ત્રણ સગીર વિદ્યાર્થીઓએ આઠ વર્ષની કિશોરી પર ગેન્ગરેપ, હત્યા કરી

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. નંદયાલમાં આઠ વર્ષીય એક તરુણીની સાથે તેની જ સ્કૂલના  ત્રણ સગીર વિદ્યાર્થીઓએ ગેન્ગરેપ કર્યો છે અને તેની હત્યા કરી દીધી છે. હત્યા કર્યા પછી આરોપીઓએ તેના મૃતદેહને નહેરમાં ફેંકી દીધો હતો. આ દુર્ઘટના રવિવારે સાત જુલાઈએ મુચુમરી ગામમાં બની હતી. 10 જુલાઈએ આ કેસનો ખુલાસો થયો છે.

પોલીસના જણાવ્યાનુસાર 13-17 વર્ષના સગીર યુવકો તરુણી સાથે એક જ સ્કૂલમાં શિક્ષણ લેતા હતા. આરોપીઓએ તેને નવા રમતના મેદાનમાં લઈ જવાને બહાને એક સૂમસામ જગ્યાએ લઈ ગયા હતા.

પોલીસના જણાવ્યાનુસાર આંધ્ર પ્રદેશના નંદયાલ જિલ્લામાં આઠ વર્ષીય કિશારીની સાથે ત્રણ સગીર યુવકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો અને તેની હત્યા કરી હતી. હત્યા પછી યુવકોએ પુરાવાને નષ્ટ કરવા માટે તેના મૃતદેહને નહેરમાં ફેંકી દીધી હતી. ત્રીજા ધોરણની વિદ્યાર્થિની સાથે આરોપીઓએ પહેલાં યૌન ઉત્પીડન કર્યું હતું અને પછી તેની હત્યા કરીને તેને નહેરમાં ફેંકી દીધી હતી. પીડિતાના પિતાએ રવિવારે પુત્રી ગુમ થઈ હોવાની ફરિયાદ કરી હતી. પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કરી છે.

એક આરોપીના કબૂલનામાને આધારે પોલીસ તપાસ કરી રહી છે, કિશોરીનો મૃતદેહ હજી નથી મળી આવ્યો. સ્થાનિક લોકોએ કડક સજા આપવાની માગ કરતાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બનાવમાં પીડિતા ત્રીજા ધોરણની વિદ્યાર્થિની છે, જ્યારે 12 વર્ષીય બે આરોપી છઠ્ઠા ધોરણમાં છે, જ્યારે ત્રીજા કિશોરની વય 13 વર્ષની છે અને તે સાતમા ધોરણમાં છે.