ભારતે ‘પ્રલય’ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

ભૂવનેશ્વર:ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) સંસ્થાએ આજે ઓડિશાના સમુદ્ર કાંઠેથી ટૂંકી રેન્જવાળા બેલિસ્ટિક મિસાઇલ ‘પ્રલય’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

જમીન પરથી જમીન પર છોડી શકાય એવી આ મિસાઈલ ૫૦૦ કિ.મી. દૂરના ટાર્ગેટને તોડી પાડવા સક્ષમ છે. આ મિસાઈલ વજનમાં પાંચ ટનનું છે. તે ૮૦૦ કિલોગ્રામનો દારૂગોળો લઈ જવા માટે સક્ષમ છે.