રાહુલની જીભ કાપનારને રૂ. 11 લાખનું ઈનામ આપીશ :શિવસેના નેતા

મહારાષ્ટ્રમાં શિંદે જૂથના શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપ્યું છે. ગાયકવાડે કહ્યું કે જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયાનું ઈનામ આપશે. શિવસેનાના ધારાસભ્યએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણ ખતરામાં છે. આવી નકલી વાતો ફેલાવીને લોકોના મત લીધા અને આજે તેઓ અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે.

આજે તેઓ પછાત લોકો અને આદિવાસીઓ માટે અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે. રાહુલે જે ભાષા બોલી છે કે તેઓ અનામત ખતમ કરી દેશે. હું કહું છું કે જે કોઈ રાહુલની જીભ કાપશે તેને હું 11 લાખ રૂપિયા આપીશ. રાહુલ ગાંધી પછાત લોકો, આદિવાસીઓ અને અન્ય લોકો માટે 100 ટકા આરક્ષણ સમાપ્ત કરવા માંગે છે. આરક્ષણ ખતમ કરવાની ઈચ્છા તેમના મનમાં આવી. કોંગ્રેસનો અસલી ચહેરો સામે આવ્યો. મારું આ નિવેદન મારી પ્રસિદ્ધિ માટે નથી. આપણે પછાત વર્ગો અને ઓબીસીની દુર્દશા જોઈ રહ્યા છીએ. આજે આપણે એ સમાજને આપણી સાથે લાવવાની જરૂર છે. તેમની વેદનાને ધ્યાનમાં રાખીને મેં આ નિવેદન આપ્યું છે.

બીજેપી નેતા બિટ્ટુએ રાહુલ ગાંધીને આતંકવાદી કહ્યા

સંજય ગાયકવાડ પહેલા કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રવનીત સિંહ બિટ્ટુએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેણે રાહુલને આતંકવાદી કહ્યા છે. બિટ્ટુએ કહ્યું કે, રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે, રાહુલ ગાંધીને પોતાના દેશ પ્રત્યે બહુ પ્રેમ નથી. તેણે કહ્યું કે સૌથી પહેલા તે ભારતીય નથી. તેમણે દેશની બહાર ઘણો સમય વિતાવ્યો છે. તેઓ બહાર જાય છે અને બધું ખોટું કહે છે. દેશની સુરક્ષા એજન્સીએ તેની ધરપકડ કરીને તપાસ કરવી જોઈએ.