શેફાલી જરીવાલાના મૃત્યુથી ઈન્ડસ્ટ્રીમાં બધાને આઘાત લાગ્યો છે. કાંટા લગા ગર્લ તરીકે જાણીતી અભિનેત્રીનું શુક્રવારે રાત્રે 42 વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. 28 જૂન, શનિવારે મુંબઈમાં અભિનેત્રીના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી. જેમાં મીકા સિંહ, સુનિધિ ચૌહાણ અને અન્ય સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા.
શેફાલી જરીવાલાના પરિવારના ફોટા અને વીડિયો જોઈને દરેક વ્યક્તિ ભાવુક થઈ રહ્યા છે. હવે, પ્રિયંકા ચોપરાએ પણ શેફાલીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. શેફાલીના મૃત્યુ પછી પરાગ ત્યાગીની હાલત જોઈને પ્રિયંકાએ દુઃખ વ્યક્ત કર્યું છે.
પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેફાલીનો ફોટો શેર કર્યો અને તેના અચાનક અવસાન પર શોક વ્યક્ત કર્યો. તેણે લખ્યું, ‘ખૂબ જ દુઃખદ. તે ખૂબ નાની હતી. પરાગ અને પરિવાર પ્રત્યે મારી સંવેદના.’ શેફાલીએ પ્રિયંકા, સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘મુઝસે શાદી કરોગી’માં કામ કર્યું હતું. શેફાલીના મૃત્યુ પછી ઓશિવારા સ્મશાનગૃહમાં તેના અંતિમ સંસ્કારના ઘણા વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યા છે. જે જોઈને કોઈનું પણ હ્રદય કંપી ઉઠે. તાજેતરમાં, એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પરાગ તેની પત્ની શેફાલી જરીવાલાના અસ્થિઓને વિસર્જન માટે દરિયામાં લઈ જઈ રહ્યા હતા ત્યારે તે ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતાં.
27 જૂનની રાત્રે, શેફાલીને હૃદયરોગનો હુમલો આવતાં તેના પતિ પરાગ ત્યાગી તેને બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મુંબઈ પોલીસે મૃત્યુનું કારણ જાણવા માટે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. શબપરીક્ષણ પછી પોલીસ અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે મૃત્યુનું કારણ ટૂંક સમયમાં બહાર આવશે. ઉપરાંત, અંબોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે શેફાલી જરીવાલા છેલ્લા 8 વર્ષથી એન્ટીએજિંગ દવાઓ અને ઇન્જેક્શન લઈ રહી હતી. મીકા સિંહ, સુનિધિ ચૌહાણથી લઈને તેના બિગ બોસ 13 ના સહ-સ્પર્ધકો શહેનાઝ ગિલ, માહિરા શર્મા, પારસ છાબરા, હિન્દુસ્તાની ભાઉ, આરતી સિંહ અને રશ્મિ દેસાઈ સુધી ઘણા સેલેબ્સે શેફાલી જરીવાલાના અંતિમ સંસ્કારમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
