બિહારનાં 200 ગામોમાં પૂરઃ 2.50 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

પટનાઃ બિહારમાં કોસી, ગંડક, બાગમતી નદી કાળો કેર વર્તાવી રહી છે. અત્યાર સુધી બે ગામોમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં છે. આશરે 2.50 લાખથી વધુ લોકોને અસર થઈ છે. બિહાર સરકારે અલર્ટ પણ જારી કર્યું છે. છેલ્લા 24 કલાકમાં સાત બાંધ તૂટ્યા છે. આ બાંધ તૂટવાને કારણે કિરતપુર, પ્રખંડ અને ધન્યશ્યામપુર પ્રખંડમાં પૂરનાં પાણી વિનાશ વેર્યો છે. સીતામઢી અને શિવહરમાં કુલ પાંચ બંધને બાગમતી નદીના પૂરે ધ્વસ્ત કર્યાં છે.

હાલના દિવસોમાં ગંડક, કોસી, બાગમતી, કમલા બલાન અને ગંગા સહિત અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. કોસી નદીમાં જળસ્તર વધી રહ્યું છે. લાખ્ખો લોકોની જિંદગી મુશ્કેલીમાં છે. લોકોને 2008વાળો ડર સતાવવા લાગ્યો છે. વર્ષ 2008માં આવેલા પૂરમાં સરકારી આંકડાઓ મુજબ 2008માં પૂરથી 526 લોકોનાં મોત થયાં હતાં. અનેક ખેડૂતોનાં ખેતરો હંમેશ માટે ખતમ થયાં હતાં, ત્યારે નેપાળે બે-ત્રણ લાખ ક્યુસેક પાણી છોડ્યું હતું.રાજ્યમાં ઘર, રસ્તા, પૂલ અને ઊંચી ઇમારતો પાણીમાં ગરકાવ છે. લાખ્ખો જિંદગીઓ અચનક નિઃસહાય થઈ ગઈ છે. નેપાળના રસ્તે આવી રહેલી નદીઓએ રાજ્યના 13 જિલ્લાઓ ભારે વિનાશ વેર્યો છે. આ જળપ્રલય જોઈને લોકોને હવે 1968 અને 2008ની ભયાનક યાદો તાજી થઈ છે.

રાજ્યમાં કોસી નદી પર બીરપુર (નેપાળ)થી 6.61 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે છેલ્લાં 56 વર્ષોમાં સૌથી વધુ છે. જે 2008ની તુલને આશરે ત્રણ ગણું છે. જોકે 168માં 7.88 લાખ ક્યુસેક પછી એ સૌથી વધુ છે. ગંડક પર વાલ્મીકિનગરથી 5.62 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે 2003 પછી સૌથી વધુ છે.