પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બનેલી એક ઘટનાથી લશ્કર-એ-તૈયબા અને આતંકવાદી નેટવર્કમાં ગભરાટ ફેલાયો છે. લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર રઝાઉલ્લાહ નિઝામાની ઉર્ફે સૈફુલ્લાહ ખાલિદની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી. સિંધ પ્રાંતના માટલી શહેરના ફાલકારા ચોક નજીક તેમની હત્યા કરવામાં આવી હતી, જ્યાં હુમલાખોરોએ તેમના ઘરની બહાર આવતાની સાથે જ તેમને નિશાન બનાવ્યા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
સૈફુલ્લાહ ભારતમાં કયા હુમલામાં સામેલ હતો?
2006 માં, મહારાષ્ટ્રના નાગપુરમાં RSS મુખ્યાલય પર હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
2001 માં, રામપુરમાં CRPF કેમ્પ પર હુમલો થયો હતો. ૨૦૦૫માં બેંગ્લોરમાં હુમલો થયો હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના એક ઓડિટોરિયમમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાંથી બહાર નીકળતા લોકો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો જેમાં એક પ્રોફેસરનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
સૈફુલ્લા ખાલિદ લશ્કર-એ-તૈયબાનો ઓપરેટિવ હતો. લશ્કર-એ-તૈયબાએ ભારતમાં હુમલાની તૈયારી કરવાનું કામ સોંપ્યું હતું. જે પછી, તેણે ઘણા વર્ષો સુધી નેપાળમાં એક ઠેકાણું સ્થાપ્યું અને ત્યાંથી ભારતમાં સતત આતંકવાદી હુમલાઓ કરતો રહ્યો. પરંતુ જ્યારે ભારતીય ગુપ્તચર એજન્સીઓને તેના વિશે માહિતી મળી, ત્યારે તે નેપાળથી ભાગી ગયો અને પાકિસ્તાનમાં છુપાઈ ગયો. તે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો.
