લોકડાઉનની માર્ગદર્શિકાનું પાલન કરોઃ કેન્દ્રનો રાજ્યોને આદેશ

નવી દિલ્હીઃ કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપતાં કહ્યું છે કે તેઓ બધા કોરોના વાઇરસ રોગચાળાથી લડવા માટે કરવામાં આવેલા લોકડાઉન માર્ગદર્શિકાનું સખતાઈથી પાલન કરે અને એનું ક્યાંય પણ ઉલ્લંઘન ના થાય એનું ધ્યાન રાખે. રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોથી વાતચીતમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું હતું કે કેટલાંક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવા આદેશ જારી કરી રહ્યા છે કે જે ડિઝેસ્ટર મેનેજમેન્ટ, 2005 હેઠળ ગૃહ મંત્રાલય દ્વારા દિશા-નિર્દેશો અનુસારના નથી. કેરળે આજથી વધુ છૂટછાટો જાહેર કરતાં ગૃહ મંત્રાલયે કેરળને આડે હાથ લીધું હતું.  

કેરળે લોકોને વધુ છૂટછાટ આપતાં ગૃહ મંત્રાલયે વાંધો ઉઠાવ્યો

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા મુખ્ય સચિવોને એક પત્ર લખ્યો છે અને કેરળના મુખ્ય સચિવને એક અલગ પ્રત્ર મોકલ્યો છે, જેમાં કોઈ પણ પ્રકારથી લોકડાઉનના દિશા-નિર્દેશોને ઓછાં નહીં કરવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા આ સખત નિર્દેશ કેરળમાં લોકડાઉન ગાઇડલાઇનમાં વધારાની છૂટ આપ્યા પછી આવ્યા છે. કેરળમાં લોકડાઉન છતાં સરકાર દ્વારા આજથી વધારાની છૂટ આપવામાં આવતાં ગૃહ મંત્રાલયે વાંધો ઉઠાવ્યો હતો.

કેરળને ફટકાર લગાવતાં ગાઇડલાઇન વધુ સખતાઈથી પાલન કરવા નિર્દેશ

ગૃહ સચિવ અજય ભલ્લાએ કેરળના મુખ્ય સચિવને અલગછી એક પત્ર લખીને ગાઇડલાઇન્સમાં વધુ છૂટછાટ આપવામાં આવતાં ફટકાર લગાવી હતી. કેન્દ્રની ગાઇડલાઇન્સે વધુ છૂટ આપવાનો રાજ્ય સરકારને હક નથી, કેન્દ્રીય ગાઇડલાઇનનું સખતાઈથી પાલન થવું જોઈએ.

કેરળે લોકડાઉનનું કર્યું ઉલ્લંઘન

ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે કેરળમાં રેસ્ટોરાં ખોલવા, પુસ્કોની દુકાનો ખોલવા માટેની છૂટનો નિર્ણય લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં બસ પ્રવાસની મંજૂરી, ટૂ વ્હીલર પર બે જણની સવારી, કારની પાછલી સીટ પર બે પ્રવાસીઓને બેસવાની મંજૂરી આપવાને ગૃહ મંત્રાલયે લોકડાઉનનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

કેરળની ગાઇડલાઇન્સ વિશે સ્પષ્ટતા

કેન્દ્ર સરકારની ફટકાર પછી કેરળના પ્રધાન કડકમ્પલ્લી સુરેન્દ્રએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અમે કેન્દ્ર સ્વારા જારી કરવામાં આવેલા દિશા-નિર્દેશોનું પાલન કરતાં આ છૂટ આપી છે. કેટલીક ગેરસમજને કારણે કેન્દ્રએ આ સ્પષ્ટીકરણ માગ્યું છે. એક વાર અમે સ્પષ્ટીકરણ આપી દઈશું એટલે મને આશા છે કે સમસ્યા હલ થશે. તેમણે કહ્યું હતું કે અમે કેન્દ્ર દ્વારા નિર્ધારિત બધા માપદંડોનું પાલન કર્યું છે.

કેરળમાં લોકડાઉન પ્રતિબંધોને હળવા કર્યા

કેરળમાં કેટલાય વિસ્તારોમાં લોકડાઉન પ્રતિબંધોને હળવા કરી દીધા છે. કેરળે રાજ્યમાં બાર્બર શોપ, રેસ્ટોરાં અનમે બુક સ્ટોર પણ ખોલવા આદેશ કર્યા છે. આ સિવાય નાના અંતરે શહેરો અને ગામડાંઓમાં બસ પ્રવાસને પણ મંજૂરી આપી દીધી છે.