INDIA ગઠબંધને 14 સભ્યોની સમિતિની રચના કરી

મુંબઈઃ મુંબઈમાં મળેલી વિરોધ પક્ષોની ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વિરોધ પક્ષોએ આગળની વ્યૂહરચના નક્કી કરવા માટે 14 સભ્યોની કોઓર્ડિનેશન કમિટી બનાવી છે. આ કમિટીમાં કોંગ્રેસના કેસી વેણુગોપાલ, NCPના શરદ પવાર, DMKના એમકે સ્ટાલિન, શિવસેનાના સંજય રાઉત, RJDના તેજસ્વી યાદવ, TMCના અભિષેક બેનર્જી, આપના રાઘવ ચઢ્ઢા, SPના જાવેદ અલી ખાન, JDUના લલ્લન સિંહ, JMMના હેમંત સોરેન, CPIના ડી રાજા, NCના ઓમર અબ્દુલ્લા અને PDPના મહેબૂબા મુફ્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વિપક્ષની બેઠકમાં દેશભરમાં સાથે મળીને ચૂંટણી લડવાની અને એકસાથે મળીને પ્રચાર કરવાની વાત કહેવામાં આવી છે. ઇન્ડિયા ગઠબંધન તરફથી માહિતી આપવામાં આવી હતી કે તેમના આ અભિયાનની થીમ ‘જુડેગા ભારત, જીતેગા ભારત’ હશે. લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણી પર ઈન્ડિયા એલાયન્સે કહ્યું છે કે તેના પર જલ્દી જ ચર્ચા કરવામાં આવશે. લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણીના વિષય પર ઇન્ડિયા ગઠબંધને કહ્યું કે વિભિન્ન રાજ્યોમાં ટૂંક સમયમાં સીટોની વહેંચણીની પર કામ શરૂ કરી દેવામાં આવશે. અમે વહેલી તકે દેશના જુદા-જુદા ભાગોમાં લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર સભાઓ યોજીશું.

 

કોંગ્રેસઅધ્યક્ષ મલ્લ્કિર્જુન ખડગેએ કહ્યું હતું કે અમારો બધાનો ઉદ્દેશ એક જ છે –મોંઘવારી, બેરોજગારી માટે અમે કેવી રીતે લડી શકીએ. મોદીજીએ ક્યારેય ગરીબો માટે કામ નથી કરતા. અમારો સંકલ્પ છે, જેને આધારે અમે કામ કરીશું, એમ તેમણે કહ્યું હતું.