જમ્મુ-કાશ્મીર ચૂંટણીઃ ખડગે, શાહ વચ્ચે છેડાયું વાક્યુદ્ધ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરની એક ચૂંટણી સભામાં કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ છેડાયું હતું. ખાસ કરીને PM મોદી વિશેના વિવાદિત નિવેદનથી ગૃહ પ્રધાન અમિત શાહે આકરી પ્રતિક્રિયા આપી હતી.

ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જમ્મુ-કાશ્મીરમાં એક જનસભા દરમ્યાન વડા પ્રધાન મોદી પર કરવામાં આવેલી ટિપ્પણીને અત્યંત ખરાબ અને અપમાનજનક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ખડગેની ટિપ્પણી બતાવે છે કે કોંગ્રેસના મનમાં PM મોદી માટે કેટલી નફરત અને ડર છે. તેઓ સતત તેમના વિસે વિચારતા રહે છે.

રાજ્યના જસરોટામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુંન ખડગેએ ભાજપ પર હુમલો કરતાં કહ્યું હતું કે PM મોદીને સત્તા પરથી હટાવ્યા પહેલાં તેઓ મરશે નહીં. અમારી સરકાર આવશે તો અમે આતંકવાદને ખતમ કરી દેશે. અમે રાજ્યનો દરજ્જો અપાવવા માટે લડીશું. તમારી વાત સાંભળીશ, તમારા માટે લડીશ.

શાહે X પર લખ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગે પાર્ટીના નેતાઓ કરતાં પણ વધુ અભદ્ર ભાષાઓનો પ્રયોગ કર્યો હતો. તેમણે તેમની કડવાશનો પરિચય આપતાં કહ્યું હતું કે મોદીને સત્તાથી દૂર કર્યા પછી જ મરીશ. હું પ્રાર્થના કરું છું કે તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ રહે. તેઓ 2047 સુધી વિકસિત ભારતનું નિર્માણ માટે જીવિત રહે.

આ દર્શાવે છે કે આ કોંગ્રેસીઓમાં PM મોદી પ્રત્યે કેટલી નફરત અને ડર છે કે તેઓ સતત તેમના વિશે જ વિચારતા રહે છે, એમ તેમણે કહ્યું હતું.

આ નિવેદનોથી કોંગ્રેસ અને ભાજપની વચ્ચે રાજકીય ખેંચતાણ તેજ થવાની શક્યતા છે. બંને પક્ષોના સમર્થકોની વચ્ચે એક નવી ચર્ચા છેડાઈ છે. હવે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં આ વિવાદની રાજકીય અસર શું થાય છે?