ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં જન માનસમાં પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીનતમ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન તેમજ જતન-સંવર્ધન માટે યોજના પંચકમ લોંચ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠકમાં તેમણે બોર્ડના લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ જો સંસ્કૃત વિષય રાખશે તો તેમને નાણાકીય સહાય સહિતની જોગવાઇ કરાઇ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે તેમના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠકમાં શિક્ષણ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યના પ્રચાર-પ્રસાર દ્વારા… pic.twitter.com/y0kyfzzJjk
— CMO Gujarat (@CMOGuj) June 17, 2025
પ્રથમ ચરણમાં લોંચ થઇ પંચકમ્ યોજના
પ્રાચીન ભાષા દરેક જન સુધી પહોંચે તેવા હેતુસર સંસ્કૃત સપ્તાહોત્સવ, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, સંસ્કૃત પ્રોત્સાહન યોજના અને શ્રીમદ્ ભગવત ગીતા યોજના તથા શત સુભાષિત કન્ઠ પાઠ યોજના એમ યોજના પંચકમ્ પ્રથમ ચરણમાં લોંચ કરવામાં આવી છે.
રક્ષાબંધન- સંસ્કૃત દિવસ નિમિત્તે વિશેષ આયોજન
પંચકમ્ માં સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના અન્વયે તા. 6-8-2025 થી તા. 12-8-2025 ના સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અન્ય સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવશે. સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બને તેવા પ્રયત્નો કરાશે. દર વર્ષે શ્રાવણ સુદ પૂનમ (રક્ષાબંધન)ને સંસ્કૃત દિવસ તરીકે ઉજવાય છે. તા. 9-8-2025 ને શનિવારે સંસ્કૃત દિવસ છે તેના ઉપલક્ષ્યમાં આ સપ્તાહ ઉજવાશે.
વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરે તો નાણાંકીય સહાય
જે માધ્યમિક શાળામાં ધોરણ 10 માં નોંધાયેલી સંખ્યા ૧૦૦થી ઉપર હોય તેવી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી તમામ વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરે તો બોર્ડ દ્વારા જેતે સંસ્થાને નાણાંકીય સહાય આપવામાં આવશે.
