શ્રીનગરને બનાવાશે સંપૂર્ણ કચરા-કૂડા મુક્ત

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના શ્રીનગર શહેરને કચરા અને કચરાપેટીઓથી મુક્ત કરવાનો શ્રીનગર મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. શહેરમાંથી ડમ્પસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે અને દરેક ઘરમાંથી સૂકો અને ભીનો કચરો એકત્ર કરવા માટે 150 નવા C&T (કમ્યુનિટીઝ એન્ડ ટેક્નોલોજીઝ) વાહનોનો ઉપયોગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ વાહનો પર GIS (જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ) અને રિયલ-ટાઈમ GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.

શ્રીનગરના મ્યુનિસિપલ કમિશનર અતહર આમિર ખાને શહેરના પ્રત્યેક વિસ્તાર અને વોર્ડમાં કચરો એકત્ર કરવા માટેનું સમયપત્રક ઘડવામાં આવ્યું છે. શ્રીનગર શહેરને સંપૂર્ણ કચરામુક્ત કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે.