મહારાષ્ટ્રમાં આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા રાહુલ ગાંધી મુંબઈના પ્રવાસે છે. તેઓ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં ચામડાના કામદારોને મળ્યા અને ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ અંગે તેમની ચિંતાઓ સમજી. આ પ્રવાસને ચૂંટણી રણનીતિના ભાગ રૂપે ગણવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, તેઓ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કુલીઓને મળ્યા અને તેમની સમસ્યાઓ સરકાર સમક્ષ મૂકવાનું વચન આપ્યું.
ફોટો: દીપક ધૂરી
ધારાવી પુનર્વસન પ્રોજેક્ટને લઈને ચાલી રહેલી ધમાલ વચ્ચે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે મુંબઈની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે ધારાવીની મુલાકાત લીધી હતી અને ત્યાંના લોકો સાથે વાતચીત પણ કરી હતી. રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણીમાં ધારાવીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મહારાષ્ટ્ર કોંગ્રેસ ધારાવી પુનર્વિકાસને એશિયાનો સૌથી મોટો કૌભાંડ ગણાવી રહી છે.
ફોટો: દીપક ધૂરી
અદાણી ગ્રુપે 5069 કરોડ રૂપિયાની બોલી લગાવીને ધારાવીના પુનર્વિકાસ માટેનું ટેન્ડર જીતી લીધું છે. મુંબઈ પહોંચતા રાહુલ ગાંધીનું સ્વાગત મહારાષ્ટ્રના નવા પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકલ, મુંબઈ પ્રમુખ અને સાંસદ ડૉ.વર્ષા ગાયકવાડ અને વિધાનસભામાં કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે કર્યું હતું.
અમદાવાદ: ચાના વ્યવસાયમાં ગ્રાહકોની વિશ્વસનીયતા ધરાવતું વાઘ-બકરી ટી ગ્રુપ સામાજિક નીસબતો સાથે સમાજમાં અનેક મોર્ચે કાર્યરત છે. ચા ઉદ્યોગમાં 133 વર્ષથી નામના ધરાવતા આ સમૂહે ઉત્તર-પૂર્વ ભારતમાં વિમેન ટી પ્લકર્સને સમર્થન આપવા માટે એક ખાસ પહેલ શરૂ કરી છે. ‘કપ ઓફ ગુડનેસ’ નામની આ પહેલ સાથે તેમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. આ પહેલ મહિલાઓના સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. જેના હેઠળ, વાઘ-બકરી ટી લાઉન્જના કુલ બિલનો 5% ભાગ આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ અને મહિલા શ્રમિકોના બાળકોના શિક્ષણ માટે સમર્પિત ભંડોળમાં દાન કરવામાં આવશે. આ ઝુંબેશ આગામી 13 મહિના સુધી ચાલશે. વાઘ-બકરી ટી ગ્રુપે આ પહેલ માટે પહેલા એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેનાથી આસામના ચા બગીચાઓની લગભગ 700 ટી પ્લકર્સને ફાયદો થયો હતો. વાઘ-બકરી ટી ગ્રુપે આ પહેલ માટે 12 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું, જેનાથી આસામના ટી પ્લકર્સને ફાયદો થયો હતો.વાઘ-બકરી ટી ગ્રુપના ડિરેક્ટર વિદિશા પરાગ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “વાઘ બકરી ખાતે, અમે ફક્ત એક કપ ચાથી આગળ સકારાત્મક પરિવર્તન લાવવામાં માનીએ છીએ. આ પહેલ દ્વારા, આરોગ્ય, સ્વચ્છતા અને શિક્ષણ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓને સંબોધીને અમારા ઉદ્યોગના પાયામાં રહેલી ટી પ્લકર્સના જીવનમાં પરિવર્તન લાવવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ. પાયલોટ પ્રોજેક્ટની સફળતાથી અમને જે સકારાત્મક અસર થઇ છે તેનાથી અમારો વિચાર વધારે મજબૂત બન્યો છે. અમે અમારા ગ્રાહકોનો આ પહેલને સમર્થન આપવા બદલ આભાર માનીએ છીએ અને ફરી એકવાર કહેવા માંગીએ છીએ કે વાઘ બકરી ટી લાઉન્જમાં તેઓ જે ચા પીવે છે તે કપ ઓફ ગુડનેસ છે.”બાલ રક્ષા ભારત એન.જી.ઓ.ના કૃતાંજલી કશ્યપે જણાવ્યું હતું કે, “ચા પત્તી ચૂંટનારી મહિલાઓને મૂળભૂત આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા સુવિધાઓ મેળવવામાં નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડે છે અને તેમના બાળકોમાં ઘણીવાર શૈક્ષણિક સંસાધનોનો અભાવ હોય છે. વાઘ-બકરી ટી ગ્રુપ સાથેનો આ સહયોગ ખૂબ જ જરૂરી ટેકો તે મહિલાઓને પૂરો પાડશે અને તેમના માટે અર્થપૂર્ણ તકો ઊભી કરશે. અમે આ પહેલ માટે આભારી છીએ અને તેની અસરની રાહ જોઈ રહ્યા છીએ.”
વાઘ-બકરી ટી ગ્રુપ મહિલા સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને પર્યાવરણીય ટકાઉપણું જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતી અનેક CSR પહેલોને સમર્થન આપે છે. જેનો સ્થાનિક સમુદાયો પર નોંધપાત્ર પ્રભાવ પડ્યો છે. તેમની નવીન પહેલ દ્વારા, તેઓ લોકોના જીવનના ઉત્થાન માટે તેમના સમર્પણને પુનઃપુષ્ટિ આપે છે.
દેશના પ્રખ્યાત કવિ અને વાર્તાકાર ડૉ. કુમાર વિશ્વાસની મોટી પુત્રી અગ્રતા શર્માના લગ્ન ઉદયપુરના લીલા પેલેસ ખાતે ત્રણ દિવસના કાર્યક્રમ સાથે ઉજવવામાં આવ્યા હતા. આ શાહી લગ્નમાં નજીકના પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. લીલા પેલેસ ખાતે આ વર્ષના પ્રથમ સેલિબ્રિટી લગ્ન હતા. લગ્ન સમારોહના પહેલા દિવસે સાગર ભાટિયાએ લગભગ ત્રણ કલાક અને બીજા દિવસે સોનુ નિગમે પરફોર્મન્સ આપ્યું. ત્રીજા દિવસે પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર હાજર હતા અને તેમણે પણ પોતાના ગીતો દ્વારા વરરાજા અને કન્યાને આશીર્વાદ આપ્યા. છેલ્લા કેટલાક દિવસોથી, તેમની પુત્રીના લગ્ન સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યા છે.
વિશ્વ વિખ્યાત શેફ સંજીવ કપૂરે સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહેમાનો માટે વિવિધ વાનગીઓ તૈયાર કરવાની જવાબદારી લીધી. એક વૈભવી હોટલમાં ત્રણ દિવસના લગ્ન સમારોહ પછી, 5 માર્ચે દિલ્હીની અશોકા હોટેલમાં નવદંપતીને આશીર્વાદ આપવા માટે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેમના મંત્રીમંડળ અને લગભગ દરેક ક્ષેત્રના તમામ મોટા નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તમામ પક્ષોના રાજકારણીઓ હાજર રહ્યા હતા. રાજકારણની દુનિયામાંથી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, તેમજ ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ વરરાજા અને કન્યાને આશીર્વાદ આપવા માટે હાજર રહ્યા હતા. ઇન્ડિયા ટીવીના ચેરમેન અને એડિટર-ઇન-ચીફ રજત શર્મા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
દિલ્હી સહિત ઘણા રાજ્યોના સમગ્ર મંત્રીમંડળે ભાગ લીધો
આ સમારોહમાં ભારતીય રાજકારણના કેટલા લોકો હાજર રહ્યા હતા તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દિલ્હી સહિત ઘણા રાજ્યોનું આખું મંત્રીમંડળ વરરાજા અને કન્યાને આશીર્વાદ આપવા માટે હાજર હતું. સક્રિય રાજકારણના દિગ્ગજો ઉપરાંત, હિમાચલ પ્રદેશ અને સિક્કિમના ઘણા રાજ્યપાલોએ પણ ડૉ. કુમાર વિશ્વાસના આમંત્રણ પર આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દેશના સૌથી લોકપ્રિય કવિના આ પારિવારિક સમારોહમાં દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, જેઓ ભાગ્યે જ જાહેર સ્થળોએ દેખાય છે, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના અનેક ન્યાયાધીશોએ પણ હાજરી આપી હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી 7 અને 8 માર્ચે ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ પ્રદેશ કોંગ્રેસના મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે. ખાસ વાત એ છે કે રાહુલ ગાંધીનો પ્રવાસ એવા સમયે થાય છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે રહેશે. PM મોદી 7 માર્ચે સુરત અને 8 માર્ચે નવસારીની મુલાકાતે જશે.
રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રદેશ કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો સાથે બેઠક યોજશે. ઉપરાંત, જિલ્લા અને શહેર પ્રમુખો, તાલુકા અને નગરપાલિકા પ્રમુખો અને સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાત કરશે. 8 માર્ચે તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે અને બપોરે 2 વાગ્યે દિલ્હી માટે રવાના થશે.
રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ
7 અને 8 માર્ચ: પ્રદેશ કોંગ્રેસના કાર્યક્રમોમાં હાજરી
7 માર્ચે 9:15 AM: અમદાવાદ એરપોર્ટ પર આગમન
10:00 AM: પ્રદેશ કોંગ્રેસના વડાઓ સાથે બેઠક
10:30 AM: પોલિટિકલ અફેયર્સ કમિટીની બેઠક
2:00 PM: જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક
3:00 PM: તાલુકા અને નગરપાલિકા પ્રમુખો સાથે બેઠક
5:00-7:00 PM: સામાજિક આગેવાનો અને મહેમાનો સાથે બેઠક
8 માર્ચ: કાર્યકર્તાઓ સાથે સંવાદ અને 2:00 PM બાદ દિલ્હી રવાના
ગુજરાત કોંગ્રેસ માટે આવનારા મહિનાઓ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. 64 વર્ષ બાદ ગુજરાતમાં એ મહત્ત્વપૂર્ણ અધિવેશન થશે, જેમાં કોંગ્રેસના ટોચના નેતાઓ અને દેશભરના 3000 જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે. ગુજરાત વિધાનસભાની આગામી 2027ની ચૂંટણી માટે કોંગ્રેસે રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે અને રાહુલ ગાંધીના આ પ્રવાસથી ગુજરાત કોંગ્રેસને નવા ઉર્જાથી ભરવા પ્રયાસ કરવામાં આવશે.
અમદાવાદ: અંધ વ્યક્તિઓમાં શિક્ષણનો પ્રચાર કરવો એ આવા વ્યક્તિઓને સશક્ત બનાવવા માટે યોગ્ય દિશામાં એક પગલું છે. તેમના શિક્ષણને સરળ બનાવવા માટે, તેમને નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવા સક્ષમ બનાવવા માટે શિષ્યવૃત્તિ આપવી જરૂરી છે.
અમે, યુ.એસ.માં સૌથી મોટા ક્લાઉડ-આધારિત EHR સોફ્ટવેર પૈકીના એક, ઇક્લિનિકલ વર્ક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના આભારી છીએ. જેનું કાર્યાલય ભારતમાં છે, તેણે CSR હેઠળ રૂપિયા 43 લાખ મંજૂર કર્યા છે. આજે, પૂજા શાહ, ER લીડના ડિરેક્ટર ઓમ પટેલ અને કુશલ રશમવાલા, અને તેમના CAની ટીમે દૃષ્ટિની ક્ષતિ ધરાવતા 180 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનું વિતરણ કર્યું.
આ પહેલી વાર છે જ્યારે વિવિધ સ્તરે શિક્ષણ મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા આટલા બધા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.
26/11 મુંબઈ હુમલાના કાવતરાખોર, પાકિસ્તાની મૂળના આતંકવાદી અને કેનેડિયન નાગરિક તહવ્વુર હુસૈન રાણા ભારત પ્રત્યાર્પણ પહેલા ભયનો સામનો કરી રહ્યા છે. તેમણે યુએસ કોર્ટમાં પોતાના પ્રત્યાર્પણ પર રોક લગાવવા માટે અરજી દાખલ કરી છે. પાકિસ્તાની મૂળના આતંકવાદીએ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે તે વિવિધ કારણોસર ભારતમાં ટકી શકશે નહીં. તેથી, તેના પ્રત્યાર્પણને તાત્કાલિક રોકવું કરવું જોઈએ, કારણ કે જો તેને રોકવામાં નહીં આવે તો ત્યાં (ભારતમાં) તેના કેસ પર પુનર્વિચારણા થશે નહીં, અમેરિકા પણ તેનો અધિકારક્ષેત્ર ગુમાવશે અને બની શકે કે અરજદારને ખૂબ જ ટૂંક સમયમાં મારી નાખવામાં આવે.
2008ના મુંબઈ હુમલાને અંજામ આપનાક કાવતરાખોરે કહ્યું હતું કે જો તેને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે, તો પાકિસ્તાની મુસ્લિમ હોવાને કારણે તેને ત્રાસ આપવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. તેમણે કહ્યું, કારણ કે તેઓ મુસ્લિમ ધર્મના છે અને પાકિસ્તાની મૂળના છે. તેઓ પાકિસ્તાન આર્મીના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેના પર 2008ના મુંબઈ આતંકવાદી હુમલાને અંજામ આપવાનો આરોપ છે. આ સમયે તેમની હાલત ગંભીર છે. આવી સ્થિતિમાં, જો તેને ભારત મોકલવામાં આવે તો તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવે તેવી શક્યતા છે. તેમણે કોર્ટમાં કરેલી અપીલમાં એમ પણ કહ્યું હતું કે જો તે ભારત જાય તો કોઈ તાત્કાલિક આદેશ પર તેમની હત્યા થઈ શકે છે.
કોણ છે તહવ્વુર હુસૈન રાણા?
તહવ્વુર હુસૈન રાણા મૂળ પાકિસ્તાની છે, જે હવે કેનેડિયન નાગરિક છે. આ પહેલા તેઓ શિકાગોના નાગરિક પણ રહી ચૂક્યા છે. તેમણે લગભગ 10 વર્ષ સુધી પાકિસ્તાની સેનામાં ડૉક્ટર તરીકે કામ કર્યું, પરંતુ બાદમાં તેમણે નોકરી છોડી દીધી અને ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયા. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર તે 2006 થી 2008 દરમિયાન પાકિસ્તાનમાં મુંબઈ હુમલાના અન્ય કાવતરાખોર ડેવિડ હેડલી સહિત અનેક આતંકવાદી જૂથોના સંપર્કમાં હતો. તેણે પાકિસ્તાની આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હરકત-ઉલ-જીહાદ-એ-ઇસ્લામીને મુંબઈ પર હુમલો કરવામાં મદદ કરી જ નહીં, પરંતુ સમગ્ર આયોજનનો પણ એક ભાગ હતો. પરિણામે,પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈની તાજ હોટેલ સહિત અનેક સ્થળોએ એક સાથે આતંકવાદી હુમલાઓ કર્યા. આમાં લગભગ 179 લોકો માર્યા ગયા હતા. ડેવિડ હેડલી હવે આ કેસમાં સરકારી સાક્ષી બની ગયો છે.
ગાંધીનગર: ગુજરાત, જે વૈશ્વિક સ્તરે વિકાસના મોડેલ તરીકે ઓળખાય છે, ત્યાં બેરોજગારીની સમસ્યા વધુ વકરતી જાય છે. રાજ્યના 6 મહત્વના જિલ્લાઓમાં 138 કંપનીઓ સામે સ્થાનિકોને નોકરી ન આપવાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. આ શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને મહેસાણાનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં વિદેશી રોકાણ વધવા છતાં યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. 2023માં 60, 2024માં 78 અને 2025માં 138 કંપનીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જે સ્થાનિકોને નોકરી ન આપતા હોવાનો આરોપ છે. આ મામલે ઉદ્યોગ કમિશનર અને રોજગાર કચેરીએ પણ વિગતો મેળવી, સરકાર સુધી રજૂઆત કરી છે. સરકાર દ્વારા કંપનીઓ માટે ખાસ પરિપત્ર અને નીતિ બાબતે વિચારણા ચાલી રહી છે, જેથી સ્થાનિકોને વધુ રોજગાર મળી શકે.
ઉચ્ચ શિક્ષિત યુવાનો માટે રોજગારી મેળવવાનું પડકારજનક છે લાયકાત મુજબ નોકરી અને યોગ્ય પગાર નહીં મળતા યુવાનો વિદેશ જવાની દિશા તરફ વળી રહ્યા છે. અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં રોજગાર માટે યુવાનોની સંખ્યા વધી રહી છે. ગુજરાતના મહાનગરોમાં રોજગારની તકો ઓછી થતી જતી હોવાના કારણોસર નોકરી માટે યુવાનો વિવિધ કંપનીઓના ચક્કર મારી રહ્યા છે. ગુજરાતનો વિકાસ દર ઉંચો હોવા છતાં, યુવાનો માટે નોકરી મળવી મુશ્કેલ બની રહી છે. રાજ્યમાં સ્થાનિકોને રોજગાર અપાવવાની નવી નીતિ અને કંપનીઓ પર સખત કાર્યવાહી થાય તો આ સમસ્યામાં ઘટાડો આવી શકે છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેતા વિજય વર્મા છેલ્લા કેટલાક દિવસોથી તેની ગર્લફ્રેન્ડ તમન્ના ભાટિયા સાથેના બ્રેકઅપને કારણે સમાચારમાં છે. કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે વિજય અને તમન્ના હવે અલગ થઈ ગયા છે. બ્રેકઅપના આ સમાચાર વચ્ચે વિજય વર્માનો શાનદાર અંદાજ જોવા મળ્યો.
બ્રેકઅપના સમાચાર કેવી રીતે આવવા લાગ્યા?
બોલિવૂડ અભિનેતા વિજય વર્મા અને તમન્ના ભાટિયા બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ આ વિશે ખુલ્લેઆમ વાત પણ કરી છે. તેમના સંબંધોના સમાચાર બીજા એક અભિનેતા અને બંનેના મિત્ર ગુલશન દેવૈયાના ખુલાસા પછી શરૂ થયા. એક ઇન્ટરવ્યુમાં ગુલશને બંનેના સંબંધો વિશે વાત કરી હતી. આ પછી તેમના સંબંધોના સમાચાર બહાર આવ્યા અને બંનેએ ખુલ્લેઆમ તેનો સ્વીકાર કર્યો. બંને થોડા સમય માટે જાહેરમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ થોડા દિવસો પહેલા જ તમન્ના ભાટિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પરથી વિજય વર્મા સાથેના બધા ફોટા દૂર કરી દીધા છે. જે બાદ તેમના બ્રેકઅપની વાતો સામે આવવા લાગી છે. જોકે, બંનેએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
થોડા જ વર્ષોમાં પોતાની છાપ છોડી દીધી
વિજય વર્માએ થોડા જ વર્ષોમાં બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે. વિજય વર્માએ 2012માં ‘ચિટ્ટાગોંગ’, 2013માં ‘રંગરેઝ’, ‘મોન્સૂન શૂટઆઉટ’ અને ‘ગેંગ ઓફ ઘોસ્ટ્સ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ પછી 2016માં વિજય વર્માને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘પિંક’ માં સ્ક્રીન શેર કરવાની તક મળી. વિજયે અત્યાર સુધીમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે તમન્ના ભાટિયાએ પોતાની કારકિર્દીની શરૂઆત દક્ષિણની ફિલ્મોથી કરી હતી અને તે સુપરહિટ રહી હતી. આ પછી તેણીએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને ટોચની હિરોઈનોમાં તેનું નામ સામેલ થયું. હવે તેમના બ્રેકઅપના સમાચાર સોશિયલ મીડિયા પર છવાયેલા છે. જોકે, અત્યાર સુધી વિજય કે તમન્ના ભાટિયા દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ વધુ એક ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીના ટાઇટલ મુકાબલામાં પ્રવેશી ગયું છે જ્યાં તેનો મુકાબલો રવિવારે દુબઈમાં ન્યુઝીલેન્ડ સામે થશે. ભારત અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યું છે અને સતત ચાર મેચ જીતીને ફાઇનલમાં પહોંચ્યું છે. ભારત હવે ટાઇટલથી એક ડગલું દૂર છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ICC ટુર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન ઉત્તમ રહ્યું છે. રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું, જે 11 વર્ષમાં તેનું પહેલું ICC ટાઇટલ હતું. હવે, ફક્ત આઠ મહિના પછી, ટીમ બીજી ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે અને ટાઇટલની ખૂબ નજીક છે. જોકે, ભારત માટે ન્યુઝીલેન્ડનો પડકાર આસાન નહીં હોય કારણ કે આ જ ટીમે લગભગ ચાર વર્ષ પહેલાં 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલમાં તેમને હરાવ્યા હતા.
ભારત-ન્યુઝીલેન્ડ 25 વર્ષ પછી ટાઇટલ મેચમાં ટકરાશે
ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, જ્યારે ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો હતો. ૨૫ વર્ષ પછી, ફરી એકવાર આ બંને ટીમો ICC ના મર્યાદિત ઓવર ફોર્મેટના ટાઇટલ મેચમાં એકબીજાનો સામનો કરશે. રસપ્રદ વાત એ છે કે, બંને ટીમો છેલ્લી વખત 2000 માં ICC નોકઆઉટ ટ્રોફી (હવે ચેમ્પિયન્સ ટ્રોફી) માં ICC મર્યાદિત ઓવરના ફોર્મેટની ફાઇનલમાં રમી હતી. તે સમયે ન્યુઝીલેન્ડે ભારતને ચાર વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
ભારત સતત નોકઆઉટમાં પહોંચ્યું
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે ICC ટુર્નામેન્ટમાં પ્રભુત્વ મેળવ્યું છે. ભલે ભારત ટાઇટલ જીતવાની તક ગુમાવી રહ્યું હોય, પરંતુ તે સતત નોકઆઉટ મેચોમાં પહોંચવામાં સફળ રહ્યું છે. છેલ્લી વખત ચેમ્પિયન્સ ટ્રોફી 2017 માં યોજાઈ હતી, ત્યારે પણ ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું પરંતુ ટાઇટલ જીતવાથી ચૂકી ગયું હતું. ત્યારબાદ ટીમ 2019 ODI વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચી જ્યાં તેઓ ન્યુઝીલેન્ડ સામે હારી ગયા અને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયા. ભારત 2021 માં પ્રથમ WTC ફાઇનલમાં પણ હારી ગયું હતું. ત્યારબાદ 2023 WTC ફાઇનલ અને 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. ભારતનો ICC ટાઇટલ જીતવાનો દુષ્કાળ 2024 માં સમાપ્ત થયો જ્યારે ટીમ ઇન્ડિયાએ રોહિતની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ જીત્યો.
ભારતે પહેલી વાર 1983 માં કપિલ દેવના નેતૃત્વમાં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, જે તેનું પહેલું આઈસીસી ટાઇટલ હતું. ત્યારબાદ ટીમ 2000 માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી, પરંતુ ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ. 2002 માં, તે જ ટુર્નામેન્ટમાં શ્રીલંકા સાથે સંયુક્ત વિજેતા બન્યું. બીજા જ વર્ષે, ભારતીય ટીમ સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં 2003 માં ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ દેશનું સ્વપ્ન ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું અને ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો. 2007 માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતે પ્રથમ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.
બરાબર ચાર વર્ષ પછી ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલા 2011 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઇટલ જીત્યું. ધોનીના નેતૃત્વમાં ભારતે 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફરીથી ઇંગ્લેન્ડને હરાવ્યું. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતનો આ ત્રીજો આઈસીસી ખિતાબ હતો. આ પછી ભારતીય ટીમ ટાઇટલ માટે ઝંખતી હતી. 2014 ના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત શ્રીલંકા સામે હારી ગયું હતું. જ્યારે, 2017 માં, તેઓ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ગયા હતા. ટીમ 2021 WTC ફાઇનલ અને 2023 WTC ફાઇનલમાં પણ હારી ગઈ હતી, જ્યારે ટીમને ઘરઆંગણે 2023 ODI વર્લ્ડ કપના ટાઇટલ મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ગયા વર્ષે બાર્બાડોસ પર ભારતનો ખિતાબનો દુકાળ સમાપ્ત થયો હતો અને દેશ હવે બીજા ICC ખિતાબની આશા રાખી રહ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ પહેલા ભારત તમામ ફોર્મેટમાં કુલ 13 વખત ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું છે. આમાંથી, ટીમ છ વખત ટાઇટલ જીતવામાં સફળ રહી છે. ભારતે ૧૯૮૩, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૧, ૨૦૧૩ અને ૨૦૨૪માં ICC ટાઇટલ જીત્યા છે. જો ભારત રવિવારે ન્યુઝીલેન્ડને હરાવવામાં સફળ રહે છે, તો તે તેનું સાતમું ICC ટાઇટલ હશે, જ્યારે રોહિતની કેપ્ટનશીપ હેઠળ આ તેની સતત બીજી ICC ટ્રોફી હશે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિશે એક એવી ટિપ્પણી કરી છે જેનાથી વિવાદ સર્જાયો છે. તેમના મતે, મોહમ્મદ શમીએ રમત દરમિયાન ઉપવાસ ન રાખીને ખોટું કર્યું. મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું, ફરજિયાત ફરજોમાંની એક ‘રોઝા’ (ઉપવાસ) છે. જો કોઈ સ્વસ્થ પુરુષ કે સ્ત્રી ‘રોઝા’ નહીં રાખે, તો તે મોટો ગુનેગાર બનશે. ભારતના પ્રખ્યાત ક્રિકેટર મોહમ્મદ શમીએ મેચ દરમિયાન પાણી કે અન્ય કોઈ પીણું પીધું હતું. લોકો તેને જોઈ રહ્યા હતા. જો તે રમી રહ્યો હોય, તો તેનો અર્થ એ કે તે સ્વસ્થ છે. આવી સ્થિતિમાં, તેણે ‘રોઝા’ રાખ્યો ન હતો અને પાણી પણ પીધું હતું. આનાથી લોકોને ખોટો સંદેશ મળે છે.
— Anchal_05 (Modi Ka Parivaar) (@glaring_glow) March 6, 2025
તેમણે વધુમાં કહ્યું કે ‘રોઝા’ ન રાખીને તેમણે ગુનો કર્યો છે. તેમણે આ ન કરવું જોઈએ. શરિયાની નજરમાં તે ગુનેગાર છે. તેણે ભગવાનને જવાબ આપવો પડશે. તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચ દરમિયાન શમીનો એનર્જી ડ્રિંક પીતો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઘણા લોકોએ કહ્યું હતું કે મોહમ્મદ શમીએ ઉપવાસ ન રાખીને કંઈ ખોટું કર્યું નથી. એક યુઝરે કહ્યું હતું કે, દેશ હંમેશા ધર્મ કરતાં મોટો હોય છે.