કઇ રીતે કોરોના પર કાબૂ મેળવ્યો ભિલવારાએ?

ભિલવારાઃરાજસ્થાનનું ભિલવારા કોરોના વાઇરસનું એક હોટ સ્પોટ તરીકે ઊભર્યું હતું, પણ હવે છેલ્લા ચાર દિવસથી શહેરમાં એક પણ નવો કોરાનો પોઝિટિવ કેસ નોધાયો નથી. આના માટે રાજ્યના એડમિનિસ્ટ્રેશનનો આભાર માનવો પડે કે જેણે લોકકડાઉનનો ચુસ્ત અમલ કરાવ્યો. રાજ્ય સરકારે કોરોના સામે જંગ લડતાં વ્યૂહાત્મક નીતિ ઘડી કાઢી હતી. આ ઉપરાંત આરોગ્ય કાર્યકરોના કામના કલાકોમાં જરૂર વધારો થયો, તેમણે યુદ્ધના ધોરણે કોરોનાના વધુ ને વધુ ટેસ્ટ કર્યા અને ચેપગ્રસ્ત લોકોને ઓળખી કાઢીને અલગ કર્યા. આમ તેમની મહેનત રંગ લાવી. 

હજી સપ્તાહ પહેલાં રાજ્યના 18માંથી 12 કેસ ભિલવારાના

હજી એક સપ્તાહ પહેલાં કોરોનાના 18 કેસમાંથી 12 કેસ ભિલવારા જિલ્લાના હતા, રાજ્યમાં કોરોના કેસ વધીને 27 કેસ નોંધાયા હતા, પણ છ્લા પાંચ દિવસમાં કોરોનાનો એક પણ નવો કેસ નથી નોંધાયો. આ ઉપરાંત ભિલવારાના જે કેસ નોંધાયા હતા, એમાંથી 17 જણ આ ચેપગ્રસ્ત રોગમાંથી મુક્ત થયા છે. જોકે બે વ્યક્તિઓનાં કોરાનાને કારણે મોત થયાં છે.

 

રાષ્ટ્રીય સ્તરે કોરોના ઓછા કેસ

રાષ્ટ્રીય સ્તરે કોવિડ-19નાં પરીક્ષણ રાજસ્થાનમાં ઓછાં થયાં છે, પણ રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે પાંચ કરોડ લોકોના સ્ક્રીનિંગ થયાં છે અને 1.17 કરોડ ઘરોના આ રોગ માટે પરીક્ષણ કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં 34 જગ્યાએ કરફ્યુ

રાજ્યમાં હાલ 34 જગ્યાએ કરફ્યુ છે. જો કોઈ વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવે તો એની આસપાસનો બે કિલોમીચર વિસ્તારને સીલ કરી દેવામાં આવે છે અને સંપૂર્ણ વિસ્તારના લોકોની તપાસ કરવામાં આવે છે, એમ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું હતું. આ ઉપરાંત રાજસ્થાનના કોરોના પોઝિટિવના કુલ કેસોમાંથી આશરે 30-32 લોકો જે ઇરાનથી આવ્યા છે, તેમને જેસલમેર અને જોધપુરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જોકે ગેહલોતે મુસાફરી અથવા કોઈ કોવિડ -19 દર્દી સાથે સંપર્ક કરવાનો ઇતિહાસ ન હોવાના કેસો પર ચિંતા વ્યક્ત કરી હતી.

રાજ્ય સરકારના જણાવ્યાનુસાર હેલ્થકેર કામદારો, હોમગાર્ડઝ, પોલીસ કર્મચારીઓ, સરકારી અધિકારીઓ અને કોવિડ -19 દર્દીઓની તપાસ સાથે સંબંધિત દરેક વ્યક્તિ હજી પણ કોઈ એક પણ રજા વગર કામ કરી રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે પણ ભિલવાડા શહેરની પ્રશંસા કરી

કોરોના સામેના જંગમાં દેશમાં સારાં પરિણામો લાવવા માટે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પણ ભિલવાડા શહેરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કોરોનાના એપિ સેન્ટર જેવી સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પ્રશંસા કરી હતી. તેમણે ભિલવાડાને રોડ મોડલ બતાવ્યું હતું.  ભિલવાડાની પ્રશંસા કેન્દ્રીય કેબિનેટ સચિવ ગૌબા પણ કરી ચૂક્યા છે. તેમણે વિક વિડિયો કોન્ફન્સિંગ કરીને ભિલવાડાના કલેક્ટર રાજેન્દ્ર ભટ્ટની ખૂબ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે સૌએ ભિલવાડાઅ શીખવું જોઈએ.

ભિલવાડાએ કોરોના પર કાબૂ મેળવ્યો…

  • કોરોના દર્દી મળ્યા પછી તત્કાળ કરફ્યુ લગાવી દીધો.
  • જિલ્લાની સરહદ સીલ કરવા સાથે 50 ચેકપોસ્ટ બનાવી
  • રોડવેઝ બસોનું સંચાલન સંપૂર્ણ બંધ કર્યું, ખાનગી ગાડીઓ પર પણ પ્રતિબંધ મૂક્યો
  • કોરોના દર્દીવાળા વિસ્તારમાં આવ-જા પર સંપૂર્ણ પ્રતિબંધ કર્યો.
  • સ્ક્રીનિંગ માટે 2,100 ટીમ બનાવી. 25 લાખ લોકોનું સ્ક્રીનિંગ પૂરું કર્યું, જેમાં 16,382 લોકોમાં કોરોનાનાં લક્ષણો મળ્યાં, તેમને અલગ કર્યા
  • આ સર્વે પૂરો થતાં બીજી વાર સર્વે શરૂ કર્યો, જેમાં 1,215 લોકોને શરદી-ખાંસી થઈ હતી, જેમને અલગ કર્યા
  • દર્દીના સંપર્કમાં આવનારા 6,000 લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા અને હોટલોમાં તેમના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી.
  • કરફ્યુ દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓની ડિલિવરીની વ્યવસ્થા કરવામાં આવી.