કોણે-કોણ પહોંચ્યું રતન ટાટાના અંતિમ દર્શન કરવા?

મુંબઈ: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન પર દેશભરની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્ર-ઝારખંડ જેવા રાજ્યોમાં એક દિવસનો રાજ્ય શોક મનાવવામાં આવ્યો હતો. પીએમ મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રતન ટાટાના પાર્થિવ દેહને સવારે 10 વાગ્યાથી NCPA ખાતે દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જ્યાં તેમને શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે.

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહથી લઈ મુકેશ અંબાણી સહિતના નામી લોકો તેમને શ્રધ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં.

ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી સાથે રતન ટાટાના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતાં.

(તમામ તસવીરો: દીપક ધૂરી)