Home Blog Page 1233

સપ્તાહના પ્રારંભે સેન્સેક્સ 499 પોઇન્ટ ઊછળ્યોઃ નિફ્ટી 23,750ને પાર

અમદાવાદઃ સપ્તાહનો પ્રારંભ ઘરેલુ શેરબજારોમાં તેજી સાથે થયો હતો. ખાસ કરીને બ્લુ ચિપ શેરોમાં તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. એક લાખ કરોડનો વધારો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ સાધારણ વધીને બંધ રહ્યા હતા.

વૈશ્વિક બજારોમાં પ્રોત્સાહક સંકેતો અને એશિયન બજારોમાં નોંધપાત્ર તેજીને પગલે ઘરેલુ શેરબજારો પણ મજબૂતી જોવા મળી હતી. જેથી પાંચ દિવસની મંદીને બ્રેક વાગી હતી અને બજારમાં સુધારો થયો હતો.  બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી હતી, જ્યારે રિયલ્ટી, FMCG અને મેટલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. એ સાથે એનર્જી, PSE અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં પણ લેવાલી થઈ હતી. જોકે ઓટો અને ફાર્મા શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. જેથી BSE સેન્સેક્સ 499 પોઇન્ટની તેજી સાથે 78,540ના સ્તરે અને નિફ્ટી 166 પોઇન્ટ વધીને 23,753ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 186 પોઇન્ટ વધીને 57,093ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી બેન્ક 558 પોઇન્ટની તેજી સાથે 51,318ના મથાળ બંધ થયો હતો.NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા અનુસાર FIIએ 20 ડિસેમ્બરે ચોખ્ખા વેચવાલ રહ્યા હતા. તેમણે રૂ. 3597.82 કરોડના શેર વેચ્યા હતા. જ્યારે ઘરેલુ સ્થાકીય રોકાણકારઓએ રૂ. 1347.37 કરોડના શેર ખરીદ્યા હતા.

BSE એક્સચેન્જ પર કુલ 4218 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1641 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2446 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 131 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 212 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 93 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા. આ સાથે 314 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 374 શેરોમાં નીચલી સરકિટ લાગી હતી.

બાબ સાહેબની મૂર્તિ ખંડિત કરવાનો મામલો વકર્યો, અમદાવાદ બંધ કરવાની ચિમકી

અમદાવાદ: શિયાળું સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકરને લઈને આપેલા નિવેદનને લઈ ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે. આ વિરોધના વંટોળ વચ્ચે આજે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલ બહાર ડૉ.બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

સૂત્રોની જાણકારી પ્રમાણે અમદાવાદ શહેરના ખોખાર વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કેટલાક અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ ઘટના વહેલી સવારના બની હતી. બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી અપમાન કરવામાં આવતાં સ્થાનિક લોકોની લાગણીને ઠેસ પહોંચી છે અને લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરવાના મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સ્થાનિકોએ રોડ પર બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ફરિયાદ નોંધાવવા માટે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટના મામલે પોલીસ જાતે જ ફરિયાદી બની છે. પોલીસે જુદી-જુદી ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે.

આ વચ્ચે ગુજરાત કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના ચેરમેન હિતેન્દ્ર પીઠડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે અમદાવાદના ખોખરા ખાતે બનેલી ઘટનાને હું કડક શબ્દોમાં વખોડી કાઢી છું. ભાજપના વરિષ્ઠ નેતાઓ જ્યારે બાબાસાહેબ આંબેડકર વિશે અપમાનજનક શબ્દો બોલતા હોય અને ભાજપ શાસિત શહેરમાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરવામાં આવે છે? શું આ શહેર અને રાજ્યની શાંતિ ડહોળવાનો એક પ્રયાસ છે? જો 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં અમદાવાદ બંધ કરવામાં આવશે.

આ વિષયનેધ્યાનમાં રાખી સામાજિક મરસતા મંચ ગુજરાત દ્વારા કલેકટર અને પોલીસ કમિશ્નરને આ નિંદનીય ઘટનાને વખડતું આવેદન આવામાં આવ્યું હતું. આ દુષ્કૃત્ય સામાજિક સૌહાર્દ અને ભાઇચારાને દૂષિત કરી સમાજમાં અરાજકતા ફેલાવવાના મલીન ઇરાદાથી કરવામાં આવ્યું છે. સામાજિક સમરસતા મંચ, ગુજરાત આ કૃત્યને સખત શબ્દોમાં વખડી કાઢે છે. આ જઘન્ય કૃત્યના કર્તા-હર્તા વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરી આ દોષિતોને દંડિત કરવા માટે ત્વરિત કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા માટે આપને નમ્ર વિનંતી છે.

IND vs AUS: ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે 2 મોટા ફેરફાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ ટેસ્ટ મેચ રમાઈ છે. હવે શ્રેણીની ચોથી મેચ મેલબોર્નમાં રમાશે. ચોથી અને પાંચમી મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં બદલાવ જોવા મળ્યો છે. જે બાદ હવે મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર જોવા મળી શકે છે. શ્રેણીની પ્રથમ ત્રણ મેચ રમનાર ખેલાડી ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે.

 

મોહમ્મદ સિરાજનું પત્તું કપાઈ શકે છે

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અત્યાર સુધી આ સિરીઝની ત્રણેય મેચમાં રમતા જોવા મળ્યો છે. આ શ્રેણીમાં સિરાજનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જો કે, તેણે મોટાભાગની વિકેટો માત્ર નીચલા ક્રમના બેટ્સમેનો પાસેથી જ મેળવી છે. જસપ્રિત બુમરાહની સરખામણીમાં સિરાજ આ સિરીઝમાં ઘણો ઓછો અસરકારક સાબિત થયો છે. આવી સ્થિતિમાં ચોથી ટેસ્ટમાંથી સિરાજનું કાર્ડ કપાઈ શકે છે. જો આમ થાય છે તો ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણને ચોથી ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. અત્યાર સુધી પ્રસિદ્ધને એક પણ મેચમાં રમવાની તક મળી નથી.

વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે

આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં વોશિંગ્ટન સુંદરની પણ પસંદગી કરવામાં આવી છે. જોકે તેને અત્યાર સુધી માત્ર એક જ મેચમાં રમવાની તક મળી છે. વોશિંગ્ટન પર્થ ટેસ્ટમાં રમતા જોવા મળ્યો હતો, આ મેચમાં સુંદરનું પ્રદર્શન સારું રહ્યું હતું. બીજી તરફ, આર અશ્વિને ગાબા ટેસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.

હવે આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના બે સ્પિન બોલર રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર બાકી છે. આવી સ્થિતિમાં, આશા છે કે ટીમ ઈન્ડિયા મેલબોર્ન ટેસ્ટમાં 2 સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. આવી સ્થિતિમાં વોશિંગ્ટન સુંદર મેલબોર્ન ટેસ્ટમાં રમતા જોવા મળી શકે છે.

‘સ્ત્રી 2’ની સફળતા બાદ પંકજ ત્રિપાઠીનું પહેલું નિવેદન થયું વાયરલ

મુંબઈ: ‘સ્ત્રી 2’ની સફળતા બાદથી સમગ્ર સ્ટાર કાસ્ટ સમાચારોમાં છે. શ્રદ્ધા કપૂરથી લઈને રાજકુમાર રાવ સુધી, ફિલ્મના ઘણા સ્ટાર્સે સક્સેસ ક્રેડિટ વોર પર પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી છે. આ દરમિયાન હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’માં જોવા મળેલા પંકજ ત્રિપાઠીએ ફિલ્મની સફળતા પર પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. આ ફિલ્મમાં દિગ્ગજ અભિનેતાએ રૂદ્ર ભૈયાની ભૂમિકા ભજવી હતી, જેના માટે તેમના ખૂબ વખાણ થયા હતા. 2024 માં રિલીઝ થયા પછી તરત જ, અમર કૌશિકની ફિલ્મે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા અને સુપર હિટ બની.

પંકજ ત્રિપાઠીએ ક્રેડિટ વોર પર પ્રતિક્રિયા આપી
હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ‘સ્ત્રી 2’ અભિનેતા પંકજ ત્રિપાઠીએ કહ્યું કે આટલી ઓછી બજેટની ફિલ્મ બ્લોકબસ્ટર બની એ ખૂબ જ આનંદની વાત છે. ક્રેડિટ વોર પર પ્રતિક્રિયા આપતા તેણે આગળ કહ્યું, ‘સફળતાથી તમારું મગજ ના બગડવું જોઈએ. એક ઠહેરાવ હોવો જોઈએ.’ અભિનેતાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ ભાગ જોયા પછી દર્શકોને જે આનંદ મળ્યો તેના કારણે પ્રથમ સપ્તાહમાં જ લોકોને સિક્વલ જોવા માટે થિયેટરમાં આવવાની ફરજ પડી હતી. નહિંતર, દર્શકો સમીક્ષાની રાહ જુએ છે અને પછી ફિલ્મ જોવા જાય છે. પરંતુ, સારી ફ્રેન્ચાઈઝી ફિલ્મો માટે આવું થતું નથી.

સ્ટ્રી 2 ની સફળતાનું રહસ્ય
પંકજ ત્રિપાઠીએ વધુમાં કહ્યું, ‘ફ્રેન્ચાઇઝી બનાવવા માટે માત્ર એક હિટ ફિલ્મની જરૂર નથી. ફિલ્મ માટે યુનિક હોવું જરૂરી છે કારણ કે ઘણી વખત ફિલ્મ હિટ બને છે પણ યુનિક હોતી નથી. સ્ત્રીએ બંને જરૂરિયાતો પૂરી કરી. આ જ કારણ છે કે ફિલ્મને બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મળી છે. જેઓ નથી જાણતા, અમે તમને જણાવીએ કે ‘સ્ત્રી 2: સરકટે કા આતંક’ નિરેન ભટ્ટ દ્વારા લખવામાં આવી છે અને મેડૉક ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયો દ્વારા સહ-નિર્માણ કરવામાં આવ્યું છે. મેડૉક સુપરનેચરલ બ્રહ્માંડના ચોથા હપ્તામાં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના પણ મુખ્ય ભૂમિકામાં છે. તેમાં તમન્ના ભાટિયા, વરુણ ધવન અને અક્ષય કુમારનો કેમિયો છે.

પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની હાલત લથડી, ઠાણેની હોસ્પિટલમાં દાખલ કરાયા

મહારાષ્ટ્ર: પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી અને સચીન તેંડુલકરનો એક વિડીયો હાલમાં જ વાયરલ થયો હતો. જેમાં કાંબલી સચીનને બાજુમાં બેસવા માટે કહી રહ્યા છે. બંન્ને જૂના મિત્રો કોચ રમાકાંત આચરેકર માટે આયોજીત એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં કાંબલીની શારિરીક હાલત ખૂબ જ કથલેલી જોવા મળી હતી.  આજે ફરી સમાચાર સામે આવ્યા છે કે કાંબલીની તબિયત અચાનક ખરાબ થઈ છે અને તેમને થાણેની પ્રગતિ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જો કે ડૉક્ટર્સની ટીમ તેમની સાર-સંભાળ રાખી રહી છે અને દરેક જરુરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.વિનોદ કાંબલીએ ભારતીય ટીમ માટે વર્ષ 1991માં વન ડેમાં ડેબ્યું કર્યું હતું. ત્યાર બાદ તેમણે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટમાં વર્ષ 1993માં ડેબ્યુ કર્યુ હતું. તેમણે ટીમ ઈન્ડિયા માટે ઘણી શાનદાર ઈનિંગ રમી છે. તેઓ ભારતના સૌથી ઝડપી 1,000 ટેસ્ટ રન બનાવનારા બેટમેન રહ્યા હતા.

ગુજરાતમાં વકીલાતની સનદ માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાની આશંકા

અમદાવાદ: ગુજરાત ફરી એક વખત ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યા હોવાની સંભાવનાઓ સેવાય રહી છે. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા રવિવારે (22મી ડિસેમ્બર) સનદની પરીક્ષા લેવાઈ હતી. વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે આ પરિક્ષા અમદાવાદ અને સુરતમાં લેવાઈ હતી. રવિવારે સવારે 10થી 2 વાગ્યાનો પરીક્ષાનો સમય હતો. પરંતુ 10.30થી 11 વાગ્યા વચ્ચે વોટ્સઅપ ગ્રૂપમાં આન્સર કી ફરતી થઈ હોવાનું સૂત્રો પાસથી મહિતી મળી રહી છે.

ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટના કેન્દ્રો પરથી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ લેવામાં આવી હતી. જેમાં આશરે 9 હજારથી વધુ વકીલ ઉમેદવારો પરીક્ષા આપી હતી. અમદાવાદ છ જુદા જુદા મથકો પર પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા પાસ કર્યા બાદ તે વકીલ દેશના કોઈપણ કોર્ટમાં વકીલાતની પ્રેકટીસ કરી શકે છે. બે વર્ષમાં બીસીઆઇની આ પરીક્ષા પાસ કરવાની હોય છે. ત્યાં સુધી જે તે વકીલ ઉમેદવારને પ્રેકટીસ માટે કામચલાઉ સનદ(પ્રોવિઝનલ સનદ) આપવામાં આવે છે. આ પરીક્ષામાં ભારતીય ફોજદારી ધારો, ક્રિમિનલ પ્રોસીજર કોડ, સિવિલ પ્રોસીજર કોડ, હિન્દુ લૉ, મુસ્લિમ લૉ, ટ્રાન્સફર ઑફ પ્રોપર્ટી, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍકટ, ગ્રાહક સુરક્ષા ધારો, લેબર લૉ સહિતના 20 જેટલા વિષયો પર પ્રશ્નપત્ર પૂછાતાં હોય છે.

શું ICCથી વધુ શક્તિશાળી છે BCCI ?: ટ્રેવિસ હેડ, સ્મિથનો વિડિયો વાઇરલ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ એક પોડકાસ્ટમાં એમ કહ્યું છે કે BCCI ICCથી વધુ પાવરફુલ છે. સોસિયલ મિડિયા પર ક્રિકેટર્સનો આ વિડિયો બહુ ઝડપથી વાઇરલ થયો છે. ABC પોડકાસ્ટમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને સવાલ કરવામાં આવ્યો હતો કે તેઓ ICC, BCCI અને ભારતીય ક્રિકેટનું એક-એક શબ્દમાં વર્ણન કરે. આ સવાલના જવાબમાં પેટ કમિન્સે કહ્યું હતું કે આ ત્રણેમાં બિગ શબ્દ મોટો છે. ત્યાર બાદ ટ્રવિસ હેડે BCCI માટે રુલર (શાસક) કહ્યું હતું. ત્યાર બાદ જ્યારે ICCનો વારો આવ્યો તો તેણે કહ્યું બીજો શાસક છે. આમ કહીને તે હસવા લાગ્યો હતો. તેણે ભારતીય ક્રિકેટને મજબૂત બતાવ્યું હતું.

એ પછી સ્ટીમ સ્મથે કહ્યું હતું કે BCCI શક્તિશાળી છે. તેણે ICC માટે કહ્યું હતું કે તે થોડોક ઓછો શક્તિશાળી છે. જ્યારે ઉસ્માન ખ્વાજાએ આ મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું હતું.

ઓસ્ટ્રેલિયન ક્રિક્રેટના એક અન્ય અગ્રણી વ્યક્તિ ગ્લેન મેક્સવેલે BCCIન શક્તિશાળી અને બોસ કહ્યું હતું. જ્યારે ઉસમાન ખ્વાજાએ BCCIને વધુ સ્ટ્રોન્ગ ગણાવ્યું હતું. જ્યારે નાથન લિયોને બિગ બોસ, પેશનેટ, એલેક્સ કૈરીએ BCCIને પાવરફુલ ગણાવ્યું હતું, જ્યારે સ્ટીવ સ્મિથે BCCIને પાવર હાઉસ, લીડર્સ ગણાવ્યું હતું.

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પાંચ ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી. એ સાથે બોર્ડર-ગાવસકર ટ્રોફી 1-1થી બરાબર છે. હવે બંને ટીમો ચોથી ટેસ્ટ મેચ માટે તૈયાર છે.

 

ગુજરાત સાયન્સ સિટી ખાતે રાષ્ટ્ર કક્ષાના ‘મેથ્સ કાર્નિવલ-2024’નું આયોજન

અમદાવાદ: ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટી ખાતે નેશનલ મેથ્સ કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું.. ભારતના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતી નિમિત્તે દર વર્ષે 22મી ડિસેમ્બરે નેશનલ મેથેમેટિક્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટના સહયોગથી 20 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર દરમિયાન નેશનલ મેથ્સ કાર્નિવલ અને 18મા નેશનલ મેથ્સ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

નેશનલ મેથ્સ કાર્નિવલ-2024માં ત્રણ દિવસ દરમિયાન મેથ્સ મોડેલ પઝલ એક્ઝિબિશન, મેથ્સ ક્વિઝ, પોપ્યુલર મેથ્સ લેક્ચર, પઝલ પ્રેક્ટિકલ, કલ્ચરલ એક્ટિવિટી, મેથ્સ પોએમ, સ્ટોરી એન્ડ રીલે, ટીચર પેપર પ્રેઝન્ટેશન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના 18 રાજ્યની અલગ-અલગ શાળાના 250થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ ગણિત પ્રેમીઓએ આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાયન્સ સિટીની મુલાકાતે આવેલા લોકોએ મેથ્સ પ્રદર્શનો નિહાળ્યા હતા. 22મી ડિસેમ્બરે નેશનલ મેથ્સ કાર્નિવલ-2024ના સમાપન પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સહભાગી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સહભાગી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગણિતપ્રેમીઓએ ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી સહિતની ગેલેરીઓની મુલાકાત લીધી હતી. ગણિત વિષય પ્રત્યે વિદ્યાર્થીઓ અને લોકોની રૂચિ વધે તે હેતુથી આ નેશનલ મેથ્સ કાર્નિવલ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજનીતિ: શું છગન ભુજબલ ભાજપમાં જોડાશે?

મહારાષ્ટ્રમાં મંત્રાલયોના વિભાજન પછી પણ રાજકીય ઉથલપાથલ ચરમસીમાએ છે. કોઈ વિભાગ ન મળવાથી નારાજ NCP નેતા છગન ભુજબળ આજે CM દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. બેઠક બાદ તેમના આગામી પગલા અંગે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. એવી અટકળો શરૂ થઈ રહી છે કે ભુજબળ ભાજપમાં જોડાઈ શકે છે.

છગન ભુજબળ અજિત પવારથી નારાજ છે

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટમાં સ્થાન ન મળતાં ભુજબળ NCP ચીફ અજિત પવારથી નારાજ છે અને તે ઘણી વખત બતાવી ચુક્યા છે. ભુજબળને આશા હતી કે તેમને મંત્રીપદ મળશે, પરંતુ એવું ન થતાં તેમણે અજિત પવારને આડે હાથ લીધા હતા. ભુજબળે કહ્યું હતું કે તેઓ કોઈના હાથનું રમકડું નથી જે ઈચ્છે ત્યારે રમી શકાય અને જ્યારે ઈચ્છે ત્યારે ફેંકી શકાય.

ફડણવીસે વખાણ કર્યા હતા

તાજેતરમાં દેવેન્દ્ર ફડણવીસે પણ ભુજબળના વખાણ કર્યા હતા. ફડણવીસે કહ્યું હતું કે મુખ્યમંત્રી તેમને કેબિનેટમાં જોવા માગે છે. તે જ સમયે, ભુજબળના ઘણા સમર્થકોએ પણ તેમને ભાજપમાં જોડાવા માટે કહ્યું છે. તેમનું કહેવું છે કે ભાજપ તેમને સારું સન્માન આપશે. મંત્રાલયોના વિભાજન બાદ છગન ભુજબળ ઓબીસી સમુદાયના લોકોને પણ મળ્યા હતા. તેમના સમર્થકોએ કહ્યું કે જો શારીરિક શક્તિનું સન્માન નહીં કરવામાં આવે તો ઓબીસી સમુદાયમાં પણ રોષ જોવા મળશે.

ભુજબળે શું કહ્યું?

બેઠક બાદ છગન ભુજબળે કહ્યું કે તેઓ સીએમ પાસે માત્ર ઓબીસી સમુદાયના પ્રશ્નો ઉઠાવવા ગયા હતા. તેમણે કહ્યું કે બેઠકમાં અન્ય કોઈ રાજકીય બાબત થઈ નથી.

કુમાર વિશ્વાસે સોનાક્ષી સિન્હાને લઈને આપ્યું નિવેદન, થયો હંગામો

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને તેના પિતા શત્રુઘ્ન સિંહા આ દિવસોમાં વિવાદોમાં ફસાયેલા છે. અગાઉ મુકેશ ખન્નાએ રામાયણ સાથે સંબંધિત પ્રશ્નનો જવાબ ન આપવા બદલ અભિનેત્રીની ટીકા કરી હતી અને હવે કુમાર વિશ્વાસે તેના આંતર-ધર્મ લગ્ન પર ઝાટકણી કાઢી છે.

સોનાક્ષી સિન્હાએ વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ આ વર્ષે 23 જૂને લાંબા સમયથી બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે સિવિલ મેરેજ કર્યા હતા. સોનાક્ષી અને ઝહીરના લગ્નને લઈને ઘણો વિવાદ થયો હતો. આંતર-ધર્મ લગ્ન માટે અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે જાણીતા કવિ કુમાર વિશ્વાસે પણ હાવભાવ દ્વારા અભિનેત્રીના આંતર-ધર્મ લગ્ન પર ઝાટકણી કાઢી છે.

કુમાર વિશ્વાસે સોનાક્ષીને ટોણો માર્યો

કુમાર વિશ્વાસે તાજેતરમાં ઉત્તર પ્રદેશના મેરઠમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં તેણે શત્રુઘ્ન સિંહા અને સોનાક્ષી સિંહા પર નિશાન સાધ્યું અને અભિનેત્રીઓના આંતર-ધર્મ લગ્નની ટીકા કરી. કુમાર વિશ્વાસે કહ્યું, “તમારા બાળકોને સીતાજીની બહેનો અને ભગવાન રામના ભાઈઓને યાદ કરાવો. હું એક સંકેત આપું છું, જે લોકો સમજે છે તેમના માટે તાળીઓ પડવી જોઈએ. તમારા બાળકોને રામાયણ સાંભળવા, ગીતા વાંચવા કરાવો, નહીં તો આવું ન બને. તમારા ઘરનું નામ રામાયણ હોવું જોઈએ અને કોઈ અન્ય તમારા ઘરની શ્રી લક્ષ્મીને લઈ જઈ શકે છે. તે જાણીતું છે કે શત્રુઘ્ન સિંહાના પરિવારનું નામ રામાયણ છે. કુમાર વિશ્વાસના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. કેટલાક લોકો કુમાર વિશ્વાસનો પક્ષ લઈ રહ્યા છે તો કેટલાક લોકો તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.