ગો કોરોના ગો: ચૈનાઈમાં કોરોનાને ભગાડવાનો પ્રયોગ

ચેન્નઈ: ભારતમાં કોરોના વાઈરસને કારણે ચાલી રહેલા લોકડાઉન વચ્ચે તમિલનાડુની રાજધાની ચેન્નાઈના રહેણાંક વિસ્તારમાં લોકો સંક્રમણથી બચવા માટે કુદરતની વારે આવ્યા છે. લોકો પાણીમાં હળદર અનેક કેટલીક ઔષધીઓ ભેળવીને તેનો જાહેર રસ્તાઓ પર છંટકાવ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે, આ કુદરતી મિશ્રણથી કોરોના વાઈરસનું સંક્રમણ દૂર થઈ શકે છે.

આ ઉપરાંત, વાઈરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન દ્વારા પણ કેટલાક મહત્વના પગલા લેવામાં આવ્યા છે. બિન જરૂરી દુકાનો બંધ કરાવવાની સાથે જ જરૂરી સામાનને ઘરના દરવાજા સુધી ડિલિવરી પૂરી પાડવામાં આવે છે. તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં કોરોના વાઈરસના મામલે રાજ્યના અન્ય વિસ્તારોની તુલનામાં વધારે છે. અત્યાર સુધીમાં અહીં 156 સંક્રમિત કેસ છે.

આ યોજના હેઠળ લગભગ 5000 ટ્રાઈસાઈકલ અને 2000 નાની મોટર ગાડિઓને મંજૂરી આપવામાં આવી છે જે સમગ્ર શહેરમાં શાકભાજી અને ગ્રોસરીનો સામાન વેચી રહી છે. આશા છે કે, આ કારણે દુકાનો પર લાગતી ભીડ ઓછી થશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ગુરુવારે સવારે તમિલનાડુમાં કુલ સંક્રમણનો આંકડો 738 પર પહોંચી ગયો. ગયા વર્ષના અંતમાં ચીનના વુહાન શહેરથી શરુ થયેલા કોરોના વાઈરસે ભારતમાં કુલ 5095 મામલાઓ છે જેમાંથી 472 લોકો સ્વસ્થ થઈ ગયા અને 166 લોકોના મોત થયા છે.