સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં ASIના સર્વેને અટકાવ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે UPના વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પ્રાંગણમાં ASI સર્વે અટકાવી દીધો છે. એને મુસ્લિમ પક્ષ માટે મોટી રાહત માની શકાય. જિલ્લા જજ એકે વિશ્વેશના આદેશ પછી ASIની 43 સભ્યોની ટીમ જ્ઞાનવાપીનો સર્વે કરવા માટે પહોંચી હતી, પરંતુ મુસ્લિમ પક્ષે આ સર્વેને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. કોર્ટે ASI સર્વે પર બે દિવસ માટે સ્ટે લગાવતાં મુસ્લિમ પક્ષને હાઇકોર્ટ જવાના નિર્દેશ આપ્યા હતા.

 જ્ઞાનવાપી મામલે મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટમાંથી મોટા આંચકો લાગ્યો છે. કોર્ટે જ્ઞાનવાપી પ્રાંગણમાં ASI સર્વે પર પ્રતિબંધ લગાવવાથી ઇનકાર કરી દીધો છે. વળી, કોર્ટે હાલ એક સપ્તાહ સુધી ASIને સર્વે માટે ખોદકામ કરવાની મંજૂરી નથી આપી. આ સર્વેનું બાકીનું કામ જારી રહેશે.આ મામલે સુનાવણી દરમ્યાન મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે જિલ્લા કોર્ટના આદેશ પછી ASI સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વેમાં ખોદકામ દરમ્યાન માળખાને નુકસાન પહોંચી શકે છે, જે કોર્ટના જૂના આદેશનું ઉલ્લંઘન છે. એના પર કોર્ટે સવાલ કર્યો હતો કે તમે આ મામલાને લઈને હાઇકોર્ટ કેમ નથી ગયા? મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે જિલ્લા કોર્ટે આદેશ એટલો જલદી આપ્યો હતો કે તેના પછી હાઇકોર્ટમાં જવાનો સમય નહોતો. કોર્ટે પહેલાં આ મામલે બપોર સુધી સુનાવણી ટાળી દીધી હતી, પરંતુ બાદમાં આ મામલે સુનાવણી કરી હતી.

શું ASI પ્રાંગણમાં ખોદકામ કરી રહી છે?

કોર્ટે સુનાવણી દરમ્યાન UP સરકારને પૂછ્યું હતું કે હાલ ASI શું કરી રહી છે? અને ત્યાં શું થઈ રહ્યું છે? કોર્ટે સવાલ કર્યો હતો કે શું ત્યાં ખોદકામ થઈ રહ્યું છે. CJI DY ચંદ્રચંડે ASIને કોર્ટમાં હાજર થઈને સર્વેની માહિતી આપવા નિર્દેશ આપ્યા હતા. એના પર સોલિસિટર જનરલ તરફથી કહેવામાં આવ્યું હતું કે હાલમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે દરમ્યાન એક ઇંટ પણ હટાવવામાં નથી આવી.