ટીમ ઈન્ડિયાએ ગઈકાલે 9 માર્ચના દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું ખિતાબ ત્રીજી વખત પોતાને નામ કરી છે. આ વિજય માત્ર ટીમ ઈન્ડિયા જ નહીં પરંતુ આખા દેશ માટે એક તહેવાર બની ગયો હતો. ફાઈનલમાં ટીમના શાનદાર પ્રદર્શને સાથે કેટલાક લોકપ્રિય ખેલાડિયોની નિવૃતિની અટકળો પણ સામે આવી હતી. કોઈ પણ સારી પ્રસિદ્ધિ મળ્યા બાદ લોકોમાં સામાન્ય વાતને લઈ અટકોળો લાગવાની સ્પર્ધા શરૂ થવી કોઈ પણ માટે નવાઈની વાત નથી.
9 માર્ચ, 2025ના રોજ દુબઈમાં યોજાયેલી ફાઇનલ મેચમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં ફક્ત 30 રન આપીને ટોમ લેથમની મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. મેચ દરમિયાન એક ખાસ ક્ષણે, જ્યારે જાડેજાએ પોતાનો અંતિમ બોલ ફેંક્યો, ત્યારે વિરાટ કોહલીએ તેને ભાવુક રીતે ગળે લગાવ્યો. આ દ્રશ્ય જોઈને ચાહકોમાં જાડેજાની નિવૃત્તિ અંગેની શંકાઓ ઉઠી. જ્યારે વિજય બાદ 10 માર્ચે જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી – “બિનજરૂરી અફવા ન ફેલાવો, આભાર.” આ નિવેદન બાદ ચાહકોએ રાહતની શ્વાસ લીધો હતો, અને તેમની નિષ્ઠા અને રમતમાં અવિરત યોગદાનની પ્રશંસા કરી. ઉલ્લેખનીય છે કે, ફાઇનલ પહેલાં કેપ્ટન રોહિત શર્માની પણ નિવૃત્તિ અંગેની ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે, પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે સ્પષ્ટતા કરી – “હજુ હું કોઈપણ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નથી.”
