દેશમાં કોરોનાનો પ્રકોપ યથાવત્: 12,881 કેસનો ઉમેરો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 12,881 નવા કેસ સામે આવ્યા છે અને 334 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાથી થનારા મોતનો આંકડો 12,000ને પાર થઈ ગયો છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,66,946 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 12,237 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,94,325 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,60,384એ પહોંચી છે. રિકવરી રેટ 52.95 ટકાએ પહોંચ્યો છે.

દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 47,000ને પાર

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 47,000ને પાસ થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના 2414 નવા રેકોર્ડ કેસ સામે આવ્યા છે, એની સાથે અહીં સંક્રમિતોનો આંકડો વધીને 47,102એ પહોંચી ગયો છે. પાછલા 24 કલાકમાં 510 દર્દીઓ સાજા થયા છે, જ્યારે પાછલા 24 કલાકમાં 67 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે દિલ્હીમાં અત્યાર સુધી કુલ 1904 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોનાથી 81 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત

દેશમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 12,000ને પાર થઈ ગઈ છે. વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,37,685 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 81,74,009એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.