અંબાણી પરિવારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષા નીતા અંબાણી અને પરિવારના સભ્યોએ સોમેશ્વર પૂજન અને ધ્વજાજી પૂજન કર્યુ.

સોમનાથ મંદિરની મુલાકાત લીધા પછી મુકેશ અંબાણીએ બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. નીતા અંબાણીએ “જય સોમનાથ, હર હર મહાદેવ!” ના નારા લગાવ્યા.

સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર ગુજરાતમાં આવેલું છે. તેને બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ માનવામાં આવે છે. અરબી સમુદ્રના કિનારે આવેલું આ મંદિર ભવ્ય સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. અનેક વખત નાશ પામ્યું – આ મંદિર વિશે સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ઘણા શાસકોએ તેનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં, તે હજુ પણ અરબી સમુદ્રના કિનારે ગર્વથી ઉભું છે.

મુકેશ અંબાણી, નીતા અંબાણી અને અનંત અંબાણીએ મહાદેરના દર્શન કર્યા હતાં. જેની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે.




