વાણીના ચાર પ્રકારો હોય છે– પરા, પશ્યન્તિ, મધ્યમા, વૈકરી. મનુષ્યો જે બોલે છે તે માત્ર ચોથા પ્રકારનું હોય છે. આપણે વૈકરી પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ વાણીનું સૌથી સ્પષ્ટ સ્વરૂપ છે. મધ્યમાં વૈકરી કરતાં સૂક્ષ્મ હોય છે. તમે બોલો તે પહેલા વિચારના સ્તરે જ વાત સમજાઈ જાય. જ્યારે તમે વાત વિચારના સ્તરે હોય ત્યારે જ જો જાણી લો છો તો તે મધ્યમા છે. પશ્યન્તિ જ્ઞાનાત્મક છે. તેમાં શબ્દો બોલવાની જરૂર હોતી નથી. પરા એ વ્યક્ત નહીં થયેલું, સ્પષ્ટ નહીં થયેલું જ્ઞાન છે.

આખું વિશ્વ ગોળાકાર છે. તેનો ક્યારેય જન્મ થયો નહોતો કે તે ક્યારેય નષ્ટ થવાનું નથી. આમ, તે અનાદિ, અનંત છે. તો બ્રહ્માજીનું, એટલે કે સર્જકનું, શું કામ હોય છે? કહેવાય છે કે દરેક યુગમાં અનેક બ્રહ્મા, વિષ્ણુ અને શિવ હોય છે.
કાળખંડ અને અવકાશમાં આવું બન્યા કરે છે. આ સર્જનનો સ્રોત શું છે? જ્ઞાન આકાશથી અને પંચમહાભૂતથી પણ પર છે. વેદો કે જેમને સમજી શકાય છે તે વૈકરી નથી. વેદોનું જ્ઞાન આકાશથી પર છે. દૈવી પ્રેરણાઓ એ ક્ષેત્રમાં સ્થાપિત છે જે સર્વત્ર પ્રસરેલું છે.

આકાશ એટલે શું? આકાશને વ્યોમ કે વ્યાપ્તિ તરીકે વર્ણવવામાં આવે છે એટલે કે જે સર્વવ્યાપ્ત છે-સર્વત્ર ફેલાયેલું છે, પ્રસરેલું છે. આકાશની પેલે પાર જે છે તે શું છે? આકાશની પેલે પાર જે છે તેનો વિચાર કરવો અકલ્પનીય છે. દરેક વસ્તુ આકાશમાં સમાયેલી છે,બાકીના ચારેય મહાભૂત આકાશમાં આવેલા છે. પૃથ્વી સૌથી સ્થૂળ છે, તે પછી જળ, અગ્નિ, વાયુ અને આકાશ. વાયુ સૂક્ષ્મ છે, અગ્નિ કરતાં વધારે સૂક્ષ્મ. આકાશ સૌથી વધારે સૂક્ષ્મ છે.
આકાશથી પણ પેલે પાર હોય એવું શું છે? એ છે મન, બુધ્ધિ,અહંકાર અને મહત તત્વ. એટલે કે તત્વજ્ઞાન-વિશ્વના મૂળભૂત ખ્યાલને સમજવો. જ્યાં સુધી તમે વિશ્વ વિશેના એ તત્વજ્ઞાનને નથી સમજતા ત્યાં સુધી પોતાને, આત્માને નહીં જાણી શકો. આકાશની પેલે પાર જે ક્ષેત્ર છે તે અનુભવથી જ જાણી શકાય છે. જ્ઞાનનું સમસ્ત ક્ષેત્ર આકાશ પછી શરું થાય છે.

પ્રાચીન દ્રષ્ટાઓએ પદાર્થ અને તેના ગુણધર્મો વચ્ચેના સંબંધ વિશે વાત કરી છે. એક ચર્ચા ખૂબ રસપ્રદ છે- શું આપણે પદાર્થમાંથી તેના ગુણધર્મને અલગ પાડી શકીએ? એ આખી ફિલસૂફી ખૂબ રસપ્રદ છે અને એનું એ તાત્પર્ય નીકળ્યું કે આપણે પદાર્થમાંથી તેના ગુણધર્મને અલગ પાડી શકતા નથી. શું મોરસમાંથી આપણે ગળપણ અલગ કરી શકીએ? જો એમ કરીએ તો પણ શું મોરસ એમ જ રહેશે? શું અગ્નિમાંથી ઉષ્ણતા અને પ્રકાશ અલગ કરી શકીએ? જો કરી શકીએ તો તે પછી અગ્નિ અગ્નિ જ રહેશે? એવું શું છે જે પદાર્થને ગુણધર્મ પ્રદાન કરે છે? પહેલું શું આવે, ગુણધર્મ કે પદાર્થ?આવા ઘણા પ્રશ્નો છે. તમે ઊંડે ઉતરતા જાવ તો પરમે વ્યોમન પહોંચો છો. બધા દેવી અને દેવતા ત્યાં એ અવકાશમાં વસે છે. પરમે વ્યોમનને, વિશ્વના મૂળભૂત ખ્યાલને જાણ્યા વગર વૈદિક શ્લોકો અને મંત્રો ઉચ્ચારવા નિરર્થક છે. સ્વરૂપ તે અવકાશનો ગુણધર્મ છે.
સ્વરૂપ એટલે તે ચેતના. સ્વરૂપમાંથી સ્પૂટ એટલે કે વિસ્ફોટ જન્મે છે જેમાંથી સર્જનની, સ્વરિતની ઉત્પતિ થાય છે અને તે નામ અને સ્વરૂપ સાથે એટલે કે સાકાર તરીકે ઉદ્દભવે છે. સર્જનમાં આવેલા લાખો જીવો સ્વરૂપમાંથી ઉદ્ભવ્યા હતા. અવકાશ સિવાયના ચાર મહાભૂત સમયાંતરે ઉધમાત-ખળભળાટ કરતા હોય છે. જો તમે સહાય માટે તેમના પર અવલંબન રાખો છો તો તે તમને હચમચાવીને અવકાશમાં પાછા લઈ જશે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)






દત્તોપંત ઠેંગડીના વારસાને સ્વદેશી મૂલ્યો, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય ગૌરવના ઝળહળતા ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆત હર્ષદભાઈ પટેલ, વિવેકભાઈ કાપડિયા, હાર્દિકભાઈ વાચ્છાણી, કૌશિકભાઈ સપોવડિયા અને ઘનશ્યામભાઈ પટેલ એ દીપ પ્રાગટ્ય કરી કરી હતી. મંચ સંચાલન ગુંજનભાઈ બુચ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા સ્વદેશી જાગરણના પૂર્વ સંયોજક વિવેક ભાઈ કાપડિયા એ દત્તોપંત ઠેંગડીના જીવન અને સ્વાવલંબન ઉપર ખૂબ જ રસપ્રદ માહિતી આપી. R.S.S. ગાંધીનગરના પૂર્વ જિલ્લા સંઘ ચાલક હર્ષદ ભાઈએ દત્તોપંત ઠેંગડીના જીવન મૂલ્યો વિશે વાત કરી. સ્વાવલંબી ભારત અભિયાનના પ્રાંત સમન્વ્યક હાર્દિકભાઈ વાચ્છાણી એ સ્વાવલંબન અને સ્વાવલંબન કેન્દ્ર અંગે માહિતી આપી.
કાર્યક્રમને સફળ બનાવવામાં સ્વાવલંબી ભારત અભિયાન, ગુજરાત પ્રદેશ સંરક્ષક ડો .મયુરભાઈ જોષીના માર્ગદર્શનમાં સ્વદેશી જાગરણ મંચ ગાંધીનગરના સહ સંયોજક જાગૃતભાઈ દવે, સમન્વયક ધર્મેન્દ્રભાઈ પંડ્યા અને જૈમિન ભાઈ વૈદ્યએ જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમને સ્ક્રીન પર જીવંત પ્રસારણ કરીને સ્વદેશી જાગરણ મંચ અખિલ ભારતીય ટીમ દ્વારા સમગ્ર દેશમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં દેશભરના 500થી વધુ જિલ્લાઓમાંથી અને વિશ્વના ૧૮ દેશોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકર મહારાજ (સ્થાપક – આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન), શ્રી વી. ભગૈયાજી (ઓલ ઈન્ડિયા એક્ઝિક્યુટિવ મેમ્બર, આરએસએસ), અને ડૉ. ચિન્મય પંડ્યા (વાઈસ ચાન્સેલર, દેવ સંસ્કૃતિ વિદ્યાલય, હરિદ્વાર) જેવા નામાંકિત વક્તાઓએ સ્વદેશી વિષય પર માર્ગદર્શન આપ્યું. માનનીય આર. સુંદરમજી (અખિલ ભારતીય સંયોજક, સ્વદેશી જાગરણ મંચ), ડૉ. ભગવતી પ્રસાદ શર્મા (અખિલ ભારતીય સંયોજક, સ્વાવલંબી ભારત અભિયાન) અને કાશ્મીરીલાલ (અખિલ ભારતીય સંયોજક, સ્વદેશી જાગરણ મંચ) આ સમારોહમાં હાજર હતા.
વાત એમ છે કે,પરિવારજનોની જાણ બહાર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાનો દર્દીઓએ આરોપ લગાવ્યો હતો. સોમવારે ઓપરેશનમાં બે દર્દીઓના મોતથી પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. પરિવારજનોના હોબાળાથી ત્યાંથી જવાબદાર તબીબો અને હોસ્પિટલના સત્તાધીશો ગાયબ થઈ ગયાં હતાં. વહેલી સવારથી જ હોબાળા બાદ સ્વાસ્થ્ય મંત્રીએ પણ તપાસના આદેશ આપી દીધાં હતાં. ત્યારે સમગ્ર ગુજરાતમાં આ ઘટનાના પડઘા પડ્યા બાદ હવે ખ્યાતિ હોસ્પિટલના CEO અને ડિરેક્ટરે પોતાનો લૂલો બચાવ કર્યો છે.
“રાગીણી આમ આંટા મારવાથી યશનું પ્લેન અમેરિકામાં વહેલુ લેન્ડ નહીં થાય. એક બાજુ બેસી જા, એ પહોંચીને ફોન કરશે.” પતિની વાત સાંભળી રાગીણીબહેન ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા, નીરજભાઈ ટેન્શનમાં આવી ગયા. “શુ થયું રાગીણી, કેમ આમ રડી રહી છે? બધુ ઠીક તો છે ને ?”
આવા સમયે ખાસ કરીને માતા સંતાનથી દૂર થવાનું સહન નથી કરી શકતી, ત્યારે એ એમ્પ્ટી સિન્ડ્રોમથી પિડાય છે. આ વિશે અમદાવાદના સોશિયલ એક્ટિવિસ્ટ પ્રો.ડો. સ્મિતા જોશી 
આ વિશે ખેડાના જાણીતા ફેશન ડિઝાઈનર અને બ્યુટિશિયન અલ્પા ચૌહાણ 
કાર્યક્રમ વિશે વાત કરતાં આયોજક સલોની ગાંધી 

આ કરાર હેઠળ, RRU(રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી) પંજાબ પોલીસને વર્ગખંડ-આધારિત અને વર્ચ્યુઅલ લર્નિંગ એમ બંન્ને ફોર્મેટમાં તાલીમ પ્રદાન કરશે. જો મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો,
