તહેરાનઃ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયરની જાહેરાત પછી પણ ટેન્શનની સ્થિતિ પ્રવર્તે છે. USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેમણે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, હવે એના ઉલ્લંઘનથી નારાજ છે. તેમણે ફરી કહ્યું છે કે બંને દેશોએ સીઝફાયરનું પાલન કરવું જોઈએ.
વાસ્તવમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર થયું કે નહીં એ બાબતે પણ અસ્પષ્ટતા છે. એક તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સીઝફાયરની જાહેરાત કરીને કહ્યું હતું કે તેની પહેલ ઈરાન કરશે, ત્યારે બીજી તરફ ઈરાને એ યુદ્ધવિરામ નકારી કાઢતાં કહ્યું છે કે ઈઝરાયલ આક્રમણ બંધ નહીં કરે ત્યાં સુધી કોઈ સીઝફાયર શક્ય નથી.
ટ્રમ્પનો સંદેશ: કૃપા કરીને સીઝફાયર ન તોડો
ટ્રમ્પે લખ્યું હતું કે સીઝફાયર હવે અમલમાં છે. કૃપા કરીને તેનો ભંગ ન કરો! – ડોનાલ્ડ જે. ટ્રમ્પ, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ના રાષ્ટ્રપતિ
Trump has announced that the ceasefire is now in effect and urged everyone to respect it. 📢 #Ceasefire pic.twitter.com/ztqHlpYXic
— MiloX Trading (@CryptoMilox) June 24, 2025
ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચીએ X પર લખ્યું છે કે હાલની લડાઈ ઈઝરાયલ દ્વારા શરૂ કરવામાં આવી છે અને ઈરાને એના સામે જવાબ આપવો પડ્યો. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી કોઈ સીઝફાયર અથવા લશ્કરી કાર્યવાહીના અંત અંગે કોઈ સહમતી થઈ નથી. જો ઇઝરાયલ પોતાની દાદાગીરી અને આક્રમણ મોડી રાતે ચાર વાગ્યા સુધી બંધ કરશે તો ઇરાને પ્રતિસાદ બંધ કરવાનું વિચારશે.
અરાઘચીએ વધુમાં કહ્યું હતું કે અમે અમારા બહાદુર સૈનિકોનો આભાર માનીએ છીએ, જેમણે આખરી ક્ષણ સુધી દેશની રક્ષા કરી. ટ્રમ્પની સીઝફાયરની જાહેરાતની થોડી જ વારમાં ઇઝરાયલે ફરી ઈરાનનાં અનેક સ્થળોએ હુમલા શરૂ થયા હતા. એમ અહેવાલ કહે છે.
