ઉદગમ સુર પ્રભાતમાં સવારના રાગોની પ્રસ્તુતિ

અમદાવાદ: ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્સંધન સારું એકમાત્ર ઉદગમ ટ્રસ્ટ કાર્યક્રમોનું નિયમિત આયોજન કરે છે. શાસ્ત્રીય સંગીતના આરાધક ગાંધીનગરના યુવા કલાકારોને મંચ પૂરો પાડવાના આશયથી ઉદગમ દ્વારા ઉદગમ સુર પ્રભાતની શરૂઆત કરવામાં આવી.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉદગમ સુર પ્રભાત – ધ મોર્નિંગ રાગ કોન્સર્ટ”નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રભાત સંગીત કાર્યક્રમ 11 જાન્યુઆરી, 2026ના રોજ ગાંધીનગર ખાતે યોજાયો હતો.

ઉદગમ સુર પ્રભાત કાર્યક્રમમાં ગાંધીનગરના યુવા ગાયક કંદર્પ શુક્લાએ અનેક રાગ પર આધારિત ગીતો રજૂ કર્યા. પ્રારંભ રાગ આહિર ભૈરવ: મેરી અરજ સુન લી જે દિન દયાલ…થી કર્યો. ત્યારબાદ અલબેલા સજન આયો રે…થી વૃંદાવનની સારંગ: ટ્રેડિશનલ બંદીશ: બન બન ઢુંઢન જાઊં… રજૂ કરી. ત્યારબાદ મરાઠી અભંગ: હરિ મહણા તુંમી ગોવિંદ મ્હાના હરિ નારાયણ, પ્રભાતિયા : રાગ માંડ પર..જાગને જાદવા અખંડ રોજી, ઓધાજી મારા વાલા ને.., રાગ ભોપાલી: ઓમ નમઃ શિવાય, માંડ મિશ્રિત ખમાજ: રામસભામાં અમે રમવાને ગ્યાતા અને જાગોને અલબેલા કાના…. રજૂ કર્યાં. થોડાંક વિરામ સમયે: સચિન મોદીએ વાંસળીની ધૂન પર મારા ઘટમાં બિરાજતા અને કૃષ્ણ સીરીયલનું ટાઈટલ મ્યુઝિક, હનુમાનજીની ક્લાસિકલ સ્તુતિ રાગ જોગ પર હનુમાનલલા, મેરે પ્યારે લલા.., પ્રેક્ષકની પસંદ : રાગ કેદાર: દર્શન દો ઘનશ્યામ, અંતમાં ક્લાસિકલ રામધૂન રામ જય રામ જય જય રામ રજૂ કર્યા હતા.

કંદર્પ શુક્લની સાથે મોહિત વિશ્વકર્મા – હાર્મોનિયમ પર, સાહિલ ચૌહાણ – તબલા પર, સત્યમ કાનાબાર – મંજીરા પર, સચિન મોદી – વાંસળીની સાથે ભક્તિ, શાસ્ત્રીય સંગીત તથા પ્રભાતમાં ગવાતા રાગની રજૂઆત કરી હતી. પ્રભાતના શાંત અને પવિત્ર વાતાવરણમાં રજૂ થયેલા સંગીતથી ઉપસ્થિત શ્રોતાઓએ આત્મિક શાંતિ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ કર્યો હતો.

ઉદગમ સુર પ્રભાતના અંતે ઉદગમના મે. ટ્રસ્ટી ડો. મયુર જોષીએ આવી અદભૂત પ્રસ્તુતિ બદલ કલાકારો અને સહુ ઉપસ્થિતિ શ્રોતાઓનો આભાર માન્યોં હતો. કાર્યક્રમનું મંચ સંચાલન પારૂલબેન મહેતાએ કર્યું અને સમગ્ર સફળ બનાવવા દીપાંશ છાબડા, વાગ્મી જોષી, કિરાત જોષી, કૃણાલ વાઘેલા એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં ચાણક્ય જોષી, દીક્ષિતા જોષી, અનિતા ચાવડા, શરદ વ્યાસ, ડો. રાજેન્દ્ર જોષી, પન્નાબેન જોષી વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.