નવી દિલ્હીઃ પાકિસ્તાન આર્મીના હુમલાઓનો જવાબ આપતાં ભારતીય સેનાએ પાકિસ્તાનના છ એરબેઝ ઉડાડી નાખ્યાં છે. સેનાએ પાકિસ્તાની લશ્કર અને લોજિસ્ટિક્સનાં મહત્વના બેઝ પણ નષ્ટ કરી નાખ્યાં છે. જેને કારણે પાકિસ્તાની આર્મી હવે આંધળી અને લૂલી બની ગઈ છે. હવે તેની પાસે HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ AWACS રડાર નથી, જેના દ્વારા તે ભારતીય સેના પર નજર રાખતી હતી. એટલે પાકિસ્તાન પાસે હવે પોતાની સેનાને આગળ ધપાવવાનો જ રસ્તો બચ્યો છે
દક્ષિણ એશિયા મુદ્દાઓના નિષ્ણાત માઈકલ કુગેલમેનએ જણાવ્યું કે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ થયા પછી અને AWACS જેવા ઉપકરણો તબાહ થયા પછી તે હવાઈ યુદ્ધમાં ભારતનો સામનો કરી શકશે નહીં. તેથી, તે જમીન પરના યુદ્ધ અને ગોળીબાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેના માટે સરહદ પર સૈન્યને તહેનાત કરવામાં આવી રહ્યું છે.
પંજાબના શેરકોટમાં સેનાએ ભારે વિનાશ ફેલાવ્યો છે. ત્રણ હેંગર, એક કન્ટ્રોલ ટાવર અને બે ઈંધણ સ્ટોરેજ યુનિટ્સને ભારે નુકસાન થયું છે. જેને કારણે પાકિસ્તાનની આખી વ્યૂહરચના નિષ્ફળ થઈ ગઈ છે.
ભારતીય સેનાના હુમલાએ પાકિસ્તાનને વ્યૂહાત્મક અને માનસિક બંને સ્તરે ઝટકો આપ્યો છે. પોતાની સેનાને સરહદ તરફ મોકલીને પાકિસ્તાન બતાવવા માંગે છે કે તે હજી પણ ‘તૈયાર’ અને ‘સક્રિય’ છે, ભલે તેને મોટું નુકસાન ભોગવવું પડ્યું હોય. પાકિસ્તાનની સરકાર અને લશ્કર પોતાના નાગરિકોને બતાવવા માગે છે કે તેઓ જવાબ આપવા સક્ષમ છે. તે પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયાસ કરી રહી છે.ઘણા ડિફેન્સ એનાલિસ્ટ્સ માને છે કે પાકિસ્તાન આ એક્ટિવિટી દ્વારા LoC પર ટેન્શન વધારવા માગે છે, જેથી ભારતનું વ્યૂહાત્મક ધ્યાન ભટકાય અને આંતરિક સુરક્ષા પર દબાણ વધે.
