શરાબનીતિ કૌભાંડઃ સિસોદીયા પાંચ-એપ્રિલ સુધી કસ્ટડીમાં

નવી દિલ્હીઃ અત્રેના રાઉઝ એવેન્યૂ વિસ્તારસ્થિત કોર્ટ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાની અદાલતી કસ્ટડીની મુદતને પાંચ એપ્રિલ સુધી લંબાવી દીધી છે. આ કેસ રાષ્ટ્રીય પાટનગરમાં હવે રદ કરી દેવામાં આવેલી એક્સાઈઝ નીતિ સંબંધિત મની લોન્ડ્રિંગને લગતો છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સિસોદીયા કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા કરાયેલા આ કેસમાં મુખ્ય આરોપી છે.

કોર્ટે પોલીસતંત્રને આદેશ આપ્યો છે કે સિસોદીયાને જેલમાં જે પુસ્તકો વાંચવા હોય એ તેમને પૂરા પાડવા.