‘જગરનોટ’ તરીકે જાણીતા પ્રખ્યાત ઓડિયા રેપર અને એન્જિનિયર અભિનવ સિંહ હવે આ દુનિયામાં નથી રહ્યા. જગરનોટે 32 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહ્યું. અભિનવ સિંહ બેંગલુરુના કડુબીસાનાહલ્લીમાં તેમના ભાડાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે મરાઠાહલ્લી પોલીસ સ્ટેશનમાં રેપરના મૃત્યુનો કેસ નોંધ્યો છે અને પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે તેમના મૃત્યુનું કારણ આત્મહત્યા હતી. પરંતુ, રેપરની માતા અને પરિવાર દ્વારા કરવામાં આવેલા દાવાઓએ દરેક જગ્યાએ હલચલ મચાવી દીધી છે. અભિનવની માતાએ તેની પત્ની અને અન્ય લોકો પર રેપર પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.
અભિનવ સિંહ જગરનોટના નામથી પ્રખ્યાત હતા
અભિનવ સિંહ, જે તેમના સ્ટેજ નામ ‘જગરનોટ’ થી પ્રખ્યાત હતા, તે ઓડિયા રેપ ઉદ્યોગમાં એક જાણીતું નામ હતું. તેમણે માસી તોર (તન્મય સાહુ) સહિત ઘણા પ્રખ્યાત કલાકારો સાથે કામ કર્યું. “કટક એન્થમ” માટે પ્રખ્યાત અભિનવ સિંહ કેટલીક કાનૂની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, જેમાં હુમલાના આરોપોનો પણ સમાવેશ થાય છે. પોલીસ તેમના મૃત્યુના સંજોગોની તપાસ કરી રહી છે.
અભિનવ સિંહના પરિવારનો દાવો
અભિનવ સિંહના પરિવારના સભ્યોએ શંકા વ્યક્ત કરી છે કે સિંહનો તેની પત્ની સાથે ચાલી રહેલો વિવાદ તેની આત્મહત્યા પાછળનું કારણ હોઈ શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, જગરનોટ પોતાના પર લાગેલા આરોપોથી નારાજ હતા, જેના કારણે તેમણે ઝેર પીને આત્મહત્યા કરી લીધી. પોસ્ટમોર્ટમ પછી તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ઓડિશા મોકલવામાં આવ્યો છે.
પરિવારે 8-10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
અભિનવ સિંહના પરિવારે લાલબાગ પોલીસમાં ઔપચારિક ફરિયાદ પણ નોંધાવી છે, જેમાં 8 થી 10 લોકોના નામ નોંધાયા છે. પરિવારે રેપરના મૃત્યુની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. તેમના પિતા, વિજય નંદા સિંહનો દાવો છે કે તેમનો પુત્ર તેમની પત્ની અને અન્ય લોકો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને કારણે માનસિક રીતે અસ્વસ્થ હતો, જેના કારણે તેણે આ પગલું ભર્યું.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)