર સુરક્ષા સૌથી પહેલાં આવે છે. તેમણે કહ્યું હતું કે વિધ્વંસ માત્ર એટલે ના કરી શકાય કે કોઈ વ્યક્તિ આરોપી કે દોષી છે. અમે કોર્ટોને ગેરકાયદે બાધકામ કેસોની સુનાવણી કરતાં સતર્ક રહેવાનો નિર્દેશ આપીશું.  જસ્ટિસ વિશ્વનાથને કહ્યું હતું કે વિધ્વંસની સંખ્યા આશરે 4.5 લાખ છે. જેના પર SGએ કહ્યું હતું કે આ મારી વાસ્તવિક ચિંતા છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે જો કાર્યવાહી બે અઠવાડિયાં સુધી રોકવામાં આવશે તો આકાશ નહીં તૂટે.

જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે અમે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જાહેર રસ્તાઓ, જળાશયો, રેલવે લાઈનો, મંદિર હોય કે દરગાહ, પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવશે. જાહેર સલામતી મોખરે છે.

લેબેનોનમાં ઇઝરાયેલી સેનાઃ હિજબુલ્લાનાં અનેક સ્થાનોનો ખાતમો

નવી દિલ્હીઃ ઇઝરાયેલે હિઝબુલ્લાને સંપૂર્ણ રીતે ખતમ કરવાની યોજના બનાવી છે. હવે દક્ષિણી લેબેનોનમાં ઇઝરાયેલી ડિફેન્સ સેનાએ (IDF) ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દીધું છે. ઇઝરાયેલ તરફથી અમેરિકાને આ માહિતી આપવામાં આવી છે. IDF ઇઝરાયેલી સરહદની નજીક હિજબુલ્લાનાં સ્થાનોને નિશાન બનાવી રહી છે.

IDFએ જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાની સ્થિતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા સરહદ સાથેનાં ગામોમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. આ હુમલાઓ ગુપ્ત માહિતીને આધારે કરવામાં આવી રહ્યા છે. આમાં ઈઝરાયલની એરફોર્સ તેમની મદદ કરી રહી છે.અમેરિકાના વિદેશ મંત્રી લોયડ ઓસ્ટિને કહ્યું હતું કે જો ઈરાન ઈઝરાયલ પર હુમલો કરશે તો તેનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા અનુસાર 2006 પછી આ પ્રથમ વખત છે જ્યારે ઇઝરાયલની સેના લેબનનમાં પ્રવેશી છે. ત્યાર બાદ ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે 33 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, જેમાં 1100થી વધુ લેબનીઝ માર્યા ગયા હતા. તે જ સમયે ઇઝરાયલના 165 લોકો મૃત્યુ પામ્યા હતા.

ઇઝરાયલની સેનાએ લેબેનોનના દૌદિયા શહેરમાં એક ઘર પર બોમ્બમારો કર્યો હતો, જેમાં 10 લોકોનાં મોત થયા છે. પાંચ લોકો ઘાયલ પણ થયા છે. આ હુમલામાં માર્યા ગયેલા તમામ લોકો એક જ પરિવારના છે.

આ પહેલાં ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગેલેંટ 30 સપ્ટેમ્બરે લેબેનોન સરહદ પાસે સૈનિકોને મળ્યા હતા. ગેલેંટે કહ્યું કે જે પણ કરવાની જરૂર છે, એ અમે કરીશું. અમે આકાશ, જળ અને જમીન દ્વારા દુશ્મનોને હરાવવા માટે અમારી પૂરી તાકાત લગાવી દઈશું.લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 95 લોકો માર્યા ગયા હતા. 172 લોકો ઘાયલ પણ થયા છે. આ પહેલાં રવિવારે ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 105 લોકો માર્યા ગયા હતા.

વગર ભણ્યે બમણી સંધ્યા

    વગર ભણ્યે બમણી સંધ્યા

 

માણસમાં અક્કલ ઓછી હોય અને તેમાંય ભણતર એટલે કે કેળવણીનો લગભગ અભાવ હોય ત્યારે પોતાની જાતને પુરવાર કરવા માટે કોઈ પણ વસ્તુમાં જે જરૂરી હોય એના કરતાં વધારે વખત અથવા સામગ્રી અથવા ખર્ચો એ કરે છે. સવાર બપોર ને સાંજ – એમ ત્રણ વખત સંધ્યા કરીએ એને ત્રિકાળ સંધ્યા કહેવાય.

એ ત્રણ વખત જ થાય, વધારે વખત ન થાય. પછી પેલો ઓછું ભણેલો પોતાના ઉત્સાહમાં ત્રણ ને બદલે છ વખત સંધ્યા કરે તો એનો કોઈ અર્થ નથી. આવડત ઓછી હોય ત્યારે સમજ વગર મજૂરી કરી શક્તિ અને સંસાધનો વેડફવાની પરિસ્થિતી આ કહેવત થકી ઉજાગર થાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

પોતાની જ બંદૂકથી ગોવિંદાને વાગી ગોળી, હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: બોલિવૂડ એક્ટર અને શિવસેનાના નેતા ગોવિંદાને આજે સવારે 5 વાગ્યાની આસપાસ ગોળી લાગી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ ગોળી બીજા કોઈએ ચલાવી ન હતી પરંતુ તેમનાથી આકસ્મિક રીતે તેની લાઇસન્સવાળી બંદૂકથી વાગી હતી. બંદૂક અચાનક પડી જવાને કારણે તેમને પગમાં ગોળી વાગી હતી, જેના કારણે ઘણું લોહી વહી ગયું હતું અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે અભિનેતા સવારે ઘરેથી કોલકાતા જવા માટે નીકળી રહ્યા હતા. હાલમાં ગોવિંદા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સર્જરી બાદ ગોળી કાઢી નાખવામાં આવી છે. હવે અભિનેતાનું નિવેદન પણ સામે આવ્યું છે.

ગોવિંદાએ એક નિવેદન બહાર પાડ્યું

ગોવિંદાએ ધ્રૂજતા અવાજમાં પોતાનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું, ‘હેલો, નમસ્કાર, હું ગોવિંદા છું, તમારા આશીર્વાદ, માતા-પિતાના આશીર્વાદ અને ગુરુની કૃપાથી હું ઠીક છું, મને ગોળી વાગી હતી પરંતુ હવે તેને દૂર કરી દેવામાં આવી છે. હું અહીંના ડૉક્ટરનો, આદરણીય ડૉ. અગ્રવાલ જીનો આભાર માનું છું અને તમારી પ્રાર્થનાઓ માટે આપ સૌનો આભાર માનું છું.’

ગોવિંદા પીડામાં છે
આ ઓડિયો સાંભળ્યા પછી તમે સમજી જ ગયા હશો કે ગોવિંદા અત્યારે ખૂબ જ પીડામાં છે. તેના અવાજમાં તેની પીડા સ્પષ્ટ દેખાય છે. તેણે આવા સમયે તેના માટે પ્રાર્થના કરનારા ચાહકોનો આભાર માન્યો છે. ગોવિંદા તેની પુત્રી ટીના હોસ્પિટલમાં હાજર છે. હાલમાં ગોળી કાઢી લીધા બાદ તેને ICUમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ હવે આ મામલાની તપાસમાં લાગી ગઈ છે. પોલીસે ગોવિંદાની બંદૂક પણ જપ્ત કરી લીધી છે. તમને જણાવી દઈએ કે અભિનેતાની સારવાર અંધેરીની ક્રિટી કેર હોસ્પિટલમાં ચાલી રહી છે.

ગોવિંદા એક અદ્ભુત અભિનેતા

અભિનેતામાંથી રાજકારણી બનેલા ગોવિંદાએ ઘણી ફિલ્મોમાં પોતાની અસરકારક ભૂમિકાઓથી ચાહકોનું દિલ જીતી લીધું છે. ગોવિંદા તેના કોમિક ટાઈમિંગ અને સ્ટ્રીટ સ્ટાઈલ ડાન્સિંગ માટે જાણીતા છે. ગોવિંદાની સ્ટાઈલ અન્ય કલાકારો કરતા એકદમ અલગ રહી છે. તેમણે પોતાની અભિનય કારકિર્દીમાં સફળ ફિલ્મોની શ્રેણી બનાવી હતી. બેક ટુ બેક હિટ ફિલ્મો આપનાર ગોવિંદાએ ‘કુલી નંબર 1’, ‘હસીના માન જાયેગી’, ‘સ્વર્ગ’, ‘સાજન ચલે સસુરાલ’, ‘રાજા બાબુ’, ‘રાજાજી’, ‘પાર્ટનર’ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. . અભિનેતા ઘણા વર્ષોથી ફિલ્મોથી દૂર છે અને હવે રાજકારણમાં સક્રિય છે. તેઓ હાલમાં જ શિવસેનામાં જોડાયા છે.

૦૧ ઓક્ટોબર ૨૦૨૪

‘દિલ તો પાગલ હૈ’ માં ઉત્તમ સિંહે શ્રેષ્ઠ સંગીત આપ્યું

પહેલી જ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ (1997) થી સ્વતંત્ર સંગીતકાર તરીકે લોકપ્રિય થનાર ઉત્તમ સિંહની જગદીશ ખન્ના સાથેની પહેલી ફિલ્મ મનોજકુમાર સાથેની ‘પેઇન્ટર બાબૂ’ (1983) હતી. એમાં ઉત્તમ-જગદીશની જોડીમાં સંગીત આપ્યું હતું. એમણે ક્લર્ક, વારિસ, પાંચ ફૌલાદી,  તીસરા કિનારા વગેરે ફિલ્મોમાં સાથે કામ કર્યું. પરંતુ જગદીશ ખન્નાનું અવસાન થઈ જતાં ઉત્તમ સિંહને લાગ્યું કે એમની કારકિર્દી ખતમ થઈ ગઈ. તે એકલા કામ કરવા લાગ્યા હતા. ભજનના પ્રાઈવેટ આલબમ કે અન્ય કામ કરી લેતા હતા.

દરમિયાનમાં મદન મોહનના પુત્ર સંજીવ કોહલીએ એમને કહ્યું કે એક ટેલીફિલ્મ માટે સંગીત આપવાનું છે. એ માટે ધૂન તૈયાર કરવાની છે. ઉત્તમ સિંહે હા પાડી અને ત્રણ- ચાર ગીતોની ધૂન તૈયાર કરી આપી. સંજીવને એ પસંદ આવ્યા અને એમણે કહ્યું કે આ ગીતો યશ ચોપડાને સંભળાવીએ. ત્યારે સંજીવે એમ કહ્યું ન હતું કે આ ગીતો યશજીની ફિલ્મ માટે છે. તેઓ જ્યારે યશ ચોપડા પાસે ગયા ત્યારે એમણે પોતાના પરિવાર સાથે બેસીને એ ચાર ગીતોની ધૂન સાંભળીને ખુશ થઈ કહ્યું કે તમારી પાસે હજુ બીજી ધૂનો છે? ત્યારે ઉત્તમ સિંહે ના પાડી. યશજીએ પૂછ્યું કે,‘તમે બીજી ધૂન બનાવી શકો છો?’ ઉત્તમ સિંહે હા પાડી. અને એમની બેઠકોનો દોર શરૂ થઈ ગયો.

યશજી સાથે છ મહિના સુધી વિવિધ ધૂન પર કામ થયું. જ્યારે યશજીએ એમને જોઈતા ગીતોની ધૂન પસંદ કરી લીધી ત્યારે ઉત્તમને કહ્યું કે તમે કોઈ ટેલીફિલ્મ નહીં પણ મારી ફિલ્મ કરી રહ્યા છો. અને એ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ હતી. ઉત્તમ સિંહને નવાઈ લાગી કે આટલી મોટી ફિલ્મ એમને મળી છે. પણ જ્યારે યશજીએ કહ્યું કે ફિલ્મના ગીતો આનંદ બક્ષી લખવાના છે ત્યારે ઉત્તમ સિંહને આંચકો લાગ્યો હતો. એમને આનંદ બક્ષી પસંદ ન હતા. કેમકે જ્યારે તેઓ ઉત્તમ-જગદીશની જોડીમાં કામ કરતા હતા ત્યારે બે ફિલ્મો મળી હતી એ બક્ષીજીને કારણે ગુમાવવી પડી હતી. તેથી ઉત્તમે કહી દીધું કે બક્ષીજી સાથે કામ કરવાની મજા આવશે નહીં અને એમના ઘરે એ જઈ શકશે નહીં. યશજીએ કહ્યું કે તમારે એમને ત્યાં જવાની જરૂર નથી. એ અહીં આવશે.

બક્ષીજી યશજીને ત્યાં આવ્યા અને ગીતો માટે એમને ફિલ્મની વાર્તા સંભળાવી. ત્યારે બક્ષીજીએ યશજી અને આદિત્યને કહ્યું કે તમારી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ (1995) ની વાર્તા એટલી સારી હતી કે એમાં સંગીત સારું ના હોત તો પણ ચાલી ગઈ હોત. પણ ‘દિલ તો પાગલ હૈ’ એવી ફિલ્મ છે જેમાં સંગીત સારું નહીં હોય તો લોકો એને જોશે નહીં. એ સાંભળી ઉત્તમ સિંહ અવાક રહી ગયા. યશજીએ કહ્યું કે અમે સારું સંગીત તૈયાર કરીશું. અને આનંદ બક્ષીએ ગીતો લખવા હા પાડી દીધી. ઉત્તમ સિંહે એક મુલાકાતમાં કહ્યું છે કે જો યશજીની જગ્યાએ બીજા કોઈ નિર્માતા હોત તો ત્યાં જ સંગીતકાર બદલાઈ ગયા હોત. ઉત્તમ સિંહે અરે રે અરે યે ક્યા હુઆ, ઢોલના, ટાઇટલ ગીત વગેરે એક એકથી ચઢિયાતા ગીતો તૈયાર કર્યા. ફિલ્મ સફળ રહી અને ઉત્તમ સિંહને શ્રેષ્ઠ સંગીતકારના અનેક એવોર્ડ મળ્યા હતા.

પંચાંગ 01/10/2024