સિવાનમાં ઝેરી દારૂ પીવાથી મોતનો આંકડો વધીને 32

પટનાઃ બિહારના સિવાન જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી થતા મોતોની સંખ્યા વધી રહી છે. એ સંખ્યા 32એ પહોંચી છે. એની પુષ્ટિ SP અમિતેશ કુમારે કરી છે. આટલું જ નહીં, ઝેરી દારૂની અસરે કેટલાક લોકોની આંખો પણ ચાલી ગઈ છે.

બિહારમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે અને ઝેરી દારૂ પીવાથી 32 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ મોત સિવાન અને છપરામાં થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર સિવાનમાં ઝેરી દારૂ પીવાથી 20 લોકોનાં મોત થયાં છે જ્યારે છપરામાં 8 લોકોના મોત થયા છે. ઝેરી દારૂ પીવાથી અનેક લોકોની હાલત ગંભીર છે. જેમની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝેરી દારૂના કારણે મૃત્યુઆંક વધુ વધી શકે છે. પોલીસ સમિશનરે આશિષકુમારે જણાવ્યું હતું કે એની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે.

ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે. આ કેસમાં ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે અને આઠ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એ સાથે સ્થાનિક ચોકીદાર અને પંચાયત બીટ પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝેરી દારૂ પીવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની હાલત ખૂબ જ ખરાબ છે. આટલા મૃત્યુ પછી પણ મંત્રી સ્વીકારી રહ્યા નથી કે આ વહીવટી નિષ્ફળતાનો મામલો છે. તેમણે કહ્યું હતું કે આ વહીવટી નિષ્ફળતા નથી, સવાલ એ છે કે આટલા લોકોના મૃત્યુ પછી શું આ વહીવટી નિષ્ફળતા નથી?