સમુદ્રના ઊંડાણથી પણ અમે તેમને શોધી કાઢીશું: સંરક્ષણપ્રધાન

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાને ચાર વિશાખાપટ્ટનમ-શ્રેણીમાં ત્રીજા INS ઇમ્ફાલના કમિશનિંગના પ્રસંગે કહ્યું હતું કે ભારત મર્ચન્ટ નેવી જહાજો પર હુમલાની પાછળના લોકોને સમુદ્રની ઊંડાઈમાંથી શોધી કાઢશે.  તેમણે કહ્યું હતું કે નેવી દ્વારા વિકસિત અને ડિઝાઇનથી બનેલી સબમરીન છે. તેમણે કહ્યું હતું કે ભારત સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહી છે, જેમણે પણ આ હુમલાને અંજામ આપ્યો છે તેમને અમે દરિયાના પેટાળમાંથી શોધી લાવીશું.

તેમણે કહ્યું હતું કે આજકાલ દરિયામાં હલચલ કંઈક વધારે થઈ રહી છે. ભારતની વધતી આર્થિક અને વ્યૂહાત્મક તાકાતોએ કેટલીક તાકાતોને ઈર્ષ્યા અને દ્વેષથી ભરી દીધી છે. અરબ સાગરમાં હાલમાં થયેલા MV કેમ પ્લૂટો પર ડ્રોન હુમલા અને કેટલાક દિવસો પહેલા લાલ સાગરમાં MV સાઈ બાબા પર થયેલા હુમલાને ભારત ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું હતું કે ભારતીય નૌસેનાની દરિયાઈ દેખરેખ વધારી દેવામાં આવી છે. જેમણે પણ આ હુમલો કર્યો છે. તેમને અમે દરિયાના પેટાળમાંથી શોધી લાવીશું અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત આખા ઈન્ડિયન ઓશિયન રીઝન (IOR)માં Net Security Providerની ભૂમિકામાં છે. અમે નક્કી કરીશું કે આ વિસ્તારમાં થનારો દરિયાઈ વેપાર સમુદ્રથી લઈને આકાશની ઊંચાઈઓ સુધી પહોંચશે. શનિવારે અરબ સાગરમાં MV કેમ પ્લૂટો પર ડ્રોનથી હુમલો કરવાના સમાચાર આવ્યા હતા. આ જહાજ સાઉદી અરબના એક પોર્ટથી ભારતના મંગલૌર આવી રહ્યું હતું. આ હુમલો ગુજરાતના વેરાવળથી 200 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં કરાયો હતો.