વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવશે. આ વખતે તેઓ રાજકોટની મુલાકાત લેશે તેવી વિગતો સામે આવી છે. મળતી માહીતી મુજબ વડાપ્રધાન મોદી આગામી 27 જુલાઈએ રાજકોટની મુલાકાતલેશે. અહીં તેઓ હિરાસર એરપોર્ટનું 27 જુલાઈના રોજ લોકાર્પણ કરશે. PM મોદીની આ મુલાકાતને લઈને વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

PM મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે

પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 અને 28 જુલાઈએ ગુજરાતની મુલાકાત લેશે. પીએમ મોદી તેમના બે દિવસના પ્રવાસમાં રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ કરશે અને સેમિકોન ઇન્ડિયાની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. તેઓ 27 જુલાઈએ રાજકોટની મુલાકાત લેશે.અહીં તેઓ હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે. આ અંગે કલેકટર તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

CM સહિત ગુજરાતના મંત્રીમંડળ સાથે PM મોદી કરશે બેઠક

હીરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ PM મોદી જંગી સભાને સંબોધન પણ કરશે. અને ત્યાર બાદ ગાંધીનગર જવા રવાના થશે. ગાંધીનગરમાં તેઓ સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ સાથે ડિનર ડિપ્લોમસી કરશે. જેમાં પ્રદેશ પ્રમુખ સહિત પાર્ટીના હોદ્દેદારો હાજર રહેશે. મહત્વનું છે કે નવી સરકાર રચાયા બાદ CM સહિત ગુજરાતના મંત્રીમંડળ સાથે PM મોદી પ્રથમ બેઠક કરશે.

ગુજરાતને સેમિકન્ડક્ટરનું હબ બનાવવાનો વડાપ્રધાનનું સ્વપ્ન

PM મોદી 28 જુલાઈએ મહાત્મા મંદિર ખાતે યોજાનાર 3 દિવસીય સેમિક્રોન સમિટનું ઉદ્ઘાટન કરશે.આ ઉપરાંત પીએમ મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યને વિકાસની અનેક ભેટો આપશે તેમને જણાવી દઈએ કે ગુજરાતને સેમિકન્ડક્ટરનું હબ બનાવવાનો વડાપ્રધાનનું સ્વપ્ન છે.

વડાપ્રધાન મોદીની સાથે આ મહાનુભાવો પર રહેશે હાજર

આ એરપોર્ટ તૈયાર થતાં જ જામનગર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ, મોરબી અને રાજકોટ સહિતના લોકોને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે.મહત્વનું છે કે આ સમગ્ર કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવ, વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ ઉપસ્થિત રહેશે.