કોરોનાના કેસો 79 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 79 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 45,148 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 480 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 79,09,960 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,19,014 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 71,37,228 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 59,105 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,53,717એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 90 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.51 ટકા થયો છે.

રિકવરી રેટ વધીને 90 ટકા

ભારતે  વિશ્વના ભલભલા વિકસિત દેશોને કોરોના વાઇરસ સામેની લડાઈમાં પાછળ રાખીને મોટી સફળતા હાંસલ કરી છે. એક તરફ દેશમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા ઘટી રહી છે તો બીજી બાજુ કોરોનાને માત આપનારાઓની સંખ્યા પણ આશ્ચર્યજનક રીતે વધી રહી છે. દેશમાં કોરોના સામેનો રિકવરી રેટ વધીને 90 ટકા પહોંચી ગયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.