ECBએ ઇંગ્લેન્ડના ઝડપી ઓલી રોબિનસન પર પ્રતિબંધ મૂક્યો

લંડનઃ ઇંગ્લેન્ડના ઝડપી બોલર ઓલી રોબિનસને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પસંદગી થવાની આશા હશે, તેણે પોતાના પ્રદર્શનથી પણ એ સાબિત કરી દેખાડ્યું હતું, તેમ છતાં તે આવનારી કોઈ મેચમાં નહીં રમી શકે, કારણ કે તેણે ભૂતકાળમાં એક એવી ભૂલ કરી હતી કે જેની માફી સરળતાથી નહીં મળે. ઇંગ્લેન્ડ અને ન્યુ ઝી લેન્ડની વચ્ચે લોર્ડ્સમાં પહેલી ટેસ્ટ મેચ ખતમ થયા બાદ રવિવારે છઠ્ઠી જૂને ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ યુવા ઝડપી રોબિનસનને તરત જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિલંબિત કરી દીધો. લોર્ડ્સ ટેસ્ટથી ડેબ્યુ કરનારા રોબિનસનને 7-8 વર્ષ પહેલાં વંશવાદી, રંગભેદી અને લિંગભેદી ટ્વિટ્સ કરવા બદલ ECBથી આકરી સજા મળી છે.  

ઇન્ગલેન્ડ અને ન્યુ ઝીલેન્ડની વચ્ચે બીજી જૂનથી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર શરૂ થયેલી બે મેચોની ટેસ્ટ સિરીઝના પહેલા મુકાબલામાં રોબિનસને ડેબ્યુ કર્યું હતું. જોકે તેના જૂના ટ્વિટ્સે બધાને ચોંકાવી દીધા હતા, બલકે રોબિનસન અને ઇંગ્લિશ બોર્ડને શરમમાં મૂકી દીધા હતા. રોબિનસને પછી એના માટે માફી માગી હતી.

 આ નિર્ણયને પગલે તે હવે 10 જૂનથી બર્મિંગહામમાં થનારી બીજી ટેસ્ટ નહીં રમી શકે. ECBના જણાવ્યા મુજબ તે ન્યુ ઝીલેન્ડની સામે 10 જૂનથી એજબેસ્ટન (બર્મિંગહામ)માં શરૂ થનારી બીજી ટેસ્ટમાં પસંદગી માટે ઉપલબ્ધ નહીં રહે.રોબિનસન તરત ઇન્ગલેન્ડ કેમ્પ છોડી દે અને કાઉન્ટીમાં પરત ફરશે.  

રોબિનસને 18 વર્ષની ઉંમરે કેટલાક ટ્વિટસ કર્યા હતા, જે સીધા વંશવાદી, રંગભેદી અને લિંગભેદી હતી. આમાં અશ્વેત લોકો માટે ઉપયોગ માટે કરાયેલા અપશબ્દ, મહિલાઓને લઈને અશ્લીલ વાતો અને એશિયાના મૂળના લોકોની સામે ઘૃણાભરી વાતો લખી હતી. આ ટ્વિટ્સ સામે આવ્યા પછી રોબિનસને પહેલા દિવસની રમતને અંતે માફી માગી અને કહ્યું હતું કે આ ટ્વીટ તેણે જ્યારે કર્યા હતા- એ વખતે તે સારી સ્થિતિમાં નહોતો. એ દરમ્યાન તેણે યોર્કશાયર કાઉન્ટીથી દુર્વ્યવહારને કારણે કાઢી મૂકવામાં આવ્યો હતો. જોકે તેણે માફીનામામાં રોબિનસનની સાથે કહ્યું હતું કે પોતાની કેરિયરની અત્યાર સુધી મોટા દિવસે હું મારા આઠ વર્ષ જૂના વંશવાદ અને લિંગભેદી ટ્વિટ્સ પર બહુ શરમ અનુભવું છું, જે આ જે બધાની સામે આવ્યા છે. હું એ સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે હું વંશવાદી નથી અને લિંગભેદી નથી. રોબિનસનની સાથે ડ્રેસિંગ રૂમમાં ટીમના સાથે ખેલાડીઓથી માફી માગી છે. રોબિનસનના આ ટ્વિટ્સ પછી ECBના મુખ્ય કાર્યકારી અધિકારી ટોમ હેરિસને નિવેદન જારી કરીને કહ્યું હતું કે યે સાંખી ન શકાય કે અને તેની સામે તપાસ કરવામાં આવશે.