પ્રવેશ વર્માનો સત્યેન્દ્ર જૈન પર રૂ. 600 કરોડના કૌભાંડનો આરોપ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાનું ચોમાસુ સત્ર 2025નો આજે બીજો દિવસ છે. 8 ઓગસ્ટ સુધી ચાલનારા આ સત્ર દરમિયાન આજે વિધાનસભામાં CAG રિપોર્ટ્સને લઈને ગરમાગરમ ચર્ચાની શક્યતા છે.

સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી રહી છે. દિલ્હી સરકારના PWD મંત્રી પ્રવેશ વર્માએ ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન પર રૂ. 650 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે LNJP હોસ્પિટલના વધારાના નિર્માણ મામલે દરેક તબક્કા પછી જૈન પ્રોજેક્ટનો ખર્ચ વધારી દેતા હતા. તેમણે કહ્યું હતું કે એક ફાઇલ સામે આવી છે, જેમાં રૂ. 650 કરોડના ભ્રષ્ટાચારનો ઉલ્લેખ છે અને તે ફાઇલ લેફ્ટેનન્ટ ગવર્નર (LG) પાસે મોકલવામાં આવી છે. હવે ACB અથવા CBI  આ મામલાની તપાસ કરશે.

દિલ્હી વિધાનસભામાં પ્રવેશ વર્માએ ફાંસી ઘર માટે કહ્યું હતું કે આ ભૂતપૂર્વ સરકાર દ્વારા ફેલાવાયેલું ષડયંત્ર છે. તેમણે જણાવ્યું કે તેને જલદી દૂર કરવામાં આવશે.

દિલ્હી એજ્યુકેશન બિલના વિરોધમાં વિધાનસભા પાસે ચંદગીરામ અખાડામાં વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુનાઇટેડ પેરેન્ટ્સ વોઇસના બેનર હેઠળ થયેલા આ વિરોધમાં વાલીઓએ કહ્યું હતું કે આ બિલ વાલીઓના હિતમાં નહીં, પણ ખાનગી શાળાઓને ફાયદો પહોંચાડવા માટે બનાવાયું છે. તેમણે માગ કરી હતી કે આ બિલને અટકાવવામાં આવે અને વાલીઓની સલાહ લઇને અમલમાં મૂકવામાં આવે.દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સુદે ખાનગી શાળાઓની ફી પર નિયંત્રણ લાવવાનું કહેતાં દિલ્હી સ્કૂલ એજ્યુકેશન ટ્રાન્સપેરન્સી ઇન ફિક્સેશન એન્ડ રેગ્યુલેશન ઓફ ફી 2025 બિલ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ બિલ ખાનગી શાળાઓની ફી પારદર્શક રીતે નિયંત્રિત કરશે.