અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયા બાદ અવસાન થયા બાદ રાજકોટમાં તેમની અંતિમવિધિ કરવામાં આવશે. રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે. તેમજ પોલીસે અંતિમયાત્રાના એક કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેનામું બહાર પાડ્યું છે. આખા રુટ પર ‘નો પાર્કિંગ અને નો એન્ટ્રી’ રહેશે અને નિર્મલા રોડથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમયાત્રા રહેશે.
Gandhinagar, Gujarat: On the demise of former Gujarat Chief Minister Vijay Rupani in the Air India Flight AI171 crash, Home Minister Harsh Sanghavi says, "Our leader, who dedicated the most significant part of his life to public service across Gujarat, has sadly passed away in… pic.twitter.com/00KHyc9Gwf
— IANS (@ians_india) June 15, 2025
તેમના નિવાસસ્થાનથી અંતિમ યાત્રા કાઢતા રામનાથપરા સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવાના છે. એક કલાક પૂર્વે આ જાહેરનામું અમલ કરતા નિવાસ સ્થાન પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ રોડથી કોટેચા ચોક, કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદિર, મહિલા કોલેજ અન્ડરબ્રીજ, એસ્ટ્રોન ચોક, ડોક્ટર દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણ બાગ, ઢેબર ચોક, કોર્પોરેશન ચોક, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, પેલેસ રોડ ટી પોઈન્ટ, કોઠારિયા પોલીસ ચોકી, ગરુડ ગરબી ચોકથી રામનાથપરા સુધી, પાંજરાપોળથી રામનાથપરા અને ગઢની રાંગ ભીચરી નાકા તરફથી રામનાથપરા સ્મશાનગૃહ સુધી તમામ વાહનોને નો પાર્કિંગ અને નો એન્ટ્રી ફરમાવવામાં આવી છે.
Gandhinagar, Gujarat: CM Bhupendra Patel arrives at the residence of late former Chief Minister Vijay Rupani pic.twitter.com/P4e8yhajvj
— IANS (@ians_india) June 15, 2025
આ કપળા સમયે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે, નિમુ બાંભણિયા વિજય રુપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંજલિબેનને સાંત્વના આપવા પહોંચ્યા હતા.
