અતીક-અશરફ હત્યાના આરોપીઓ 14-દિવસ સુધી અદાલતી કસ્ટડીમાં

પ્રયાગરાજઃ માફિયા ડોનમાંથી નેતા બનેલા અતીક એહમદ અને એના ભાઈ અશરફની ગઈ કાલે રાતે અત્રે હત્યા કરનાર ત્રણેય આરોપીને આજે સ્થાનિક કોર્ટે 14 દિવસ માટે અદાલતી કસ્ટડીમાં મોકલી દીધા છે. આ ત્રણ આરોપી છે – લવલેશ તિવારી (22) બાંદા નિવાસી, મોહિત ઉર્ફે સની (23) હમીરપુરનિવાસી અને અરૂણકુમાર મૌર્યા (18) કાસગંજનિવાસી.

Atiq Ahmad being brought to court.

અતીક-અશરફના મૃતદેહ પરિવારને સોંપી દેવાયા

અતીક અને અશરફના મૃતદેહ આજે પોસ્ટ-મોર્ટમ કરી લેવાયા બાદ એમના પરિવારજનોને સુપરત કરી દેવામાં આવ્યા હતા અને મૃતદેહોને દફનવિધિ માટે કબ્રસ્તાન પણ લઈ જવામાં આવ્યા હતા. આ જ કબ્રસ્તાનમાં ગયા શનિવારે અતીકના પુત્ર અસદની દફનવિધિ કરવામાં આવી હતી. આ જ કબ્રસ્તાનમાં ભૂતકાળમાં અતીકના માતા-પિતાની પણ દફનવિધિ કરવામાં આવી હતી. અતીકને કુલ પાંચ પુત્રો છે. અસદ ત્રીજા નંબરનો હતો. એ ફરાર હતો. એ ગઈ 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કરાયા બાદ ફરાર હતો.