PM મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં PM મોદી 3 જિલ્લાઓના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદ, મહેસાણા અને નવસારીમાં કાર્યક્રમ યોજાશે. જેમાં સવારે 10.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સહકાર વિભાગનો કાર્યક્રમ છે. જેમાં 1 લાખથી વધુ સહકારી આગેવાન-ખેડૂતો હાજર રહેશે. 22, 24 અને 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન ગુજરાત આવશે. તેમાં 22 ફેબ્રુ.એ સવારે 10:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે. અમદાવાદ એરપોર્ટથી સીધા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જશે. તેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 વાગ્યા સુધી કાર્યક્રમમાં હાજર રહેશે.


નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સહકાર વિભાગના કાર્યક્રમમાં હાજર રહેશે. તેમજ બપોરે 2:30 વાગ્યે તરભ વાળીનાથ ધામ પહોંચશે. જેમાં તરભ વાળીનાથ મહાદેવ મંદિરમાં PM મોદી પૂજા અર્ચના કરશે. તેમજ PM મોદી વાળીનાથ ધામમાં 4થી 5 સાંજે સભાને સંબોધન કરશે. તથા તરભ વાળીનાથ ધામથી PM મોદી નવસારી જવા રવાના થશે. જેમાં નવસારીના જલાલપોરમાં વિકાસ કાર્યોની ભેટ આપશે. તેમજ કાકરાપાર અણુ ઉર્જા મથકની મુલાકાત લેશે.

સાંજે 6થી 7 વાગ્યે PM મોદી અણુઉર્જા મથકની મુલાકાત લેશે. તેમજ 22 ફેબ્રુઆરીએ જલાલપોરમાં PM જનસભા સંબોધશે. તથા સુરત એરપોર્ટથી વારાણસી કાર્યક્રમમાં જવા રવાના થશે. જ્યા 23 ફેબ્રુઆરીએ PMનો વારાણસીમાં કાર્યક્રમ છે. તથા 24 ફેબ્રુઆરીએ સાંજે PM મોદી જામનગર આવશે. તેમજ જામનગરમાં રોડ શોમાં હાજરી આપી શકે છે. 25 ફેબ્રુઆરીએ દ્વારકાધીશ મંદિરમાં શીશ ઝુકાવશે. તેમજ મંદિરમાં દર્શન બાદ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. તેમજ લોકાર્પણ બાદ જનસભા સંબોધન કરશે. તથા રાજકોટમાં એઇમ્સનાં કાર્યક્રમમાં હાજરી આપશે. તથા રાજકોટમાં પણ જનસભા સંબોધન કરશે.