દેશમાં સક્રિય કેસોની સંખ્યા એક લાખની નીચે

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6915 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 180  લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,29,31,045 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,14,023 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,23,24,550 લોકો માત આપી ચૂક્યા છે.

 પાછલા 24 કલાકમાં 16,864 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 92,472એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.59 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 9,01,647 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 76.84 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.77 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.11 ટકા છે.

 દેશમાં 177.70 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,77,70,25,914 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 18,22,513 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.