Home Blog Page 1442

અહો આશ્ચર્યમઃ આ પરિવારની વાર્ષિક આવક માત્ર રૂ. બે, જાણો…

નવી દિલ્હીઃ સરકારી કામકાજમાં કેટલું રેઢિયાળપણું ચાલી રહ્યું છે, એનો વધુ એક નમૂનો મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં સામે આવ્યો છે. આ જિલ્લાના બંડા તહેસીલ ઓફિસમાં એક એવું સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું છે, જેને જોઈને પગ નીચે જમીન સરકી જાય.

તહેસીલદારે એક આવક પ્રમાણપત્ર જારી કર્યું છે, જેમાં પરિવારની વાર્ષિક કમાણી માત્ર રૂ. બે દર્શાવવામાં આવી છે. આ સર્ટિફિકેટ જાન્યુઆરી, 2024માં બનાવવામાં આવ્યું હતું. હવે આ સર્ટિફિકેટ જિલ્લામાં વાઇરલ થયું છે. આવક સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરનાર શખસે વાર્ષિક રૂ. 40,000 લખી હતી, પરંતુ અધિકારીઓએ એને રૂ. 40,000ની જગ્યે માત્ર રૂ. બે લખી નાખ્યું હતું.

બંડા તહેસિલના ગ્રામ ઘૂઘરાના બલરામ ચઢારે લોકસભા કેન્દ્ર દ્વારા આવક સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરી હતી. ચઢારે આવક રૂ. 40,000 લખી હતી, પરંતુ આવક સર્ટિફિકેટ જે તેને મળ્યું હતું, એમાં માત્ર રૂ. બે વાર્ષિક આવક લખીને આવ્યું હતું.

સોશિયલ મિડિયામાં જ્યારે આ સર્ટિફિકેટ વાઇરલ થવા લાગ્યું, ત્યારે સરકારી અધિકારીઓની વચ્ચે હડકંપ મચી ગયો હતો. તહેસિલદાર મહેન્દ્ર સિંહ ચૌહાણે કહ્યું હતું કે મારી પોસ્ટિંગથી પહેલાં આ કેસ આવ્યો હતો. આવક સર્ટિફિકેટની તપાસ શરૂ થઈ છે. જો એમાં ફેરફાર નહીં થયો તો એને ઠીક કરવામાં આવશે. આ આવકનું સર્ટિફિકેટ બનતા સમયે કેટલાય અધિકારીઓએના હાથમાંથી પસાર થાય છે, જેમાં ક્લાર્કથી માંડીને તહેસિલદાર સામેલ છે. દરેક અધિકારી હસ્તાક્ષર કરીને ફાઇલ આગળ મોકલે છે. પીડિત પરિવારનું કહેવું છે કે એ ગરીબ જરૂર છે, વહીવટી તંત્રએ તેને મહા ગરીબ બનાવી દીધો છે.

અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. જેમાં નવરાત્રિના પ્રારંભમાં અમિત શાહ ગુજરાત આવશે. 3 અને 4 ઓક્ટોબર બે દિવસના પ્રવાસે આવશે. માણસા ખાતે કુળદેવી બહુચર માતાજીના દર્શન કરશે. પરિવાર સાથે બહુચર માતાના મંદિરે આરતી-પૂજા કરશે. તેમજ ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. જેમાં અમિત શાહ અડાલજમાં આરોગ્ય ધામનું લોકાર્પણ કરશે.

3 તારીખે સાણંદ ધારાસભ્યના કાર્યાલયને ખૂલ્લું મુકશે. તથા બપોરે 12 કલાકે કનુ પટેલના કાર્યાલયને ખૂલ્લું મુકશે. તેમજ 3 તારીખે અમદાવાદ CP કચેરીનું લોકાર્પણ કરશે. ભાડજની શાળાનું લોકાર્પણ સાથે જાહેર સભાનું આયોજન છે. 3 તારીખે અમદાવાદ GMDC ખાતે અમિત શાહ હાજર રહેશે. વાઈબ્રન્ટ નવરાત્રીના કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેશે. અમદાવાદ મનપાના કરોડોના પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે. 4 તારીખે ADC બેંકના કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે. તેમાં સવારે 11 કલાકે ADC બેંકના કાર્યક્રમમાં હાજરી આપશે. 4 તારીખે સાંજે અમિત શાહ માણસા કુળદેવીના દર્શને જશે.

સંસદીય વિસ્તારના અન્ય વિકાસકાર્યોમાં હાજરી આપશે. જેમાં ગાંધીનગર લોકસભામાં વિવિધ જાહેર કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. તેમજ અડાલજ ખાતે નવનિર્મિત આરોગ્ય ધામના લોકાર્પણ તથા ૩ તારીખે બપોરે 12 કલાકે સાણંદ ધારાસભ્ય કનું પટેલના કાર્યાલયને ખુલ્લું મૂકશે. તેમજ અમદાવાદ કોર્પોરેશનના કરોડોના પ્રોજેક્ટના ખાત મુહર્ત કરશે. 4 તારીખે સવારે 11 કલાકે ADC બેંકની સ્વર્ણિમ શતાબ્દી કાર્યક્રમમાં હાજરી આપશે. તથા સાંજે માણસા કુળદેવીના દર્શને જશે તથા સંસદીય વિસ્તારના અન્ય વિકાસકાર્યોમાં પણ હાજરી આપશે.

નવરાત્રિને લઈ અમદાવાદ પોલીસ તંત્ર સજ્જ, 14000 જવાન રહેશે સ્ટેન્ડ બાય

અમદાવાદ: નવરાત્રિના આડે બે દિવસ છે. ત્યારે શહેરમાં નવરાત્રિને લઈ ખૈલેયા સાથે તંત્ર પણ સજ્જ છે. ત્યારે તહેવાર સમયે પોલીસી વ્યવસ્થા કેવી છે. એ મુદ્દે DCP કોમલ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે. જેમાં નવરાત્રિમાં કોમર્શિયલ ગરબા માટે 80 અરજી મળી હોવાની વાત કરવામાં આવી છે. નોન કોમર્શિયલ માટે સ્થાનિક કચેરીએ પરવાનગી મળે છે. આ ઉપરાંત તહેવારને લઈ પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત રહેશે. તથા શી ટીમમાં મહિલા અધિકારી, ટ્રાફિક જવાન હાજર રહેશે.

નવરાત્રિ મુદ્દે DCPએ નિવેદન આપતા કહ્યું કે ધ્વનિ પ્રદૂષણ ન થાય તે મુજબની ગાઇડલાઈનનું પાલન કરવાનું રહેશે. તેમજ વ્યસન કરી કોઈ ન આવે તે તકેદારી રાખવા સૂચના અપાઈ છે. એમ્બ્યુલન્સ સહિતની સુવિધા આયોજકોને રાખવા સૂચન કરવામાં આવ્યા છે. આયોજકો પાલન નહીં કરે તો આયોજન રદ્દ કરાશે. તેમજ 14000 પોલીસ જવાન નવરાત્રિમાં સ્ટેન્ડ બાય રહેશે. ટ્રાફિક વ્યવસ્થા ન બગડે તે માટે પણ પોલીસ ખડેપગે રહેશે. તેમજ cctv, એન્ટ્રી અને બહાર નિકળવાનો ગેટ અલગ, મહિલા પુરુષ એન્ટ્રી ગેટ અલગ, પાર્કિંગ વ્યવસ્થા, પાર્કિંગ વ્હિકલની વિગત સહિત તકેદારી રાખવા આયોજકોને સૂચના આપવામાં આવી છે. તેમજ એમ્બ્યુલન્સ સાહિતની સુવિધા આયોજકોને રાખવા સૂચના છે. ગાઈડલાઈન મુજબ અયોજકોએ પાલન નહી કર્યું હોય તો આયોજન રદ્દ કરવા અને પગલાં લેવાશે. તેમાં 14000 પોલીસ જવાબ નવરાત્રિમાં સ્ટેન્ડ બાય રહેશે. તથા ટ્રાફિક વ્યવસ્થા ન બગડે તે માટે પણ પોલીસ ખડેપગે રહેશે.

આ ઉપરાંત અમદાવાદ પોલીસે એક્સ પર પોસ્ટ કરી ખેલૈયાઓને સૂચના પણ આપી છે. જ્યાં કોઈ અજાણી વ્યક્તી આપણો ફોટો કે વિડીયો ના બનાવે તેનું ધ્યાન રાખવા સાથે, અજાણી વ્યક્તી સાથે ગરબા ન રમવા અને પોતાના સાચા લોકેશનની માહિતી પરિવાર જનો સાથે શેર કરી રાખાવા સૂચન કરવામાં આવ્યા હતા.

લર્નિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા થઈ સરળ, ઘરેથી આપી શકાશે પરીક્ષા

અમદાવાદ: સામાન્ય રીતે લોકોને લર્નિંગ લાઇસન્સ બનાવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. ઘણાં લોકોને તો 3-4 મહિના પછીની તારીખો આપાવમાં આવે છે. જોકે, હવે આ સમ  સ્યાનું સમાધાન મળી ગયું છે. લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે નાગરિકોએ હવે ધક્કા ખાવાની જરૂર નથી, પરંતુ ઘરે બેઠા જ લર્નિંગ એટલે કે કાચા લાઇસન્સની પરીક્ષા આપી શકાશે.

 

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર ITI અને WIAA સંસ્થામાં તો લાઇસન્સ પ્રક્રિયા ચાલુ જ રહેશે. પરંતુ, નવી સિસ્ટમમાં મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા હવે લોકો ઓનલાઈન જ પરીક્ષા આપી શકશે. ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ માટે parivahan.gov.in પર અરજી કરવી પડશે. જેના માટે તમારે રજિસ્ટ્રેશન કરાવી ફી ભરવાની રહેશે. રજિસ્ટ્રેશન ફી ભરતાની સાથે જ પરીક્ષાની તારીખ જનરેટ થશે. પરીક્ષામાં પૂછાતા 15 સવાલમાંથી 9 સવાલ સાચા હોવા જરૂરી છે. 9 સવાલોના સાચા જવાબ આપતા જ લર્નિંગ લાઇસન્સ જનરેટ થઈ જશે.

આરટીઓના આ નવા પરિવહન નિયમ 1 જૂન, 2024 થી લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમ હેઠળ, 18 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિને ડ્રાઇવિંગ માટે 25 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. જ્યારે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે દંડની રકમ 1000 થી 2000 રૂપિયાની વચ્ચે જ છે. આ સિવાય નવા નિયમ હેઠળ 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ ગાડી ચલાવશે તો ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવશે અને 25 વર્ષ સુધી નવું લાઇસન્સ આપવામાં નહીં આવે.

મલાડમાં યોજાયેલા મહિલા સશક્તિકરણ કાર્યક્રમની કેટલીક મહત્વની વાતો

મુંબઈ: મલાડમાં શ્રી એમ.ડી શાહ મહિલા કોલેજ ખાતે મહિલા સશક્તિકરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. અસ્મિતા યાજ્ઞિક, ડૉ. ઉર્વશી પંડ્યા અને ડૉ કલ્પના દવેએ અલગ અલગ યુગનાં સાહિત્યમાં સ્ત્રી સશક્તિકરણ કેવી રીતે આલેખાયું એ વિષે વક્તવ્ય રજૂ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ કર્યું હતું અને સંચાલન લેખિની સંસ્થાનાં પ્રતિનિધિ જાગૃતિ ફડિયાએ કર્યું હતું.

‘સાહિત્ય સંદર્ભે સ્ત્રી સશક્તિકરણ’ વિષયનું વિચારબીજ નિરંજન પંડ્યાનું હતું. આ કાર્યક્રમમાં કવયિત્રી પ્રતિમા પંડ્યા, લેખિકા ગીતા ત્રિવેદી, મમતા પટેલ અને સ્મિતા શુક્લ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆતમાં મધ્યકાલીન યુગમાં સ્ત્રીઓનું મહત્વ અને એમની સાહિત્ય સંદર્ભે શું ભૂમિકા રહી એ વિષય પર ડૉ અસ્મિતા યાજ્ઞિકે જણાવ્યું કે મધ્યકાલીન યુગની જો વાત કરીએ તો સૌ પ્રથમ મીરાને યાદ કરવી પડે અને એમની અડગ નિર્ણય શક્તિને દાદ દેવી પડે. આ સિવાય એમણે ગંગાસતી અને તોરલનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે No means No નો કોન્સેપ્ટ આજે ચર્ચાય છે પણ તોરલે એ સમયમાં અમલમાં મૂકી બતાવ્યો હતો. લોયણ, જનીબાઈ, રાધાબાઈ, અમરબાઈ જેવાં અનેક ઉદાહરણો આપી એમણે સ્ત્રી સશક્તિકરણ વિષય પર ચર્ચા કરી હતી.

મધ્યકાલીન યુગ અને આધુનિક યુગને જોડતાં ગાંધીયુગ પર પોતાની આગવી અને જોશબંધ શૈલીમાં વક્તવ્ય આપતાં ડૉ કલ્પના દવેએ વક્તવ્યમાં કહ્યું કે સ્ત્રીને પોતાના જીવનને ‘ઉત્સવ’ બનાવતાં આવડવું જોઈએ, સાહિત્ય અને સમાજ સિક્કાની બે બાજુ છે, ગાંધીયુગનો સમય એ વૈચારિક દ્રષ્ટિએ સામૂહિક ક્રાંતિનો સમય હતો, કૌટુંબિક પ્રથામાં અટવાયેલી અને શિક્ષણનો અભાવ હોવા છતાં એ સમયે મહાત્મા ગાંધીએ બાળલગ્નનો વિરોધ, વિધવાની દયનીય સ્થિતિનો વિરોધ અને કન્યા કેળવણીને આપેલા સમર્થનને કારણે સ્ત્રી સશક્તિકરણ થયું. ડૉ કલ્પના દવેએ શ્રોતાઓને આવાહન આપતાં કહ્યું કે ગાંધીયુગમાં સ્ત્રી સશક્તિકરણ માટે પ્રજ્વલિત થયેલી મશાલ આપણે હંમેશા જલતી રાખવાની છે અને આ ક્ષેત્રે હંમેશા કાર્યરત રહેવાનું છે.

ડૉ ઉર્વશી પંડ્યા જેઓ UGC Research Award થી સન્માનિત થયાં છે તેમણે વ્યક્તવ્યમાં કહ્યું કે સ્ત્રી સશક્તિકરણ એ છેતરામણો શબ્દ છે. સ્ત્રી સશકત જ હતી, છે અને રહેશે બસ આપણે સ્ત્રી સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજવો પડશે, દરેક સ્ત્રીમાં આંતરિક ઉર્જા રહેલી છે જે સુષુપ્ત અવસ્થામાં હોય છે એને જાગૃત કરવી પડે અને એનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો સમાજનું સ્વરૂપ ચોક્કસપણે બદલી શકાય છે. નારીવાદ શબ્દ ઈ.સ. 1929થી અસ્તિત્વમાં આવ્યો. સ્ત્રી સશક્તિકરણની મુખ્ય ત્રણ શરતો છે, આર્થિક સ્વાવલંબન, ઉદાત્ત વૈચારિક ક્ષમતા અને પ્રબળ લાગણી. વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા, પન્ના નાયક , મનોજ્ઞા દેસાઈ જેવી લેખિકાઓએ પોતાની અનેક કૃતિઓ દ્વારા ભૃણ હત્યાથી લઈને દહેજ દૂષણ પર સવાલો ઉઠાવ્યા છે અને સ્ત્રી શિક્ષણ પર ભાર મૂક્યો છે.

સંચાલિકા જાગૃતિ ફડિયાએ સંચાલન દરમિયાન કોફીનું ઉદાહરણ આપતાં કહ્યું કે એને ગમે તેવાં ઉકળતાં પાણીમાં નાખો, એ પાણીમાં ઓગળીને વાતાવરણમાં સુગંધ ફેલાવે છે માટે વિપરીત પરિસ્થિતિમાં સ્ત્રીએ ભલે ઓગળવું પડે પણ જો એ ધારે તો પોતાના અસ્તિત્વની સુગંધ જરૂર ફેલાવી શકે‌.

જમ્મુ કાશ્મીર ચૂંટણી : 3 વાગ્યા સુધીમાં 56.01% મતદાન થયું

જમ્મુ-કાશ્મીરમાં આજે વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. જમ્મુના એક મતદાન કેન્દ્ર પર સવારથી જ લાઈનો લાગી છે. કેન્દ્રશાસિત પ્રદેશના 7 જિલ્લાના 40 મતવિસ્તારોમાં આજે લાયક મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા તબક્કાના મતદાન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણીમાં કોઈ ગડબડ ન થાય તે માટે 86 હજાર સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કુલ 39.18 લાખ મતદારો 415 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.

ત્રીજા તબક્કામાં સાત જિલ્લાની 40 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ઉત્તર કાશ્મીરના બાંદીપોરા, કુપવાડા અને બારામુલ્લા જિલ્લામાં કર્નાહ, ત્રેહગામ, કુપવાડા, લોલાબ, હંદવારા, લંગેટ, સોપોર, રફિયાબાદ, ઉરી, બારામુલ્લા, ગુલમર્ગ, વાગુરા-ક્રીરી, પટ્ટન, સોનાવરી, બાંદીપોરા, ગુરેઝ (ST)માં 16 વિધાનસભા બેઠકો છે. પરંતુ 40 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જમ્મુ ડિવિઝનના કઠુઆ જિલ્લાની બાની, બસોહલી, કઠુઆ, જસરોટા અને હીરાનગર સીટ પર 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. બિશ્નાહ (SC), સુચેતગઢ (SC), આરએસ પુરા-જમ્મુ દક્ષિણ, બહુ, જમ્મુ પૂર્વ, નગરોટા, જમ્મુ પશ્ચિમ, જમ્મુ ઉત્તર, અખનૂર (SC), જમ્મુ જિલ્લાની છમ્બ બેઠકો અને ઉધમપુર પશ્ચિમ, ઉધમપુર પૂર્વની ઉધમપુર બેઠકો પર 20 હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. ચિનીની, રામનગર (SC) બેઠકો પર 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સાંબા જિલ્લાની વિજયપુર, રામગઢ અને સાંબા બેઠકો પર છ હજાર સુરક્ષા જવાનોની દેખરેખ હેઠળ મતદાન થશે.

બપોરે 3 વાગ્યા સુધી 56.01% મતદાન થયું

બાંદીપુર-53.09%
બારામુલ્લા-46.09%
જમ્મુ-56.74%
કઠુઆ-62.43%
કુપવાડા-52.98%
સામ્બા-63.24%
ઉધમપુર-64.43%

ટેસ્ટ સિરીઝઃ ટીમ ઇન્ડિયાએ કર્યું બંગલાદેશને ક્લીન સ્વિપ

કાનપુરઃ ભારતીય ટીમે બંગલાદેશને કાનપુર ટેસ્ટમાં સાત વિકેટથી માત કરીને સિરીઝમાં ક્લીન સ્વિપ કર્યું છે. ભારતીય ટીમે ચેન્નઈ ટેસ્ટમાં 280 રનથી જીત મેળવી હતી. ભારતની આ સતત છઠ્ઠી ટેસ્ટ જીત છે, જ્યારે આ સતત ચોથો ચોક્કો છે, જેમાં ભારતે બંગલાદેશની વિરુદ્ધ ક્લીન સ્વિપ કર્યું હોય.

ટીમ ઇન્ડિયાએ બંગલાદેશની બે મેચોની ટેસ્ટ સિરીઝ 2-0થી સૂપડાં સાફ કર્યાં છે. આ રીતે ભારતે નવો ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાની આ સતત 18મી સિરીઝ જીત છે. ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે સતત સૌથી વધુ સિરીઝ જીતવાનો રેકોર્ડ કર્યો છે. ભારત છેલ્લાં 12 વર્ષથી ઘરમાં ટેસ્ટ સિરીઝ નથી હાર્યું,કાનપુર ટેસ્ટમાં વરસાદને કારણે પાંચ દિવસની રમત નહોતી થઈ શકી, તેમ છતાં ભારતે બે દિવસમાં મેચ પોતાને નામે કરી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ ભારત માટે આ જીત મહત્ત્વની છે.

બંગલાદેશે પહેલી ઇનિંગ્સમાં 233 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ટીમ ઇન્ડિયા પાંચ વિકેટ ગુમાવીને 285 રને દાવ ડિકલેર કર્યો હતો. બંગલાદેશની ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 146 રન જ બનાવી શકી હતી, જેને કારણે ભારતને 95 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

ટીમ ઇન્ડિયાનો પ્રારંભ સારો નહોતો થયો. રોહિત શર્મા માત્ર આઠ રન બનાવીને મેહદી હસનના બોલ પર હસન મહમૂદને કેચ આપી બેઠો હતો. ત્યાર બાદ શુભમન ગિલ પણ મેહદી હસનના બોલમાં LBW થયો હતો. ત્યાર બાદ વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલે બાજી સંભાળી હતી. જયસ્વાલે અર્ધસદી ફટકારી હતી. જ્યારે તે આઉટ થયો, ત્યારે ટીમ જીતથી માત્ર ત્રણ રન દૂર હતી. કોહલી અને પંતે ટીમને મેચ જિતાડી હતી. પાકિસ્તાનને એના ઘરઆંગણે 2-0થી હરાવનાર બંગલાદેશી ટીમને ભારતીય ઘરઆંગણે ટીમ ઇન્ડિયાથી 0-2થી માત મળી છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટોચના સ્થાને પહોંચી છે.  

તિરુપતિ લાડુ વિવાદ: આંધ્રપ્રદેશ સરકારે રોકી SIT તપાસ

આંધ્રપ્રદેશ સરકારે તિરુપતિ લાડુ બનાવવામાં વપરાતા ઘીમાં કથિત ભેળસેળની તપાસને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસને 3 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી સુધી અટકાવી દીધી છે.


આંધ્ર પોલીસના ટોચના અધિકારી દ્વારકા તિરુમાલા રાવે જણાવ્યું હતું કે તપાસની પ્રામાણિકતા સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને ધ્યાનમાં રાખીને અમે હાલ માટે તપાસ અટકાવી દીધી છે. અમારી ટીમે અનેક સ્થળોનું નિરીક્ષણ કર્યું છે, કેટલાક લોકોના નિવેદનો નોંધ્યા છે અને આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

SITએ લોટ મિલની તપાસ કરી

સોમવારે, એસઆઈટીએ તિરુમાલામાં લોટ મિલનું નિરીક્ષણ કર્યું, જ્યાં લાડુ બનાવવામાં ઉપયોગમાં લેવાતા પહેલા ઘીનો સંગ્રહ કરવામાં આવે છે, જે દર વર્ષે પહાડી મંદિરની મુલાકાત લેનારા લાખો ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

અમદાવાદ જિલ્લાની શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ, RTO & DEOની સંયુક્ત કાર્યવાહી

અમદાવાદ: શહેર DEO (District Education Officer) અને ગ્રામ્ય DEO દ્વારા આટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગની ટીમને સાથે રાખી જુદી-જુદી શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના બિનઅધિકૃત વાહનો લાવવા મુદ્દે અને શાળાઓમાં સ્કૂલ બસ, સ્કૂલ રીક્ષા તેમજ સ્કૂલ વાન સહિતના વાહનોને વીમો, પીયુસી અને લાઇસન્સ સહિતના નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.

અમદાવાદમાં ટ્રાફિક મુદ્દે વારંવાર કેટલાક પ્રશ્ન ઊભા થતા હોય છે અને હાઈકોર્ટ પણ આ મુદ્દે તંત્રની ઝાટકણ કરતી હોય છે. ત્યારે અમદાવાદમાં 30 સપ્ટેમ્બરના સવારે DEO અને ગ્રામ્ય DEO દ્વારા આરટીઓ અને ટ્રાફિક પોલીસની ટીમે સાથે મળીને શહેરની કેટલીક શાળામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે પહેલીવાર આ પ્રકારે બંને ડીઈઓ દ્વારા શાળામાં સુરક્ષાને લઈને ઓચિંતી તપાસ શરૂ કરાઈ હતી. જેમાં અમદાવાદ શહેરના ડીઈઓની ટીમ શાહીબાગમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં પહોંચી હતી. જ્યાં સ્કૂલ બસ તેમજ સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વાન પાસે વીમો અને પીયુસી હતાં જ નહીં, તેમજ ડ્રાઇવરો પાસે લાઇસન્સ પણ ન હતું. જેથી, આરટીઓ દ્વારા વાહન ચાલકોને 46,500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સિવાય ટ્રાફિક પોલીસ દ્વારા 18,500 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ પહેલાં રાજ્ય સરકારના આદેશથી તમામ ડીઈઓ દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા તેમજ સુરક્ષાને લઈને સ્કૂલ બસ, સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વાનના તમામ પ્રકારના દસ્તાવેજ ક્લિયર રાખવા ખાસ તાકીદ અને આદેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં આ પ્રકારે જરૂરી દસ્તાવેજ વિના જ વાહન ચાલકો દ્વારા વિદ્યાર્થીઓને લાવવા અને લઈ જવા સ્કૂલ બસ, સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારે વિદ્યાર્થીઓની સુરક્ષાને અવગણીને જોખમી મુસાફરી કરવામાં આવી રહી છે.

બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા આજે સવારે સેટેલાઇટની નારાયણ ગુરૂ સ્કૂલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યાં પણ આરટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓની ટીમને સાથે રાખી બિનઅધિકૃત રીતે સગીર વયના વિદ્યાર્થીઓ લાઇસન્સ વિના શાળાએ વાહન લઈને આવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં ધોરણ 9 થી ધોરણ 12 સુધીના 20 જેટલાં વિદ્યાર્થીઓ બિનઅધિકૃત રીતે વાહનો લઈને શાળાએ આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં સૌથી વધુ ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓને ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા 38 હજાર જેટલો દંડ કરાયો હતો. જેમાં આરટીઓ વિભાગ દ્વારા 20 હજાર અને ટ્રાફિક પોલીસ દ્વારા 18 હજાર રૂપિયા જેટલો દંડ કરાયો હતો. આમ, બંને ડીઈઓ કચેરી દ્વારા કરવામાં આવેલી સરપ્રાઇઝ ચેકિંગમાં વિદ્યાર્થીઓથી માંડી સ્કૂલ વર્ધીના વાહન ચાલકોને એક લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

વીર સાવરકર સંબંધિત કેસમાં રાહુલ ગાંધીને સમન્સ

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની એક કોર્ટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યા છે. વીર સાવરકર વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સમન્સ જારી કરવામાં આવ્યું છે. નાસિકના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપાલી પરિમલ કેદુસ્કરે 27 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીને આ સંદર્ભમાં નોટિસ જારી કરીને કહ્યું હતું કે દેશભક્ત વ્યક્તિ વિરુદ્ધ કરવામાં આવેલ નિવેદન પ્રથમ દૃષ્ટિએ બદનક્ષીભર્યું લાગે છે.

રાહુલ ગાંધીએ કેસની આગામી તારીખે રૂબરૂ અથવા તેમના કાનૂની પ્રતિનિધિ મારફત હાજર થવાનું રહેશે, જેનો નિર્ણય લેવાનો બાકી છે. ફરિયાદી એક એનજીઓના ડાયરેક્ટર છે. ફરિયાદીએ દાવો કર્યો છે કે તેણે હિંગોલીમાં રાહુલ ગાંધી દ્વારા સંબોધિત પ્રેસ કોન્ફરન્સ અને નવેમ્બર 2022માં કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવેલ ભાષણ સાંભળ્યું અને જોયું છે.

રાહુલ ગાંધી પર શું છે આરોપ?

ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધીએ આ બંને પ્રસંગોએ તેમના ભાષણ અને દ્રશ્ય નિરૂપણ દ્વારા જાણીજોઈને વીર સાવરકરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું અને સમાજમાં તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી અનુસાર, રાહુલ ગાંધીએ કહ્યું કે સાવરકર ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીની છે અને આ ટિપ્પણી બદનક્ષીભરી લાગે છે.

ફરિયાદીએ કહ્યું કે રાહુલ ગાંધીએ પછી આરોપ લગાવ્યો કે સાવરકરે હાથ જોડીને તેમની મુક્તિ માટે પ્રાર્થના કરી અને બ્રિટિશ સરકાર માટે કામ કરવાનું વચન પણ આપ્યું. તમામ દલીલો પર વિચાર કર્યા બાદ કોર્ટે કહ્યું કે, રેકોર્ડ પર રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં લેતા, આરોપી દ્વારા દેશભક્ત વ્યક્તિ સામે આપવામાં આવેલા નિવેદનો પ્રથમ દૃષ્ટિએ બદનક્ષીભર્યા જણાય છે.