પર્વતારોહક બલજિત કૌર ટાટાની સસ્ટેઇનિબિલિટી ચેમ્પિયન

નવી દિલ્હી: ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક તાતા પાવરે કંપનીના રિન્યુએબલ બિઝનેસમાં સસ્ટેનેબિલિટી ચેમ્પિયન તરીકે જાણીતી પર્વતારોહક બલજિત કૌરને ઓનબોર્ડ કરી છે. આ પહેલ બિનપરંપરાગત ક્ષેત્રોમાં દેશની યુવા પ્રતિભાને ટેકો આપવાની કંપનીની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે.

પર્વતારોહણની પડકારજનક દુનિયામાં, 27 વર્ષની બલજિત કૌર તેની અસાધારણ સિદ્ધિઓ સાથે બધાથી અલગ તરી આવે છે. વર્ષ 2023માં તેણે ઈન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશન તરફથી પર્વતારોહણમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 8000 મીટરને વટાવીને સાત શિખરો સર કરનાર પ્રથમ ભારતીય તરીકે બલજિત અનેક નોંધપાત્ર પ્રથમ સ્થાનના રેકોર્ડ્સ ધરાવે છે. તે માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ લોત્સે અને માઉન્ટ મનાસ્લુ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા તરીકે છે, જે તેણે ઓક્સિજન વિના સર કર્યા હતા, જે તેની હિંમત, અતૂટ નિશ્ચય અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. આ એવાં લક્ષણો છે કે જેને તાતા પાવર ન કેવળ બિરદાવે છે, પણ તેના કર્મચારીઓ અને સમુદાયમાં પણ સ્થાપિત કરે છે.

હિમાચલ પ્રદેશની પહાડી વિસ્તારની બલજીત પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને પર્વતોને તેનો “પ્રથમ પ્રેમ” કહે છે. તે ટકાઉ જીવનના મૂલ્યને ખરેખર સમજે છે અને તાતા પાવરની ‘સસ્ટેનેબલ ઇઝ એટેનેબલ’ ફિલસૂફીની હિમાયત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે જે સ્વચ્છ ઊર્જા સોલ્યુશન્સ અપનાવવા દ્વારા ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે. બલજિત દેશભરમાં તાતા પાવરના હજારો કર્મચારીઓને પ્રકૃતિ સાથે જોડાણ વધારવા અને કંપનીની પર્યાવરણીય સંભાળ અને સામુદાયિક વિકાસ પહેલને વધુ વિસ્તૃત કરવા પ્રેરણા આપશે.

કંપનીના CEO અને MD ડો. પ્રવીર સિંહાએ જણાવ્યું હતું કે મને કંપની પરિવારમાં બલજિતનું સ્વાગત કરતાં આનંદ થાય છે. તે ખરેખર કંપનીના સિદ્ધાંતોનું પ્રતીક છે. તેનું ઓનબોર્ડિંગ રમતગમતના ક્ષેત્રે મહિલાઓને આગળ લાવવા દેશમાં ઊભરતી પ્રતિભાને ઉછેરવા માટે કંપનીની પ્રતિબદ્ધતાના સમર્પણનો પુરાવો છે. તેની #Powerofcourage સાથે મને ખાતરી છે કે તે દેશના યુવાનો માટે રોલ મોડેલ બનશે. હું કંપનીની ટીમનો એક ભાગ બનવા અને ટકાઉ જીવનના ઉદ્દેશને પ્રોત્સાહન આપવા માટે ઉત્સાહિત છું. હું આના જેવું પ્લેટફોર્મ મેળવવા માટે રોમાંચિત છું, આ સમર્થન સાથે હું પર્વતારોહણમાં ટકાઉપણા અને મહિલાઓના સશક્તીકરણ બંનેમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે ઉત્સુક છું, એમ બલજિત કૌરે જણાવ્યું હતું.