આતંકવાદીઓ હથિયાર છોડે અથવા મરવા તૈયાર રહેઃ ગૃહપ્રધાન

જમ્મુઃ ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને હથિયાર છોડવા અને સરકારથી વાતચીત માટે આગળ આવવા આહવાન કર્યું છે. પાકિસ્તાનની સાથે કોઈ સંવાદ કે સરહદ પાર વેપાર નહીં થાય. આગામી સપ્તાહે થનારા ત્રીજા તબક્કાના મતદાન પહેલાં શાહ અહીં પાંચ સભી સંબોધશે.શાહે અહીં કોંગ્રેસ, નેશનલ કોંગ્રેસ અન્ PDP પર હુમલો કર્યો હતો. આ ત્રણ વંશવાદી પાર્ટીઓ આતંકવાદ માટે જવાબદાર છે, જેને ભાજપે ખતમ કર્યો છે અને રાજ્યમાં ફરીથી એને પરત ફરવા નહીં દેવાય.

ભાજપની સરકાર બનવા પર જમ્મુ-કાશ્મીરને આતંકવાદ મુક્ત બનાવવાનું વચન છે અને શાહે આરોપ લગાવતાં કહ્યું હતું કે નેશનલ કોંગ્રેસ- કોંગ્રેસનું ગઠબંધ સત્તામાં આવશે તો પાકિસ્તાનનો એજન્ડા લાગુ કરશે. તેમણે ભાજપના ઉમેદવારોના ટેકામાં ચેનાની અને ઉધમપુર વિધાનસભા વિસ્તારોમાં સભાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે વિશ્વની નજર જમ્મુ-કાશ્મીર ચૂંટણી પર છે. જો બંધારણના આર્ટિકલ 370ની મોટા ભાગની જોગવાઈઓને રદ કર્યા પછી ચૂંટણી પહેલી વાર થઈ રહી છે. સરકારે ભાજપના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીના સપનાને ઓગસ્ટ 2019માં પૂરું કર્યું છે. તેમણે સૂત્ર આપ્યું હતું કે એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન ના ચાલે. જેથી આર્ટિકલ 370ને દૂર કરવામાં આવી હતી.

રાજ્યમાં જે પણ આતંક ફેલાવશે, તેમને ફાંસી પર લટકાવવામાં આવશે. જો આતંકવાદીઓ હથિયાર છોડવા અને સરકારથી વાતચીત કરવા તૈયાર રહે. જો તેઓ આવું નહીં કરે તો સુરક્ષા દળોના હાથે મરવા તેઓ તૈયાર રહે, એમ તેમણે કહ્યું હતું.