શમી, શીતલ સહિત 26 ખેલાડીઓને મળશે અર્જુન એવોર્ડ

નવી દિલ્હીઃ દેશની સ્ટાર બેડમિન્ટન જોડી સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી ને ચિરાગ શેટ્ટીને વર્ષ 2023 માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે, જ્યારે વનડે વિશ્વકપમાં શાનદાર દેખાવ કરનાર ક્રિકેટર મોહમ્મદ શમી અને પેરા એશિયન ગેમ્સમાં ચેમ્પિયન તીરંદાજ શાતલ દેવી સહિત 26 રમતવીરોને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. એ એવોર્ડ રાષ્ટ્રપતિ ભવનમાં નવ જાન્યુઆરીએ આયોજિત એક વિશેષ સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને હસ્તે આપવામાં આવશે.

નિવૃત્ત જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ જે નામોના સૂચન કર્યા હતા, તેમને ખેલરત્ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સિવાય મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. જ્યારે ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023થી સન્માનિત કરવામાં આવશે. આ તમામ પુરસ્કારો આ ખેલાડીઓને તેમની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામાં આવશે. ખેલ મંત્રાલયે કહ્યું છે કે સમિતિઓની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ સરકારે આ તમામ ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓને એવોર્ડ માટે પસંદ કર્યા છે. મંત્રાલયે તમામ પુરસ્કારો મેળવનાર ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓની યાદી પણ જાહેર કરી છે.

આ વખતે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ નીચે મુજબ આપવામાં આવશે

ખેલ રત્ન એવોર્ડ

ચિરાગ શેટ્ટી – બેડમિન્ટન

સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી – બેડમિન્ટન

અર્જુન એવોર્ડ

ઓજસ પ્રવીણ દેવતળે – તીરંદાજી

અદિતિ ગોપીચંદ સ્વામી – તીરંદાજી

શ્રીશંકર – એથ્લેટિક્સ

પારુલ ચૌધરી – એથ્લેટિક્સ

મોહમ્મદ હુસામુદ્દીન – બોક્સર

આર વૈશાલી – ચેસ

મોહમ્મદ શમી – ક્રિકેટ

અનુષ અગ્રવાલ – ઘોડેસવારી

દિવ્યકૃતિ સિંહ – અશ્વારોહણ ડ્રેસ

દીક્ષા ડાગર – ગોલ્ફ

કૃષ્ણ બહાદુર પાઠક – હોકી

સુશીલા ચાનુ – હોકી

પવન કુમાર – કબડ્ડી

રિતુ નેગી – કબડ્ડી

નસરીન – ખો-ખો

પિંકી – લૉન બોલ્સ

ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર – શૂટિંગ

ઈશા સિંહ – શૂટિંગ

હરિન્દર પાલ સિંહ – સ્ક્વોશ

આયિકા મુખર્જી – ટેબલ ટેનિસ

સુનીલ કુમાર – કુસ્તી

અંતિમ – કુસ્તી

રોશીબીના દેવી – વુશુ

શીતલ દેવી – પેરા તીરંદાજી

અજય કુમાર – બ્લાઇન્ડ ક્રિકેટ

પ્રાચી યાદવ – પેરા કેનોઇંગ