એનપીઆરના નિયમોને લઈને લોકોનો ભ્રમ દૂર કરવા સરકારની મથામણ

નવી દિલ્હી: રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ને લઈને ચાલી રહેલા તમામ વિવાદો વચ્ચે ગૃહ મંત્રાલય તરફથી સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ અંગે નિયમોને લઈને ગૃહમંત્રાલયે અનેક માહિતી જાહેર કરી છે. સરકારે લોકોનો ભ્રમ દૂર કરવા કવાયત હાથ ધરી છે. મહત્વનું છે કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર તમામ ભારતીય નિવાસીઓની ઓળખનો એક ડેટાબેઝ છે. આ ડેટાબેઝની ભારતના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના આયુક્ત દ્વારા જાળવણી કરવામાં આવે છે. ભારતના દરેક સામાન્ય નિવાસી માટે એનપીઆરમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. કોઈપણ વ્યક્તિ જે 6 મહિના કે તેનાથી વધારે સમયથી કોઈ પણ વિસ્તારમાં રહેતો હોય તો તેમણે નાગરિક રજિસ્ટરમાં રજિસ્ટ્રેશન કરાવવું જરુરી છે. આવો જાણીએ આ નિયમોમાં સરકાર તરફથી કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે.

એનપીઆરમાં શું ફેરફાર થયા:

  • એનપીઆરમાંથી પેન નંબરની કોલમ હટાવી દેવામાં આવી
  • ટ્રાયલ દરમ્યાન 30 લાખ લોકોના ફિડબેક પછી આ કોલમ દૂર કરવામાં આવી
  • નવા એનપીઆર ફોર્મમાં માતૃભાષાની માહિતી ઉમેરવામાં આવી
  • નવા ફોર્મમાં 21 જૂદી જૂદી માહિતીઓની માંગ
  • 2010, 2015માં કુલ 14 પ્રકારની માહિતી માંગવામાં આવી હતી
  • માતા પિતાનું જન્મ સ્થાન, જૂનુ એડ્રેસ વગેરે માહિતી
  • આધારની માહિતી આપવી મરજીયાત રહેશે
  • ચૂંટણી કાર્ડ, મોબાઈલ નંબર, ડ્રાઈવિંગ લાઈસન્સની માહિતી
  • આંકડા એક્ત્ર કરનારા કોઈ દસ્તાવેજો માંગવામાં નહીં આવે
  • 2010માં પ્રથમ વખત ડેટા કલેક્શન કરવામાં આવ્યું અને 2015માં તેને અપડેટ કરવામાં આવ્યું.
  • પશ્ચિમ બંગાળ, કેરળનો ડેટા અપડેટથી ઈનકાર
  • લડાખ, પુડુચ્ચેરી, તેલંગાણા, આંધ્રપ્રદેશે પણ એનપીઆર અપડેટની તારીખ નક્કી નથી કરી

 

નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરનો શું થશે ફાયદો?

સરકારી યોજનાઓ હેઠળ આપવામાં આવતા લાભો યોગ્ય વયક્તિ સુધી પહોંચે અને વ્યક્તિની સાચી ઓળખ કરી શકાય.

સોશિયો ઈકોનોમિક કાસ્ટ સેન્સસ (SECC) એનપીઆર ડેટા પર આધારિત છે, જેન પાછળથી જૂદા જૂદા પ્રકારના લાભાર્થીઓ નક્કી કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આયુષ્યમાન ભારત, જન ધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, સૌભાગ્યા વગેરે યોજનાઓના યોગ્ય અમલીકરણમાં એનપીઆર ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એનપીઆર જૂદી જૂદી સરકારી યોજનાઓ/કાર્યક્રમો હેઠલ લાભના વિતરણ તંત્રને યોગ્ય બનાવવામાં મદદ કરશે.

એનપીઆરનો ઉદેશ્ય

ઓફિસ ઓફ રજિસ્ટ્રાર જનરલ અને એન્ડ સેન્સસ કમિશ્નરની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ એનપીઆરનો ઉદેશ્ય દેશમાં દરેક સામાન્ય રહેવાસીની એક વ્યાપક ઓળખ ડેટાબેઝ તૈયાર કરવાનો છે.

 

કેવી રીતે થઈ એનપીઆરની શરુઆત?

યુપીએ સરકારે વર્ષ 2010માં એનપીઆર બનાવવાની પહેલ શરુ કરી હતી. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર માટે 2011ની વસ્તીગણતરી પહેલા 2010માં ડેટા એક્ત્ર કરી લેવામાં આવ્યા હતાં. આ ડેટાને ઘરે ઘરે જઈને સર્વે કરીને 2015માં અપડેટ કરવામાં આવ્યા હતા.