આ સમયમાં મોદી વૈશ્વિક નેતા બનીને ઊભરી આવ્યા છે…

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાની વચ્ચે જ્યાં વૈશ્વિક અર્થતંત્રને લઈને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. દરેક દેશ કોરોનાની સામે જંગ લડી રહ્યો છે અને એનાથી કેવી રીતે બહાર નીકળવું એના દરેક ઉપાય કરી રહ્યો છે. આમાં ભારતના નેતૃત્વમાં ક્ષમતા દેખાઈ રહી છે. આવા સમયમાં બ્રિટન, ફાન્સ અને ઇટાલી જેવા દેશો થરથર કાંપી રહ્યા છે. અમેરિકાએ એમ કહીને હાથ ખંખેરી કાઢ્યા છે કે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ તો 20 લાખ અમેરિકનોનાં મોત થવાની શક્યતા છે.

21 દિવસ લોકડાઉન

આવા સમયે ભારતે દેશવ્યાપી લોકડાઉન જેવા સાહસિક નિર્ણય લઈને સ્થિતિ વધુ ખરાબ થતાં અટકાવી લીધી છે. જો લોકોએ સાથ આપ્યો તો ભારતમાં સ્થિતિ વધુ વણસશે નહીં. આવા ખરાબ સમયમાં સામાજિક હાલત અને અર્થતંત્રને ટેકો આપવાની યોજનામાં પણ ભારતે નેતૃત્વની ક્ષમતા બતાવી છે.

PM મોદીની પહેલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G-7 અને G-20 દેશો બેઠકમાં સામૂહિક રીતે આ રોગચાળાનો સામનો કરવા અને માનવીય મૂલ્યો પર પહેલાં વિચાર કરવા પહેલ કરવા માટે કહ્યું હતું. જ્યારે દેશની અંદર ગરીબોની મદદ કરવા માટે ભારતે પહેલ કરી હતી. મોદી સરકારે ગરીબો માચે 1.70 લાખ કરોડની રાહત યોજના જાહેર કરી હતી. એના બીજા દિવસે ટ્રમ્પ સરકારે બે ટ્રિલિયન ડોલરની યોજના જાહેર કરી હતી. જોકે ટ્રમ્પની આ જાહેરાતમાં મોદીના વિચારો જણાય છે.

અમેરિકી યોજનામાં પણ મોદીની DBT યોજનાનું અનુસરણ

ટ્રમ્પે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની વાત કરી હતી, જેની આધારશિલો મોદીએ 2014માં પહેલી વાર સરકાર રચ્યા પછી રાખી હતી. ભારતે જનધન ખાતા, આધાર અને મોબાઇલ દ્વારા એવું દૂરગામી માળખું તૈયાર કર્યું હતું, જેનાથી લોકોને સીધી અને તતકાળ મદદ પહોંચાડી શકાય. અમેરિકી પેકેજમાં વાર્ષિક 75,000 ડોલર કમાતી વ્યક્તિને 1,200 ડોલરની મદદ સીધા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આમાં જો પતિ-પત્નીની કમાણી દોઢ લખ ડોલરથી ઓછી કમાણી કરતા હશે તો તેમને 2,400 ડોલરની મદદ મળશે. વધારામાં પ્રતિ બાળક 500 ડોલર પણ આપવામાં આવશે.