અનિલ અંબાણીએ કોર્ટને કહ્યું, હું કંગાળ છું, બધું બરબાદ થઈ ગયું

લંડનઃ ક્યારેક વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવનારા માલેતુજાર અનિલ અંબાણી આજે કંગાળ થઈ ગયા છે. તેમણે બ્રિટનની એક કોર્ટને કહ્યું છે કે તેમની નેટવર્થ ઝીરો છે અને તેઓ નાદાર થઈ ચૂક્યા છે. ચીનની બેન્કોએ 68 કરોડ ડોલર (રૂ. 4,760 કરોડ)ના દેવાંના કેસની સુનાવણી દરમ્યાન અનિલ અંબાણીના વકીલે કહ્યું કે એક સમય હતો, જ્યારે તેઓ અબજોપતિ બિઝનેસમેન હતા, પણ ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં મચેલી અફરાતફરી પછી બધું બરબાદ થઈ ગયું છે અને તેઓ હવે શ્રીમંત નથી રહ્યા.

ત્રણ બેન્કોએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સને 925.20 મિલિયન ડોલર (આશરે રૂ. 6,475 કરોડ)ની લોન આપી હતી. તે સમયે અનિલ અંબાણીએ કહ્યું હતું કે તેઓ આ લોનની પર્સનલ ગેરન્ટી આપે છે,પણ ફેબ્રુઆરી, 2017 પછી કંપની લોન ચૂકવવામાં એ નાદાર થઈ ગઈ.

કારોની લાઇન છે, પ્રાઇવેટ જેટ છે, પણ

કોર્ટમાં બેન્કોના વકીલોએ કહ્યું હતું કે અંબાણીની પાસે 11 અથવા એનાથી પણ વધુ લક્ઝરી કારો, એક પ્રાઇવેટ જેટ, એક યાટ અને દક્ષિણ મુંબઈમાં એક વિશિષ્ટ સીવિન્ડ પેન્ટ હાઉસ છે. જજ વાક્સમેને સવાલ કર્યો કે અંબાણી એ વાત પર ભાર આપી રહ્યા છે કે તેઓ વ્યક્તિગતરૂપે નાદાર થઈ ચૂક્યા છે. શું તેમણે ભારતમાં નાદારી માટે અરજી આપી છે. અંબાણીના વકીલોની ટીમમે સામેલ દેશના અગ્રણી વકીલ હરીશ સાલ્વેએ આનો જવાબ નામાં આપ્યો હતો. ત્યાર બાદ કોર્ટમાં ભારતની ઇનસોલવન્સી અને બેન્કરપ્સી કાયદા (આઇબીસી)નો ઉલ્લેખ કર્યો હતો. વકીલે કહ્યું હતું કે બધું મળીને તેમની સ્થિતિ એવી છે કે અંબાણીની 70 કરોડ ડોલર ચૂકવવાની સ્થિતિમાં નથી.

સંકટમાં પરિવાર મદદ નહીં કરે?

બેન્કોના વકીલોએ આવાં કેટલાંય ઉદાહરણ આપતાં કહ્યું હતું કે તેમના પરિવારના સભ્યો તેમને સંકટમાંથી બહાર નીકળવામાં મદદ કરી છે. બચાવ પક્ષના વકીલોએ એ સમજાવવાના પ્રયાસો કર્યા હતા કે અંબાણી પાસે તેમની માતા કોકિલા, પત્ની ટીના અંબાણી અને પુત્રો અણમોલ અને અંશુલની સંપત્તિઓ અને શેરો તેમના સુધી નથી પહોંચ્યા. આના પર વકીલોએ કહ્યું કે અમે ગંભીરતાથી માનીએ કે સંકટ સમયે તેમની માતા, પત્ની અને પત્ની તેમની મદદ નહીં કરે.

ભાઈ મુકેશ અંબાણી એશિયાના સૌથી વધુ શ્રીમંત

બેન્કોના વકીલોએ કોર્ટને એ પણ જણાવ્યું હતું કે અનિલ અંબાણીના ભાઈ મુકેશ અંબાણી એશિયાના સૌથી વધુ શ્રીમંત વ્યક્તિ છે. તેઓ ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં વિશ્વના 13મા શ્રીમંત વ્યક્તિ છએ. તેમની નેટવર્થ આશરે 55થી 57 અબજ ડોલર છે.

મૂડીરોકાણની ક્ષમતા ખતમ

અંબાણીના વકીલ રોબર્ટ હોવેએ કહ્યું હતું કે અંબાણીની મૂડીરોકાણની વેલ્યુ વર્ષ 2012 પછી પૂરી થઈ ગઈ હતી.ભારત સરકારની સ્પેક્ટ્રમ આપની નીતિમાં પરિવર્તનને કારણે ભારતીય ટેલિકોમ સેક્ટર પર પ્રતિકૂળ અસર પડી હતી. વર્ષ 2012માં અબાણીના રોકાણની કિંમત સાત અબજ ડોલરથી વધુ હતી, પણ હવે એ 8.9 કરોડ ડોલર (રૂ. 623 કરોડ) છે. આમ હવે તેમનાં દેવાં પર વિચાર કરીએ તો તેમની સંપત્તિ ઝીરો થઈ જાય છે.

રૂ. 93,000 કરોડનું દેવું

અનિલ અંબાણી રિલાયન્સ કોમ્યુનિકેસન્સના ચેરમેન છે અને તેમનું ગ્રુપ પાછલા કેટલાક સમયથી મુશ્કેલીના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. બ્લુમબર્ગના અહેવાલ મુજબ સપ્ટેમ્બર સુધી ગ્રુપ પર 13.2 અબજ ડોલર (આશરે 93,000 કરોડ)નાં દેવાં છે.

એરિકશનના મામલે મુકેશે મદદ કરી

એરિક્શનને આરકોમે રૂ. 550 કરોડનું દેવું ચૂકવવાનું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ પર અનિલ અંબાણી દેવું ચૂકવવા તૈયાર થયા ત્યારે મુકેશ અંબાણીએ તેમને મદદ કરી હતી.