હરિયાણામાં વિદ્યાર્થિનીને ઠાર મારનાર બંને આરોપીની ધરપકડ

બલ્લભગઢઃ હરિયાણા પોલીસે ફરીદાબાદના બલ્લભગઢમાં 21 વર્ષીય નિકિતા તોમરની ગઈ કાલે બપોરે ધોળેદિવસે જાહેર રસ્તા પર ગોળી મારીને હત્યા કરનારા બંને આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓની ઓળખ તૌસિફ અને રેહાન તરીકે કરવામાં આવી છે. હરિયાણા પોલીસ દ્વારા રચવામાં આવેલી 10 સભ્યોની SITની ટીમે રેહાનની મેવાત વિસ્તારમાંથી ધરપકડ કરી છે. બલલ્લભગઢમાં નિકિતા પરીક્ષા આપ્યા પછી કોલેજમાંથી બહાર આવી એ પછી એની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

પુત્રીને મારી નાખી

અમે પહેલેથી જ ફરિયાદ કરી હતી કે કેટલાક લોકો એને હેરાન કરી રહ્યા હતા અને હવે તેમણે મારી પુત્રીને મારી નાખી છે, એમ પીડિતાના પિતાએ કહ્યું હતું. નિકિતાના ભાઈ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી તૌસિફ તેની બહેનને તેનો ધર્મ ઇસ્લામ અંગીકાર કરવા માટે મજબૂર કરી રહ્યો હતો.

નિકિતા એક પરીક્ષા આપવા માટે કોલેજ ગઈ હતી

મારી પુત્રી કોલેજમાં એક પરીક્ષા આપવા માટે ગઈ હતી. હુમલાખોરે તેને જબરદસ્તીથી કારમાં બેસવાનું કહ્યું હતું, પણ તેણે ના પાડી હતી, જેથી થોડી વાર પછી તેણે તેને ગોળી મારી દીધી હતી, એમ તેમણે ઉમેર્યું હતું.

નિકિતા એક પરીક્ષા આપવા માટે કોલેજ ગઈ હતી, આરોપી તૌસિફ તેને જાણતો હતો, તેણે તેની સાથે વાત કરવાની કોશિશ કરી, પણ એ પછી તેણે તેને ગોળી મારી દીધી હતી, એમ બલ્લભગઢના ACP જયવીર રાઠીએ કહ્યું હતું.

આ હત્યાના સીસીટીવી ફુટેજ

પીડિતા B.Comના અંતિમ વર્ષની વિદ્યાર્થિની હતી. આ હત્યાના સીસીટીવી ફુટેજ ગઈ કાલે સામે આવ્યા હતા. સીસીટીવી ફુટેજમાં બે યુવકો એક સફેદ કાર i20 કારથી નીકળીને બે વિદ્યાર્થિનીઓને પકડતા જોઈ શકાય છે. બંને વચ્ચે એક શાબ્દિક મજગમારી પછી તેના અપહરણના ક્રમમાં કોલેજના ગેટની પાસે ઊભેલા વાહનની અંદર યુવતીને ખેંચવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ જેવો તે વિરોધ કરે છે, એમાંથી એકે રિવોલ્વર કાઢીને અને તેને ઠંડા કલેજે ગોળી મારી દીધી હતી. આ ઘટના સોમવારે 3.30 કલાકે બની હતી, જ્યારે પીડિતા નિકિતા તોમર પરીક્ષા આપીને કોલેજથી બહાર આવી હતી. જોકે આ યુવતીની હત્યા કર્યા પછી આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.

આ ઘટના પછી ફોરેન્સિક સાયન્સની ટીમ ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કર્યા હતા. એસજીએમ નગરની રહેવાસી નિકિતાને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

હરિયાણા પોલીસે આ ઘટના પછી એક ઝુંબેશ શરૂ કરી હતી અને ગુનો બન્યાના ગણતરીના કલાકોમાં તૌસિફની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યાનુસાર યુવતી દ્વારા મિત્રતાનો અસ્વીકાર હત્યાની પાછળનું કારણ હોઈ શકે.

હત્યાના વિરોધમાં વિરોધ-પ્રદર્શન

પોલીસ કમિશનર ઓપી સિંહે કહ્યું હતું કે આ ઘાતકી હત્યા કરવાવાળાઓને કડક સજા અપાવવામાં આવશે.

દરમ્યાન યુવતીના પરિવારો અને સગાંસબંધીઓએ અને કોલેજના મિત્રોએ એ વિસ્તારમાં આજે ધરણા કર્યા હતા અને આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે એવી માગણી કરી હતી જેનો રાજ્ય સરકારે સ્વીકાર કરી લીધો છે.