નવી દિલ્હીઃ ભાજપના સાંસદ નિશિકાંત દુબેની સુપ્રીમ કોર્ટ પર વિવાદિત ટિપ્પણી પર દેશમાં હંગામો થઈ રહ્યો છે અને વિરોધ પક્ષોએ તેમની વિરુદ્ધ કોર્ટના અવહેલનાની કાર્યવાહી કરવાની માગ કરી છે, ત્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે બંધારણમાં ભારત સરકારના નિર્ધારિત માળખામાં ન્યાયતંત્રના અધિકાર ક્ષેત્ર પર ફરી એક વાર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે સંસદ સર્વોચ્ચ છે અને સાંસદ જ બંધારણના અંતિમ માલિક છે, તેનાથી ઉપર કોઇ પદાધિકારી ના હોઇ શકે.
દિલ્હી યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં બોલતાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું હતું કે 1977માં કટોકટી લાદનાર વડા પ્રધાનને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા, તેથી તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે બંધારણ લોકો માટે છે અને તે તેના રક્ષણનો ભંડાર છે.
તેમણે કહ્યું હતું કે ચૂંટાયેલા સાંસદ જ બંધારણને લઇને અંતિમ માલિક છે. બંધારણમાં સંસદથી ઉપર કોઇ પદાધિકારીની કલ્પના કરવામાં નથી આવી નથી. સંસદ સર્વોચ્ચ છે અને આવી સ્થિતિમાં આ દેશ દરેક વ્યક્તિ જેટલો જ સુપ્રીમ છે. તાજેતરમાં ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ દ્વારા વકફ કાયદાને લઇને ટિપ્પણીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે જો આવું જ છે તો સંસદને બંધ કરી દેવી જોઇએ. જ્યારે સુપ્રીમ પાવર કોર્ટ પાસે જ છે તો સંસદની શી જરૂર છે?
VIDEO | Speaking at an event in Delhi University, Vice-President Jagdeep Dhankhar (@VPIndia) said, “A prime minister, who imposed Emergency, was held accountable in 1977. Therefore, let there be no doubt about it – Constitution is for the people and it’s a repository of… pic.twitter.com/mjXt84tLcS
— Press Trust of India (@PTI_News) April 22, 2025
તેમણે સુપ્રીમ કોર્ટનાં બે વિરોધભાસી નિવેદનોનો હવાલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એક કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ પ્રસ્તાવના બંધારણનો હિસ્સો નથી (ગોલાકનાથ કેસ) અને બીજા કેસમાં તેણે કહ્યું હતું કે આ બંધારણનો હિસ્સો છે (કેશવાનંદ ભારતી કેસ).
