નેપાળનો પ્રચલિત કુકુર તિહાર તહેવાર ડભોડામાં ઉજવાયો

અમદાવાદ: નેપાળમાં દિવાળીના દરમિયાન એક અનોખા તહેવારની ઉજવણી અને પૂજન થાય છે. નેપાળના આ વાર્ષિક હિંદુ તહેવાર કૂતરા સહિત પશુઓનું પૂજન થાય છે. એ ઉત્સવ છે કુકુર તિહાર..

દિવાળી દરમિયાનના તિહારના બીજા દિવસે ઉજવાય છે. તિહારનો બીજો દિવસ, કુકુર તિહાર તરીકે ઓળખાય છે જે કૂતરાઓની પૂજા માટે સમર્પિત છે.આ દિવસે લોકો યમરાજ, મૃત્યુના દેવને પ્રસન્ન કરવા કૂતરાઓની પૂજા કરે છે. કારણ કે કૂતરાઓને એમના દૂત માનવામાં આવે છે. કૂતરાઓને તિલક લગાવી અને ગળામાં ફૂલની માલા પહેરાવવામાં આવે છે.પૂજારીઓ એમને મને માંસ, દૂધ, ઈંડા અને ડોગ ફૂડ સહિતના ખોરાક અર્પે છે. આ દિવસે કોઈ વ્યક્તિ કૂતરાઓ સાથે અયોગ્ય વર્તન કરે તે પાપ માનવામાં આવે છે. નેપાળ સહિત કેટલાક પ્રાંતમાં પ્રચલિત પશુ પૂજાના તિહાર આ ઉત્સવને ગાંધીનગરના ડભોડામાં ઉજવવામાં આવ્યો.ડભોડા બાર્કવિલે સાથે સંકળાયેલા સ્વાતિ વર્મા ચિત્રલેખા.કોમને કહે છે દિવાળીના ઉત્સવ દરમિયાન નેપાળમાં જે રીતે પશુઓની પૂજા થાય છે. એમાંય ખાસ કુકુર એટલે કે કૂતરાઓનું પૂજન થાય છે. એની ઉજવણી અમારા બાર્કવિલે કેમ્પસમાં કરી. આ અબોલ જીવોને લોકો સાચવે. એમની તરફ અનુકંપા રાખે એ અમારો ઉદ્દેશ છે..કારણ કુતરા સહિતના તમામ અબોલ જીવો જે આપણી આસપાસ રહે છે. એનો નિર્વાહ મનુષ્ય પર આધારિત છે.ડભોડા બાર્કવિલે કેમ્પસના કુકુર મહોત્સવમાં શ્વાન પ્રેમીઓ સાથે મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જોડાયા.

(પ્રજ્ઞેશ વ્યાસ- અમદાવાદ)